________________ 80 આયારો- રર૩૪૩૪ પ્રતિજ્ઞાઓ જાણે. તે ચારમાંથી પહેલા પ્રતિજ્ઞા આ છે:- સાધુ અથવા સાધ્વી નામનો ઉલ્લેખ કરી સંસ્તારકની યાચના કરે, અથતુ કોઈ નિશ્ચિત સંસ્તારકનું નામ લઈને યાચના કરે, જેમકે-ઈક્કડ નામના ઘાસનો સંથારો, વાંસની છાલથી બનેલ સંથારો, જંતુક નામના ઘાસનો સંથારો, પરગ નામના ઘાસનો સંથારો, મોરપીંછનો સંથારો. સાધારણ ઘાસનો સંથારો, સોર નામના ઘાસનો સંથારો, દૂબનો સંથારો, શર નામના ઘાસનો સંથારો, પીપળાના પાનનો સંથારો અથવા પરાળનો સંથારો. આ સંથારાઓ- માંથી જે સંથારો લેવો હોય, તેનો સાધુ પહેલા જ વિચાર કરી લે અને કહેહે આયુષ્માન્ ! આ પૂર્વોક્તમાંથી કોઈ એક સંસ્તારક મને આપશો? આ પ્રકારના સંસ્મારકને સ્વયં યાચના કરી ગ્રહણ કરે અથવા બીજા મુનિ લાવીને આપે તો તે જો પ્રાસુક અને એષણીય હોય તો. ગ્રહણ કરે. આ પહેલી પ્રતિજ્ઞા છે. [૪૩પી બીજી પ્રતિજ્ઞા-સાધુ અથવા સાધ્વી સંસ્તારક જોઈને યાચના કરે. ગૃહસ્થ યાવત કર્મચારિણીને ઉપર કહેલ સંસ્મારક બતાવી દે અને પછી કહે-હે આયુષ્યનું આમાંથી કોઈ સંથારો મને આપશો? જો આપતો પ્રાસુક જણીને ગ્રહણ કરે. શેષ પહેલી પ્રતિજ્ઞાનુસાર સમજી લેવું આ બીજી પ્રતિજ્ઞા. - ત્રીજી પ્રતિજ્ઞા સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયમાં રહ્યા હોય તેને ત્યાં પૂર્વોક્ત સંસ્તારોમાંથી જે પ્રકારના હશે, તે પ્રકારના લઈશ. બીજાને ત્યાંથી લઈશ નહી. જેમ-ઈન્ડ નામના ઘાસનો યાવતુ પરાળ આદિનો. જો તેને ત્યાં સંસ્તારક મળી જાય તો ગ્રહણ કરે, ન મળે તો ઉક અથવા પલાંઠી આદિ આસનથી સ્થિત રહીને વિચરે. આ ત્રીજી પ્રતિજ્ઞા છે. ૪િ૩૬]ચોથી પ્રતિજ્ઞા-સાધુ અથવા સાધ્વી પહેલાથી જ બીછાવેલ સંસ્મારકની યાચના કરે. જેમ-પૃથ્વી શિલા. અથવા કાષ્ટ શિલા આદિ, એવું સંસ્તારક મળી જાય તો ગ્રહણ કરે, ન મળે તો ઉકડૂ આસન કરી કે પલાંઠી વાળી બેસે. આ ચોથી પ્રતિજ્ઞા છે. ૪૩૭આ ચાર પ્રતિજ્ઞાઓમાંથી કોઈ પ્રકારની પ્રતિજ્ઞા ગ્રહણ કરનારા અન્યોન્ય સમાધિપૂર્વક વિચરે. [૩૮]કોઈ સાધુ અથવા સાધ્વી સંથારક પાછું આપવાની ઈચ્છા કરે, પરન્તુ તેને પ્રતીત હોય કે આ ઈડાવાળુ અથવા જીવજંતુવાળું છે, તો એવું સંસ્મારક પાછું ન આપે. ૪૩૯]સાધુ અથવા સાધ્વી સંસ્તારક પાછુ આપવાની ઈચ્છા કરે અને તે સમયે જાણે કે આ ઈડા અને જીવ-જંતુઓથી રહિત છે, તો તેને સમ્યફ પ્રકારથી વારંવાર જોઈ, પૂંજી સંભાળી, આતાપના આપી, ખંખેરી યતના પૂર્વક પાછું આપે. [૪]સ્થિરવાસ કરનારા માસકલ્પ કરનારા અથવા એક ગ્રામથી બીજે ગામ. વિચરતા સાધુ અથવા સાધ્વીને મળ-મૂત્ર ત્યાગ કરવાનું સ્થાન પહેલાજ જોઈ લેવું જોઈએ. એમ કરવામાં ન આવે તો કેવળ જ્ઞાનિઓનું કથન છે કે કર્મબંધનું કારણ ઉપસ્થિત થાય છે. મળ-મૂત્રત્યાગ કરવાની ભૂમિ પહેલાં ન જોઈ હોય તો સાધુ અથવા સાધ્વી રાત્રિમાં અથવા વિકાલ માં મળ-મૂત્ર પરઠતા સમયે લપસી જાય અથવા પડી જાય. લપસતાં અથવા પડતા સમયે તે પોતાનો હાથ-પગ વગેરે કોઈ અંગોપાંગ ભાંગે અથવા પ્રાણી ભૂતો જીવો સત્વોની હિંસા કરશે. તેથી સાધુના આ પૂવપદિષ્ટ આચાર છે કે તે પહેલાંથી જ બુદ્ધિમત્તાપૂર્વક મળ-મૂત્ર ત્યાગવાના સ્થાનને જોઈ લે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org