________________ 70 આયારો- ર૧/૧૦/૩૯૨ કરવું ન જોઈએ. કદાચ ગૃહસ્થ આગ્રહ પૂર્વક જબરદસ્તીથી આપી દીએ તો ન તેના ઉપર આસક્તિ રાખે કે ન તેના ઉપર દ્વેષ કરે, સાધુ તે લઈને એકાંતમાં જય અને ત્યાં જઈને ઉદ્યાન અ થવા ઉપાશ્રયમાં બેસી, ડાથી રહિત અને જીવ જંતુઓથી રહિત ભૂમિ જોઈને તે લાવેલ ગરભ અને મત્સ્ય વનસ્પતિનો ઉપયોગ કરીને, તેમાંથી કાઢેલ ઠળિયા તથા કાંટાને લઈને એકાંતમાં જાય. એકાંતમાં જઈને દગ્ધાદિ અચિત્ત ભૂમિમાં યાવતું પ્રમાર્જન કરીને પરઠવી દે [૩૩]સાધુ અથવા સાધ્વી યાચવા જતાં ગૃહસ્થ પોતાના પાત્રમાં વિટલૂણ-) કે ઉભિજ મીઠું લાવીને, તેમાંથી થોડો ભાગ દેવા લાગે ત્યારે તે નિમક આદિ ગૃહસ્થના પાત્રમાં અથવા હાથમાં હોય ત્યારે જ સાધુએ કહી દેવું જોઈએ કે આ અપ્રાસુક છે. મને નહિ કહ્યું. કદાચિત અજાણતાં લેવાઈ જાય તો અને થોડું દૂર ગયા પછી ખ્યાલ આવે તો તેને લઈને ગૃહસ્થના ઘેર પાછા ફરી એ વસ્તુ પહેલાં બતાવીને પૂછે-આયુષ્યનું ! તમે આ જાણી જોઈને આપ્યું છે કે જાણીને નથી આપ્યું. પરંતુ હવે હું આ વસ્તુ આપને આપું છું. આપ એનો ઉપયોગ કરો. આ પ્રમાણે જે વસ્તુને માટે ગૃહસ્થ અનુમતિ આપી હોય અથવા જણાવી દીધું હોય તો તેને યતનાની સાથે ભોગવે અથવા પીવે અથવા એને પોતે ખાઈ-પી ન શકે તો ત્યાં જે સ્વધર્મ, સંભોગી, સમનોજ્ઞ અને વ્રતધારી હોય તેમને આપી દીએ અથવા સ્વધર્મી સંત ત્યાં ન હોય તો વધારે આહાર પરઠવાની વિધિ અનુસાર પરઠવી દે. સાધુ અને સાધ્વીનો આ આચાર છે, તેનું યતનાપૂર્વક પાલન કરવું જોઈએ | અધ્યયન 1- ઉદેસા-૧૦મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂણી (અધ્યયનઃ૧ ઉદ્દેસઃ૧૫) [૩૯૪]એક સ્થાનમાં રહેલા અથવા વિચરતાં આવેલાં સંભોગી અથવા વિસંભોગી સાધુઓએ, મનોજ્ઞ ભોજન પ્રાપ્ત કરીને કોઈ સાધુઓને કહે, “આ આહાર આપ લઈ લેજો અને આપની સાથે જે બીમાર મુનિ છે તેમને આપજો. જો બીમાર મુનિ તેનો ઉપભોગ ન કરે તો આપ ઉપભોગ કરી લેજો તે મુનિ મનોજ્ઞ ભોજન લઈને જો એવો વિચાર કરે કે હું જ એકલો આ આહાર ખાઈ લઉં અને તેને છુપાવી બીમાર મુનિને કહે આ ભોજન લૂખ્યું છે, સૂકું છે, તીખું છે, કડવું છે, તુરું છે, ખાટું છે, મીઠું છે, આ બીમાર માટે યોગ્ય નથી. તો તેવા પાપાચારી સાધુ માતૃ સ્થાનનો સ્પર્શ કરે છે. એમ કરાય નહિ. પરંતુ જેવું ભોજન લાવ્યા હોય તેવું બીમારને બતાવે અને હોય તેવું જ કહે, તીખું હોય તો તીખું, કડવું હોય તો કડવું, તુરું હોય તો તુરું કહે ખાટાને ખાટુંમીઠાને મીઠું કહે. ૩િ૯૫એક સ્થાન પર સ્થિર અથવા ગ્રામાનુગ્રામ વિચરતાં. આવેલા સંભોગી અને વિસંભોગી સાધુઓમાં કોઈ ભિક્ષુએ મનોજ્ઞ-મનોજ્ઞ આહાર પાણી પ્રાપ્ત કરીને કહે-આપના સાથી કોઈ મુનિ બીમાર છે, આ મનોજ્ઞ આહાર લઈ તેને આપજો જો બીમાર મુનિ તેનો ઉપયોગ ન કરે તો તમે અમારી પાસે પાછો લઈ આવજો. આહાર લેવાવાળા મુનિએ ઉત્તર આપે- જો કોઈ અંતરાય નહિ હોય તો પાછો લાવીને આપને આપી જઈશ. (એમ કહીને આહાર લઈ જાય અને બીમાર મુનિને સાચું ખોટું સમજાવીને પોતે જ લોલુપતાવશ ખાઈ જાય અને જ્યારે સમય વીતી જાય ત્યારે બહાનું કાઢીને અમુક કારણસર આહાર પાછો લાવી શક્યો નથી' એમ કહેવું તે કર્મબંધનું કારણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org