________________ [21] नमो नम्मे निम्मल सणस પંચમ ગણધર થી સુધર્માસ્વામિને નમઃ ::. સૂયગડો --21:/22222222 GSSSSSSS બીજું અંગસૂત્ર-ગુર્જરછાયા થતસ્કન્ધઃ૧F અધ્યયન-સમય - ઉદેસો-૧ [1] મનુષ્ય બોધ પ્રાપ્ત કરવો જોઈએ અને બંધનને જાણીને તોડવા જોઈએ. વીર ભગવાને બંધન કોને કહેલ છે? અને શું જાણીને બંધ તોડવું જોઈએ? . [2] રચિત્ત તથા અચિત્ત તુચ્છ વસ્તુનો સ્વલ્પ પણ પરિગ્રહ રાખે છે, તેમજ બીજાને પરિગ્રહ રાખવાની અનુજ્ઞા આપે છે તે પુરુષ દુઃખથી મુક્ત થતો નથી. [3] જે મનુષ્ય સ્વયં પ્રાણીઓનો ઘાત કરે છે, બીજા પાસે ઘાત કરાવે છે અથવા ઘાત કરનાર પુરુષને અનુદાન આપે છે તે પોતાનું વેર વધારે છે. [4] જે મનુષ્ય જે કુળમાં જન્મે છે અથવા જેની સાથે નિવાસ કરે છે, તેની ઉપર એવું મમત્વ કરીને લેપાય છે અન્ય અન્ય પદાર્થોમાં આસક્ત થતો જાય છે. [પી ધન-વૈભવ અને માતા- પિતા, વગેરે રક્ષા કરવા સમર્થ નથી. તથા જીવન પણ અલ્પ છે, એવું જાણી જે આરંભ-નો ત્યાગ કરે છે તે કર્મથી દૂર થાય છે. [ણે કોઈ કોઈ શ્રમણ (શાક્ય આદિ ભિક્ષુ) અને બ્રાહ્મણ પરમાર્થને નહીં જાણતા પોતાના સિદ્ધાંતોમાં અત્યંત બદ્ધ થયેલા અરિહંત ભાષિત શાસ્ત્રોનો ત્યાગ કરી, કામભોગોમાં આસક્ત થાય છે. 7i-9 બૃહસ્પતિ મતના અનુયાયી ચાવકનો મત આ છે કે જગતમાં પૃથ્વી, પાણી, તેજ, વાયુ, અને આકાશ એ પાંચ મહાભૂત છે. આ પાંચ મહાભૂતો છે. તેઓનાં સંયોગથી એક (ચેતન) ઉત્પન્ન થાય છે, તે ભૂતોનો નાશ થતાં તેનાથી ઉત્પન્ન ચેતના પણ નાશ પામે છે. જે પ્રમાણે એક જ પૃથ્વી-સમૂહ નાના પ્રકારનો દેખાય છે, તે પ્રમાણે એક આત્મા સમસ્ત જગતરૂપ દેખાય છે. [1] કોઈ કહે છે એક જ આત્મા છે, અનેક નથી. પણ આરંભમાં આસક્ત રહેનારા પાપ કર્મ કરીને પોતે જ દુઃખ ભોગવે છે, બીજો કોઈ ભોગવતો નથી. [11-12] પાંચ ભૂતોના સમુદાયથી આત્માની ઉત્પત્તિ થાય છે. પ્રત્યેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org