SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ o આયારો-રજા૩૫૭ રાગની ચિંતા માટે અવકાશ છે. એવું જાણીને અપવાદરૂપમાં પૂર્વ સંખડી જિમણવારી અથવા પશ્ચાતુ સંબડીમાં, જમણવારીના વિચારથી જવાનું વિચારે. [35] સાધુ અથવા સાધ્વી આહારપાણી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે પરતું દૂઝણી ગાયો દોહાઈ રહી હોય, અશનાદિને રાંધવાની ક્રિયા ચાલુ હોય. અથવા પહેલા આવેલાને દેવાઈ ગયું નથી, એમ દેખીને ગૃહસ્થના ઘરમાં આહાર -પાણી માટે પ્રવેશ ન કરે. ગૃહસ્થના ઘેર સાધુ કદાચિત્ પહોંચી ગયા હોય તો ઉપર કહેલા કારણોમાંથી કોઈ પણ કારણ દેખીને એકાંતમાં ચાલ્યા જાય, જ્યાં આવાગમન ન હોય અને કોઈ દેખી ન શકે, એવા સ્થાનમાં ઉભા રહે અને જ્યારે જુએ કે દુઝણી ગાયો દોહાઈ ગઈ છે, ભોજન રંધાઈ ગયું છે, ત્યારે યતનાપૂર્વક આહાર-પાણી માટે પ્રવેશ કરે. [૩પ૮] સ્થિરવાસ કરવાવાળા અથવા માસકલ્પથી વિચરવાવાળા કોઈ મુનિ, નવા આવવાવાળા મુનિઓને કહે કે આ ગામ નાનું સરખું છે અને એમાં પણ કેટલાક ઘર પ્રસૂતી આદિ કારણોથી રોકાયેલા છે. આ ગામ મોટું નથી. એટલા માટે હે પૂજ્ય મુનિવરો! આપ ગામથી બહાર કોઈ બીજા ગામમાં ગોચરી માટે પધારો. એમ સાંભળી ને નવા આવેલા મુનિઓએ બીજા ગામમાં ગોચરી માટે જવું જોઈએ. તે ગામમાં કોઈ સાધુના માતાપિતા આદિ પૂર્વ સંબંધી અથવા સસરાદિ પશ્ચાત્ સંબંધી નિવાસ કરતા હોય, જેમકે :- ગૃહસ્થ, ગૃહસ્થપત્ની, પુત્ર, પુત્રી, ગૃહસ્થની પુત્રવધૂ, ધાત્રીમાતા, દાસ, દાસી, કર્મચારી, કર્મચારિણીઓ વગેર, તેથી કોઈ સાધુ એવો વિચાર. કરે કે પહેલા તેઓના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરીશ તો મને અન્ન, રસમય પદાર્થ, દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, મધ, માંસ, પૂડી, રાબ, પૌવા, શ્રીખંડ વગેરે ઉત્તમ ભોજન મળશે. તે ઉત્તમ ભોજન લાવી ખાઇ-પદને પાત્ર સાફ કરી લઈશ. ત્યાર પછી બીજા સાધુઓ સાથે આહાર-પાણી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીશ અથવા પ્રવેશ માટે નીકળીશ. આવો વિચાર કરતા સાધુ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. સંયમમાં ધેષ લગાડે છે. એમ કેવળી ભગવાન ફરમાવે છે. માટે આવો વિચાર પણ કરવો ન જોઈએ. પરંતુ બીજા સાધુઓ સાથે ભિક્ષાના સમયે ગૃહસ્થના ઘરોમાં પ્રવેશ કરી અનેક ઘરોમાંથી શુદ્ધિપૂર્વક નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી આહાર કરવો જોઈએ. સાધુ અને સાધ્વીનો આજ આહાર ગ્રહણ કરવાનો આચાર છે. અધ્યયનઃ૧-ઉદસો:૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃ ૧-ઉદસો 5 ) [૩પ૯] કોઈ સાધુ અથવા સાધ્વી આહાર માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને આ અગ્રપિંડ કાઢતાં દેખીને, અગ્રપિંડ બીજા સ્થાને રાખતા દેખીને, અગ્રાપિંડ ફેંકી દેતાં દેખીને અથવા બીજા લોકોએ પહેલા જમી લીધુ છે અથવા અન્ય તીર્થિક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર અને ભિખારી તેને ખાઈને જલદી ફરીવાર લેવા જઈ રહ્યા છે, એમ દેખીને કોઈ સાધુ એમ વિચારે કે તે ભોજનને લેવા માટે હું પણ જલ્દી-જલદી જાઉં, તો એવો વિચાર કરનાર સાધુ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. એથી એવું કરવું ન જોઈએ. [36] સાધુ અથવા સાધ્વી અશનાદિ માટે મોહલ્લામાં, ગલીમાં, અથવા. ગ્રામાદિમાં પ્રવેશ કરતાં વચ્ચે માર્ગમાં ટેકરાઓએ ખાઈ, કે બાંધેલ ગઢની દીવાલો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy