SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ઉસો-૩ [૪૧]સાધુ અથવા સાધ્વી શય્યા બિછાવવા માટે ભૂમિ જોઈ ઈચ્છે તો આચાર્યો, ઉપાધ્યાયે, યાવત ગણાવચ્છેદક કે, બાળ-સાધુએ, વૃદ્ધ સાધુએ, નવદીક્ષિતે, બીમારે. અથવા નવા આવેલા મુનિ એ જે ભૂમિ શેકી હોય, તેને છોડી કિનારા પર મધ્ય ભાગમાં સમ કે વિષમ ભૂમિમાં પવનવાળી કે પવનરહિત ભૂમિમાં, યતના પૂર્વક પ્રતિલેખન કરી કરીને પ્રમાર્જન કરી-કરીને, યતના પૂર્વક બિછાવે. [૪૨]સાધુ અથવા સાધ્વી પૂર્વોક્ત વિધિ અનુસાર સંથારો બિછાવીને તે પ્રાસુક સંથારા પર યતના પૂર્વક શયન કરે. સાધુ-સાધ્વી બિછાનાપર સૂતી વખતે શરૂઆતમાં જ મસ્તકથી પગ સુધી આખું શરીર રજોહરણથી પૂંજીને, પછી યતના પૂર્વક પ્રાસુક સંસ્મારક પર આરૂઢ થાય. પછી યતના પૂર્વક તે પ્રાસુ, સંતાકર પર શયન કરે. [૪૪૩સાધુ અથવા સાધ્વી પ્રાસુક સંથારા પર શયન કરતી સમયે એવી રીતે શયન કરે કે એક સાધુના હાથથી બીજા સાધુનો હાથ, પગથી પગ અને શરીરથી શરીર ન અડકે. તેમ જ સાધ્વી પણ એવી રીતે શયન કરે કે બીજી સાથ્વીનાં હાથ, પગ એમ જ શરીરથી સ્પર્શ ન થાય. એવી રીતે બીજાની અશાતના ન કરતા યતનાપૂર્વક પ્રાસુક શય્યા પર શયન કરે. શયન કર્યા પછી સાધુ કે સાધ્વી ઉચ્છવાસ લેતા નિશ્વાસ મુક્તા, ખાંસી આવતાં, છીંક ખાતા, બગાસુ ખાતા, ઓડકાર ખાતા, અથવા વાયુ નિસર્ગ કરતા સમયે, પહેલેથી મુખ અથવા અપાન-દેશને હાથથી ઢાંકી પછી યતના પૂર્વક ઉચ્છવાસ લે. યાવતું વાતનિસર્ગ કરે. ૪]સાધુ કે સાધ્વી ક્યારેક સમ વસતિ મળે, ક્યારેકત વિષમ વસતિ મળે, ક્યારેક હવાવાળી મળે, ક્યારેક હવા રહિત મળે, ક્યારેક રજવાળી મળે કે રજરહિત મળે. ક્યારેક ડાંસ-મચ્છરોવાળી મળે કે ડાંસ મચ્છરોથી રહિત મળે, ક્યારેક પડી જાય તેવી મળે, ક્યારેક ન પડે તેવી મળે, ક્યારેક ઉપસર્ગવાળી મળે, ક્યારેક ઉપસર્ગ રહિત મળે. એમાંથી જેવી મળે તેવી ને સમભાવથી ગ્રહણ કરી લેવી જોઈએ. પ્રતિકૂલ ઉપાશ્રય મળવા પર પણ હૃદયમાં લેશમાત્ર ગ્લાનિ ન ધરે. આ સાધુસાધ્વીનો આચાર છે. એમા સદા યતના પૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. અધ્યયનઃ૨-ઉદેસો ૩ની યુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] અધ્યયન-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૩-ઈ) - ઉદસ-૧૪િ૪૫સાધુ અને સાધ્વી જાણે છે કે વર્ષાઋતુ આવી ગઈ. વષ થઈ ગઈ. ઘણા જીવ-જંતુઓ ઉત્પન્ન થઈ ગયા. ઘણા બીજ ઉગી નીકળ્યા-અંકુરિત થઈ ગયા. માર્ગમાં ઘણા પ્રાણી, ઘણા બીજ અને કીડી મકોડા આદિ હોય, માર્ગમાં ચાલવું કઠિન હોય. ઘાસ આદિ ઉગી નીકળવાના કારણે માર્ગ ઠીક રીતે દેખાતો પણ ન હોય. એમ જાણીને એક ગામથી બીજે ગામ વિહાર કરવો ન જોઈએ. યતના પૂર્વક વષવાસ (ચાતુમસોમાં એક જ ગામમાં નિવાસ કરવો જોઈએ. [૪૪]સાધુ અથવા સાધ્વી જે ગામ યાવત્ રાજધાનીના વિષયમાં એમ જાણે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy