SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ આયારો- 223/421 ઉપાશ્રય મળી પણ જાય, તો પણ સાધુની આવશ્યક ક્રિયાને યોગ્ય ઉપાશ્રય મળવો મુશ્કેલ છે કારણ કે સાધુ ચયવાન, કાયોત્સર્ગ કરનાર, એકાંતમાં સ્વાધ્યાય કરનાર તથા શયા સંસ્મારક અને પિંડપાત ની શુદ્ધ ગવેષણા કરનાર છે. તેથી ઉક્ત ક્રિયા યોગ્ય ઉપાશ્રય મળવો મુશ્કેલ છે. એમ કેટલાક સરળ, નિષ્કપટી તેમજ મોક્ષપથગામી ભિક્ષ, ઉપાશ્રયના દોષ બતાવે છે. કેટલાક ગૃહસ્થ સાધુની સાથે છળ કરે છે, અને કહે છે કે આ મકાન ઉપર છત પહેલા કરેલ હતી, આપને માટે નથી કરી. ત્યાર પછી આ ખાલી રાખેલ છે, અથવા આ ભાગમાં આવેલ છે, અથવા તમે તેને જો ઉપયોગમાં લેશો નહિ તો ખાલી પડ્યું રહશે. આવા પ્રકારના ગૃહસ્થના છલ-કપટો સાધુ સમજે અને સ્થાનને દૂષિત જાણી તેનાં દોષો કહી દે. શિષ્ય પૂછે છે કે સ્થાનના દોષ કહી દેનાર મુનિ શું સમ્યક વક્તા છે? આચાર્ય કહે છે- હા વાસ્તવિક દોષ બતાવનારા મુનિ સમ્યક વક્તા છે. [422] સાધુ અને સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે આ ઉપાશ્રય નાનો છે. નાના દરવાજા વાળો છે. અથવા નીચો છે, કે બીજા અતિથિના સામાનથી રોકાયેલ છે, તો આવા પ્રકારના ઉપાશ્રયમાં રાત્રિએ અથવા વિકાળે, નીકળતા કે પ્રવેશ કરતાં આગળ હાથ પસારીને પછી પગ સાવધાની પૂર્વક મૂકીને બહાર નીકળવું કે પ્રવેશવું જોઇએ કેવળી ભગવાનનું કથન છે કે આવો ઉપાશ્રય કર્મબંધનનું કારણ છે. કેમકે તેવા ઉપાશ્રયમાં અન્યતીર્થિકો અથવા બ્રાહ્મણાદિના, છત્ર, પાત્ર, દંડ, લાકડી, આસન, વાંસની લાંબી લાકડીઓ, વસ્ત્ર, મૃગછાલ, પડદો, ચામડાની કોથળી, ચામડા કાપવાના ઓજાર, અવ્યવસ્થિત જ્યાં ત્યાં વિખરાયેલાં હોય, અને સાવધાની રાખ્યા વિના અલિત થતો સાધુ રાત્રે અથવા વિકાલે ત્યાંથી નીકળે કે પ્રવેશ કરે; તો કાં લપસી પડે, લપસતો કે પડતો પોતાનો હાથ-પગ ભાંગે અને પ્રાણી, ભૂત જીવ, સત્વની હિંસા કરે. એટલા માટે સાધુનો એજ પૂવોંપાદિષ્ટ આચાર છે, કે તેને તેવા ઉપાશ્રયમાં આગળ હાથ પ્રસારીને પાછળ પગ સંભાળીને યતનાપૂર્વક પ્રવેશવું કે નીકળવું જોઈએ. 423] સાધુ સારી રીતે વિચારીને ધર્મશાળામાં સ્થાનની યાચના કરે. ત્યાં સ્થાનનો જે સ્વામી હોય અથવા અધિકારી કાર્યકર્તા હોય, તેઓ પાસે સ્થાનની યાચના કરતાં કહે કે હે આયુષ્યમનું! તમારી આજ્ઞાનુસાર સમ અને ભૂભાગ સુધી અમે અહિંયા નિવાસ કરીશું. આજ્ઞા આપનાર કહે-ભલે આયુષ્યમનું બ્રાહ્મણ ! અહિંયા નિવાસ કરો. ત્યારે મુનિએ કહેવું જોઇએ કે જેટલા સ્વધર્મી સાધુઓ આવશે તે પણ અહીંયા રહેશે. અને ત્યાર બાદ સમયપૂર્ણ થતાં અમે બધા અન્યત્ર વિહાર કરીશું. 4i24] સાધુ-સાધ્વી જેના સ્થાન મકાનમાં રહે, તેનું નામ ગોત્ર પહેલા જાણી લે. ત્યાર પછી તેના ઘરનું આમંત્રણ મળે કે ન મળે તો પણ ચાર પ્રકારનો આહાર લેવો તે અપ્રાસુક છે. જે તે આપે તો પણ ગ્રહણ કરવો ન જોઈએ. ૪૨પસાધુ-સાધ્વી જે ઉપાશ્રયને એવો સમજે કે આ ગૃહસ્થના સંસર્ગવાળો છે. અગ્નિકાય જલકાયથી યુક્ત છે, તેમાં પ્રજ્ઞાવાન સાધુને નિષ્ક્રમણ, પ્રવેશ, વાચના કે મનન ચિંતનાદિમાં વિઘ્ન આવશે એમ જાણી એવા ઉપાશ્રયમાં નિવાસ કરવો ન જોઈએ,શય્યા-આસન આદિ ન કરવા જોઈએ અને સ્વાધ્યાય માટે પણ ન બેસવું જોઈએ. [૪૨૩સાધુ-સાધ્વી જે ઉપાશ્રયને એવો જાણે કે ગૃહસ્થના ઘર વચ્ચેથી આવાગમન કરવાનો માર્ગ છે. અને આવવા જવામાં પ્રતિબંધ થાય છે. સ્વાધ્યાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy