________________ હર આયારો- 21/11/397 શેષ પારૈષણા પિંડષણાની જેમ જાણી લેવી. [૩૯૭]આ સાત પિડષણાઓ અને પાનૈષણાઓમાંથી કોઈપણ એક પ્રતિમાને ધારણ કરનાર મુનિ એવું ન કહે કે બીજા સાધુઓ. સમ્યક્ પ્રકારથી પ્રતિમા વહન કરતા નથી. હું એકલો જ શુદ્ધ પ્રતિમાને વહન કરું છું. તેણે એમ બોલવું જોઈએ આ સર્વ સાધુઓ જિનાજ્ઞા પ્રમાણે વિચરે છે. તે સર્વ જિનાજ્ઞામાં ઉદ્યત થતા પરસ્પર સમાધિ ઉત્પન્ન કરીને વિચારી રહ્યા છે. | અધ્યયનઃ૧-હસો-૧૧-ની મુનિદીપરાનસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | અધ્યયન-ગુર્જરછાયા પૂર્ણ ( અધ્યયનઃ૨-શધ્યેષણા -ઉો -1 - [૩૯૮]સાધુ કે સાધ્વી ગ્રામ નગર યાવતુ રાજધાનીમાં પ્રવેશ કરી ત્યાં રહેવાની ઈચ્છા હોવાથી ઉપાશ્રય ગવેષણા કરે. જે ઉપાશ્રય, ઠંડા કે કીડી, મકોડા વગેરેથી યુક્ત હોય તેમાં ન રહે. શય્યા કે સ્વાધ્યાયાદિ પણ ન કરે. સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયને ઈંડા યાવતુ જીવ જંતુઓ થી રહિત જણે તેનું સારી રીતે પ્રતિલેખન-પ્રમાર્જન કરી વસે, બેસે શપ્યા પાથરે અને સ્વાધ્યાયાદિ કરે. સાધુ કે સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે આ સ્થાન કોઈ એક સાધુના નિમિત્તે ગૃહસ્થ પ્રાણીઓ, ભૂતો, જીવો, સત્ત્વોનો આરંભ કરી બનાવેલ છે, ખરીદેલ છે, ઉધાર લીધેલ છે. બળજબરીથી છિનવી લીધેલ છે અથવા તેના માલિકની આજ્ઞા વિના પ્રાપ્ત કરેલ છે, સામે લાવેલ છે, આવા પ્રકારનો ઉપાશ્રય કદાચ તેના માલિકે બીજાને સોપી દીધેલ હોય તે વ્યક્તિએ તેનું સેવન હજૂ કરેલ ન હોય તો તે દૂષિત છે, માટે તેમાં રહેવું કે સ્વાધ્યાયાદિ કરવા કહ્યું નહીં. એવી જ રીતે ઘણા સાધ્વીઓ માટે તેમજ એક સાધ્વી માટે અથવા ઘણા સાધ્વીઓ માટે બનાવેલ ખરીદેલ વગેરે હોય તો તેણે તેમાં રહેવું, શય્યા કરવી કે સ્વાધ્યાયાદિ કાર્યો કરવા યોગ્ય નથી. સાધુ કે સાધ્વી ઉપાશ્રય વિષે એમ જાણે કે આ ઉપાશ્રય ઘણા તીર્થિઓ કે દરિદ્રો વગેરેને ગણી-ગણીને, તેઓના નિમિત્તે પ્રાણી ભૂતાદિનો આરંભ-સમારંભ કરીને બનાવેલ છે, તે પણ અકલ્પનીય છે. તેમાં સ્વાધ્યાયાદિ કાર્યો ન કરે. સાધુ-સાધ્વી ઉપાશ્રયના વિષયમાં એવું જાણે કે આ ઘણા શ્રમણાદિ ને ઉદ્દેશીને પ્રાણી-ભૂતાદિ નો સમારંભ કરીને બનાવેલ છે, અને જે ગૃહસ્થ આપી રહ્યો છે, તે ગૃહસ્થને હજુ ઉપાશ્રયના માલિકે સુપ્રત. કરેલ નથી, તો તે સ્થાન રહેવા યોગ્ય નથી. તેથી ત્યાં વાસ સ્વાધ્યાયાદિ કરે નહીં. વળી જો સાધુ એમ સમજે કે આ ઉપાશ્રય બીજા લોકોએ કામમાં લઈ લીધેલ છે તો (સ્વામીની આજ્ઞા પ્રાપ્ત કરી, સારી રીતે પ્રતિલેખન-પ્રમાર્જન ન કરી ઉપયોગમાં લે, તેમ જ યતનાપૂર્વક સ્વાધ્યાયાદિ ક્રિયાઓ કરે. સાધુ કે સાધ્વી એમ સમજે કે આ ઉપાશ્રય કોઈ ગૃહસ્થ ભિક્ષના નિમિત્તે બનાવેલ છે. પાટિયાની દીવાલથી અથવા વાંસની ખપાટીથી બનાવેલા છે, દર્ભ આદિથી છજાવેલ છે, ગોબરથી લીંપેલ છે, ચૂના આદિ લગાવીને ઠીક કરેલ છે, ભીંત આદિ ઘસીને સ્વચ્છ કરેલ છે, અને એ પ્રકારનો સાફ સુથરા અને મરામત કરેલ ઉપાશ્રય સ્વામી દ્વારા કામમાં લીધેલ ન હોય તો સેવન કરવા યોગ્ય નથી. તેમાં સ્થિતિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org