________________ શ્રદ્ધા -2, અધ્યયન-ર, ઉદેસો-ર પ્રતીતિ અને રૂચિ કરતા શ્રમણો, બ્રાહ્મણ યાવત દરિદ્રોની ગણના કરી કરીને, તેના માટે મકાન બનાવે છે, જેમ શાળા યાવત ગૃહ આદિ, મુનિ જે એવી શાળા અથવા ગૃહ આદિ-માં નિવાસ કરે છે, એક બીજાના આપેલામાં રહે છે, તો તે મહા વર્ષ વતિ છે. ૪૧૮આ સંસારમાં પૂર્વ આદિ દિશાઓમાં કેટલાંક શ્રદ્ધાશીલ એવા હોય છે, જેઓ સાધુના આચાર ગોચર જાણતા નથી. તે ગૃહસ્થ શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ કરતા(પાંચ પ્રકારના નિર્ચથ, શાક્ય, તાપસ, ઐરિક અને આજીવિક) શ્રમણોને માટે મકાન બનાવે છે, જેમકે શાળા, યાવતુ ગૃહ આદિ, જે સાધુ આવી ગૃહ આદિ કોઈ પણ પ્રકારના ગૃહસ્થના આપેલ નિવાસસ્થાનમાં નિવાસ કરે છે તે સાવઘક્રિયા વસતિ છે. ૪૧]આ લોકમાં પૂર્વ આદિ ચારે દિશાઓમાં કોઈ કોઈ શ્રદ્ધાવાનું ગૃહસ્થ તથા તેમના નોકર-ચાકર આદિ હોય છે. તેઓને સાધુના આચાર ગોચર સમ્યક રીતે જ્ઞાત નથી હોતા. તેઓ સાધુ પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખતા થકા કોઈ એક સાધુના ઉદ્દેશ્યથી, શાળા યાવતું ભવન, ગૃહ આદિ બનાવે છે. પૃથ્વીકાયનો મહાન્ સમારંભ કરીને તથા અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો મહાન સમારંભ કરીને મહાન સંભ તથા મહાન આરંભ કરીને, વિવિધ પ્રકારના પાપકમોનું આચરણ કરીને, જેમકે તેને આચ્છાદિત કરીને લીંપીને બેઠક અથવા દ્વાર બંધ કરીને (શાળા આદિ તૈયાર કરાવે છે.) ત્યાં સચિત્ત પાણી પડેલું હોય છે, અગ્નિ સળગાવેલી હોય છે, જે સાધુ આવા પ્રકારની શાળા આદિમાં રહે છે, એક-બીજાના ધન ભેટ આપેલામાં રહે છે, તેઓ દ્વિપક્ષક્રિયાનું સેવન કરે છે, અર્થાત્ સાધુ થઈને પણ ગૃહસ્થની જેમ કાર્ય કરે છે. આયુષ્યમનું આ મહારાવધ ક્રિયા નામની વસતી છે. ૪૨૦આ જગતમાં પૂર્વઆદિ ચારે દિશાઓમાં (યાવતું સાધુઓ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ અને ઐચિ રાખતા કોઈ કોઈ ગૃહસ્થ-પોતાને માટે મહાન પૃથ્વીકાયનો સમારંભ કરીને, અપકાય વાવત્ ત્રસકાયનો સમારંભ સંરંભ અને આરંભ કરીને મકાન બનાવે છે. ત્યાં સચિત્ત પાણી હોય છે. આગ સળગતી રહે છે. જે મુનિ આવા સ્થાનમાં જાય છે, એક-બીજાના આપવાથી તેમાં ઉતરે છે, તે એકપક્ષી કર્મનું સેવન કરે છે. હે આયુષ્મનું ! આ અલ્પસાવદ્યક્રિયા વસતિ છે. તેમાં રહેવામાં દોષ નથી. પૂર્વોક્ત નવ પ્રકારની વસતિઓમાં અભિક્રાંતક્રિયાવાળી અને અધ્યપક્રિયાવાળી વસતિ સાધુને ઉતરવા યોગ્ય છે, શેષ સાત અયોગ્ય છે.) આ મુનિનો તથા આયનો આચાર છે. તેનું યથાવિધિ પૂર્ણરૂપથી પાલન કરતા મુનિએ સંયમમાં યતનાશીલ થવું જોઈએ. [ અધ્યયનઃ૧-ઉદેએ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન ૨-ઉદેસોઃ 3) [421] અહીં આહારપાણીની તો સુલભતા છે. પરંતુ નિર્દોષ ઉપાશ્રય દુર્લભ છે. કારણ કે સાધુ માટે કોઇક સ્થાનમાં છત બનાવેલ હોય છે, તો વળી કોઈ સ્થાન લીધેલ હોય, ક્યાંક સંસ્મારક બિછાવવા માટે વિષમ ભૂમિને સમ કરેલ હોય અને વળી કોઇક જગ્યાએ દ્વાર નાના-મોટા કર્યા હોય, ઈત્યાદિ દોષોના કારણે શુદ્ધ નિર્દોષ ઉપાશ્રય મળવો કઠીન છે. અને બીજી વાત એ છે કે શય્યાતરનો આહાર સાધુને કલ્પતો નથી, અને જો ન લે તો ઘણા શય્યાતર ગૃહસ્થો છુષ્ટ થઈ જાય છે. જે ક્યારેક ઉક્ત દોષોથી રહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org