________________ 02 માયારો- 231446 આ ગામ કે રાજધાનીમાં વિશાલ સ્થડિલ ભૂમિ નથી, વિશાલ સ્વાધ્યાય-ભૂમિ નથી, બાજોઠ, પાટ, પાટલા, શય્યા, સંસ્તારક આદિ સરળતાથી મળી શકતા નથી. અથવા પ્રાસુક એષણીક આહાર-પાણી સુલભ નથી, શાક્યાદિ અન્યતીર્થી સાધુ, બ્રાહ્મણ, ભિખારી એવું દરિદ્ર આદિની ઘણી ભીડ છે. અથવા તે આવવાના છે, વસ્તી સઘન છે. સાધુ માટે સ્વાધ્યાયાદિના નિમિત્તે અવર જવર સુગમ નથી. તે ગામાદિ કે રાજધાનીમાં ચાતુમસ કરવું ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જે ગામ યાવતું. રાજધાનીનાં સંબંધમાં એમ જાણે કે આ ગામ કે રાજધાનીમાં વિશાલ Úડીલ ભૂમી છે, વિશાલ સ્વાધ્યાય ભૂમિ છે, પાટ, પાટલા, શય્યા, સંસ્મારક સુલભ છે, પ્રાસુક એષણીક ભિક્ષા મળી શકી છે. જ્યાં અન્યતીર્થી શ્રમણાદિ ઘણા આવ્યા નથી ને આવવાના પણ નથી. જ્યાં વસ્તી સઘન નથી, અવર જવર કરવી સુગમ છે, એવા ગામ કે રાજધાની આદિમાં યતના પૂર્વક ચાતુમસ કરવું જોઈએ. જસાધુ અને સાધ્વી એમ જાણે કે- વર્ષાવાસ ના ચારમાસ વીતી ચૂક્યા છે અને હેમન્ત ઋતુના પણ પાંચ-દસ દિવસ વ્યતીત થઈ ગયા છે, પરંતુ માર્ગમાં ઘણા જ પ્રાણી યાવત્ જીવજન્તુઓ છે, ઘણા અન્યતીર્થી શ્રમણ બ્રાહ્મણાદિ આવ્યા.ગયા નથી, આવવા જવાવાળા પણ નથી, તો એમ જાણીને સાધુ કે સાધ્વી પ્રામાનુગ્રામ વિહાર ન કરે. વળી એમ જાણે કે ચારમાસ વ્યતીત થઈ ચૂક્યા છે અને હેમન્તના પણ પાંચ દસ દિવસ વ્યતીત થઈ ગયા છે, માર્ગમાં ઈડા તથા જીવજતુ આદિ નથી. લોકોની અવર-જવર થઈ ગઈ છે તો સાધુ-સાધ્વી યતનાપૂર્વક પ્રામાનુ-ગ્રામ વિચરે. f૪૪૮]સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં યુગ પરિમિતચાર હાથ ભૂમિ દેખાતા, ત્રસ આદિ પ્રાણીઓને જોઈને, પગ ઉંચા કરીને તેને ઉલંઘીને આગળ પગ રાખે અથવા પગ પાછો હટાવી લે અથવા તિર્થો કરીને રાખે. બીજો માર્ગ હોય તો યતના પૂર્વક બીજા માર્ગથી જાય, સીધા માર્ગથી ન જાય, એ પ્રમાણે યતના પૂર્વક જ એક ગામથી બીજે ગામ વિહાર કરે. સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતા હોય અને માર્ગમાં પ્રાણી, બીજ, હરિતકાય. સચિન પાણી, સચિત્ત માટી હોય તો બીજો માર્ગ હોવાપર તે સીધા માર્ગથી ન જાય. એ પ્રમાણે યતના પૂર્વક જ ગ્રામાનુગ્રામ વિચરણ કરે. ૪િ૯]એક ગામથી બીજે ગામ જતાં સાધુ-સાધ્વી માર્ગમાં વિવિધ પ્રકારના સીમાવર્તી આદિ સ્થળોમાં બનેલા ચોરોના સ્થાનોમાં, અથવા મ્લેચ્છો, અનાર્યો, દુરાય, અકાળે જાગવાવાળા અને અકાળે ખાવાવાળાના પ્રદેશમાં થઈને જતો હોય તો કેવળી ભગવાનનું કથન છે કે એમ કરવાથી કદાચિત કર્મ બંધનનું કારણ ઉપસ્થિત થાય છે. અજ્ઞાની અનાર્ય લોક મુનિને “આ ચોર છે આ ચોરનો સહાયક છે, અથવા આ ત્યાંથી આવેલ છે. આ પ્રમાણે કહીને સારૂં-નરસુ કહેશે, મારશે, પીટશે, યાવતું પ્રાણ પણ લઈ લેશે. અથવા વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણ છીનવી લેશે અથવા તેને તોડી નાખશે. લૂંટી લેશે. કે ફેંકી દેશે. એટલા માટે સાધુ-સાધ્વીના આ પૂર્વોપદિષ્ટ આચાર છે કે જયાં ચોરો અનાય આદિના સ્થાન હોય, ત્યાં થઈ વિહાર કરવાની ઈચ્છા ન કરે, અને રામાનુગ્રામ ન વિચરે પરંતુ આર્ય પ્રદેશમાં યતના પૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. [૫૦]એક ગામથી બીજે ગામ નાં સમયે સાધુ કે સાધ્વી, આર્યદેશમાં થઈને જવાનો રસ્તો વિદ્યમાન હોય તો આવા પ્રકારના પ્રદેશમાં થઈને ન જાય જેમકે જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org