SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉદેસી-૧ તોરણદ્વારી હોય અથવા આગળની દીવાલ કે વાડ હોય તો પોતાનું સામર્થ્ય હોવા છતાં પણ તેવા માર્ગમાં ચાલે નહિ. બી માર્ગ હોય તો તે માર્ગપર થઈને જાય એમ કેવળી ભગવાન કહે છે. એવા માર્ગે ચાલવું તે કર્મબંધનું કારણ છે. પૂર્વોક્ત સીધા માર્ગમાં જતા. સાધુનો પગ લપસી જાય અથવા પડી જાય અને લપસવાથી કે પડવાથી પોતાને પીડા થાય અને બીજા જીવોને પીડા પહોંચે. તેનું શરીર મળ, મૂત્ર, કફ, લીંટ, વમન, પિત્ત, પર, વીર્ય અથવા રુધિરથી ખરડાઈ જાય, યતના કરતાં પણ કદાચિત્ એવું થઈ જાય તો સાધુ ખરડાયેલા પોતાના શરીરને સચિત્ત પૃથ્વી (માટી)થી, ભીની માટીથી, બારીક રજવાળી માટીથી, સચિત્ત પત્થર, સચિત્ત માટીના ઢેફાથી અથવા ઊધઈના રાફડાથી અથવા જીવ સાહિત લાકડાથી ઘસીને સાફ ન કરે. વળી ઈડા સહિત, પ્રાણ સહિત કે તાંતણા સાહિત વનસ્પતિ વડે પણ તે શરીર લૂછે નહિ કે સાફ કરે નહિ, ખણે નહિ કે ખોતરે નહિ. મર્દન કરે નહિ કે થોડું ઘણું તપાવે નહિ. પરંતુ સચિત્ત રજથી રહિત ઘાસ, પાન, કાષ્ઠ, કિંકર આદિની યાચના કરે. યાચના કરીને એકાંતમાં જાય. એકાંતમાં જઈને દગ્ધભૂમિ અથવા એવી જાતની કોઈ અચિત્ત ભૂમિ હોય તેનું વારંવાર પ્રતિલેખન કરીને અને પ્રમાર્જન કરીને વતનાપૂર્વક તેનાથી શરીરને ઘસે, યાવતુ સ્વચ્છ કરે. 361 સાધુ અથવા સાધ્વી ભિક્ષા લેવા જતા માર્ગમાં દુષ્ટ મદોન્મત્ત સાંઢ, પાડો, મનુષ્ય અશ્વ, હાથી, સિંહ, વાઘ, દીપડો, રીંછ, તરશ, સરભ (અષ્ટાપદ), શિયાળ, બિલાડો, કૂતરો, વરાહ સૂઅર, લોંકડી કે ચિત્તચિલ્લડય-એક જાતનું જંગલી જાનવર ઊભું જણાય અને બીજો રસ્તો હોય તો તે ભય ભરેલો સીધે રસ્તે ન જતાં બીજા રસ્તેથી જાય. સાધુ અથવા સાધ્વી માર્ગમાં જતાં હોય ત્યારે તે માર્ગમાં ખાડા, ટૂંઠા, કાંટા, જમીનનો ઢોળાવ, તીરાડ, વિષમતા અથવા કીચડ આદિ હોય તો તેવા માર્ગે નહિ ચાલતાં બીજો માર્ગ હોય તો તે માર્ગ પર થઈને જાય. [32] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશતાં દ્વાર ભાગને કાંટાની. ડાળીથી ઢાંકેલ દેખીને પહેલાં ગૃહસ્વામીની અનુજ્ઞા લીધા વિના, સારી રીતે જોયા વિના અને પંજયા વિના તે દ્વાર ઉઘાડી. પ્રવેશ કરે. ઘરના સ્વામીની આજ્ઞા લઈએ ને પછી પ્રતિલેખન કરી કરીને પૂંજી-મૂંજીને તનાપૂર્વક ખોલીને પ્રવેશ કરે અથવા નીકળે. [33] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પહેલા પ્રવેશેલા કોઈ શ્રમણ, બ્રાહ્મણ, અથવા ભિક્ષક આદિને જોઇને એવી જગ્યાએ ન ઉભા રહે કે તેઓ તેને જોઈ શકે અથવા તેઓને જવાના દ્વારમાં પણ ઉભા ન રહે. કેવળ જ્ઞાનીનું ફરમાન છે કે તે કર્મબંધનનું સ્થાન છે. સાધુને એવી જગ્યા પર ઉભા રહેતાં દેખીને ગૃહસ્થ સાધુ માટે આહાર બનાવશે, તેથી પૂવક્ત કથન અનુસાર એવી પ્રતિજ્ઞા, એવો હેતુ અને એવો. ઉપદેશ આવશ્યક છે કે એવી જગ્યા પર ઉભા ન રહેવું કે જ્યાંથી તેઓ જોઈ શકે. પરંતુ મુનિ કોઈને પહેલાં આવેલા જાણીને એકાન્ત સ્થાનમાં ચાલ્યા જાય અને એકાંતમાં જઈને એવી જગ્યાએ ઉભો રહે કે જ્યાં બીજાનું આવાગમન ન હોય બીજા જોઈ ન શકે. કદાચિતુ એકાન્તમાં સ્થિર સાધુને ગૃહસ્થ અશન આદિ લાવીને આપે અને કહે કે તું આયુષ્યનું શ્રમણ ! આપ બધા લોકો માટે આ આહાર મેં આપ્યો છે, એથી આપ સર્વ ખાઓ અને વહેંચી લ્યો. ગૃહસ્થનું આ કથન સાંભળીને સાધુ ચૂપચાપ ગ્રહણ કરીને મનમાં વિચારે કે આ આહાર માત્ર મારા જ ચોગ્ય છે. તો એવો વિચાર કરનાર સાધુ માતૃસ્થાનનો સ્પર્શ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy