SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉસ-૩ 137. તમે જે ઉપર કહ્યું તે બરાબર નથી. એમ કહેવાથી તો તમે પોતે સદોષ આચારનું સેવન કરો છો અને બીજાની નિન્દા કરે છે. તેમજ સચિત્ત જળ, બીજ, વનસ્પતિ આદિનું સેવન કરવાને કારણે ગૃહસ્થની સમાન છો. છતાં સાધુનો વેષ ધારણ કરવાને કારણે જ સાધુ છો. માટે બે પક્ષોનું સેવન કરો છો અથવા અસત્યક્ષનું સેવન કરો છો. તમે ધાતુના વાસણમાં ભોજન કરો છો તથા રોગી સાધુ માટે ગૃહસ્થો દ્વારા ભોજન મંગાવો છો. ગૃહસ્થ સચિત્ત જળ બીજ આદિનું મર્દન કરીને આહાર લાવે છે અને તમે તે ભોગવો છો તેથી તમને પણ દોષ લાગે છે. તેમજ તમે ઓશિક વગેરે આહારનું સેવન કરો છો. તમે ષટૂકાય જીવોની વિરાધના કરો છો, મિથ્યાત્વનું સેવન કરો છો, સત્સાધુઓની નિંદા કરો છો તેથી કર્મબંધથી લિપ્ત બનો છો તથા સદ્વિવેકથી હીન બની શુભ અધ્યવસાયથી દૂર રહો છો. ઘાને અતિ ખજવાળલો તે સારું નથી. એમ કરવાથી વિકાર વધે છે. [217-219) સત્ય અર્થનું નિરૂપણ કરનાર તથા હેય, ઉપાદેય તત્વોના જ્ઞાતા તેવા મુનિ તેઓ ને શિક્ષા આપે છે કે તમારો માર્ગ યુક્તિસંગત નથી. તમે બીમાર સાધુને આહાર લાવીને આપવામાં દોષ કહો છો, આ વચન વગર વિચાર્યું છે. સાધુએ ગૃહસ્થદ્વારા લાવેલો આહાર કરવો કલ્યાણકારી છે પરંતુ સાધુએ લાવેલો આહાર કરવો કલ્યાણકારી નથી, તમારા આ વચનો વાંસના અગ્રભાગની જેમ દુર્બળ છે. કારણ કે તે યુક્તિશૂન્ય છે– દાનધર્મની પ્રરૂપણા ગૃહસ્થો માટે છે. દાન ગૃહસ્થોની જ શુદ્ધિ કરનાર છે, સાધુઓની નહિ, એમ તમે કહો છો પણ પૂર્વવર્તી તીર્થકરોએ એવો ધર્મ કહ્યો નથી. એટલે સર્વજ્ઞ એમ નથી કહેતા કે સાધુ ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર ભોગવે પણ સાધુ દ્વારા લાવેલ નહિ. [220-221ii અમારો ધર્મ ઘણા માણસોએ સ્વીકારેલો છે તથા રાજા મહારાજા વગેરેને પણ માન્ય છે તેથી તે પ્રત્યક્ષ શ્રેષ્ઠ છે. બીજો કોઇ ધર્મ શ્રેષ્ઠ નથી ઈત્યાદિ કહે છે. રાગ-દ્વેષથી જેનો આત્મા દબાયેલો છે અને જે મિથ્યાત્વના પ્રવાહમાં વહી રહેલ છે, એવા અન્યતીર્થિઓ, જેમ પહાડી અનાય યુદ્ધમાં હારીને પહાડીનો આશ્રય લે છે, તેમ શાસ્ત્રાર્થમાં હારી જાય છે ત્યારે અસભ્ય વચનો તથા મારપીટ આદિનો આશ્રય લે છે. [22] અન્યતીથિઓ સાથે વાદ કરતી વખતે મુનિ પોતાની ચિત્તવૃત્તિને પ્રસન્ન રાખે તેમજ પ્રતિજ્ઞા, હેતુ, ઉદહરણ, ઉપનય અને નિગમનથી પોતાના પક્ષનું સમર્થન કરે અને બીજા મનુષ્યો તેઓના વિરોધી ન બને એવું આચરણ કરે. [223 કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ કહેલા આ ધર્મને ગ્રહણ કરીને પ્રસન્નચિત્ત મુનિ ગ્લાનિરહિત બની રોગી સાધુની સેવા કરે. [24] સમ્યગુદ્રષ્ટિ, શાંતમુનિ, મોક્ષ દાયી એવા આ ઉત્તમ ધર્મને જાણીને, ઉપસગને સહન કરી જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંયમનું અનુષ્ઠાન કરે, અધ્યયનઃ૩-ઉદેસો ૩નીબુનદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયઃ૩-ઉદ્દેસો 4) 225 પ્રાચીન સમયમાં ઉગ્ર તપસ્વી મહાપુરુષોએ કાચા પાણીનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સાંભળી મૂર્ણસાધુ સંયમ પાળવામાં કષ્ટઅનુભવે છે. 22-229 વિદેહ જનપદના રાજા નમિરાજે આહાર ન કરીને સિદ્ધિ પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005062
Book TitleAgam Deep 02 Suyagado Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy