________________ શ્રુતસ્કંથ-ર, અધ્યયન-૧, ઉદેસી-૧ 55 જાણે કે ચોખા, મક્કાઈ આદિની પલંબ ધાણી-મમાં ઘણા ફોતરાવાળી વસ્તુ. ઘઉં આદિના અધપકવ શીર્ષક, ઘઉં આદિનું ચૂર્ણ ચોખાનો લોટ, એક વાર આગમાં સેકાયેલો છે અર્ધ કાચો છે તો તેને અપ્રાસુક અને અષણિક માનીને મળવા પર પણ ગ્રહણ ન કરે. [338] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને જો જાણે કે આ ધાણી થાવતુ ચોખાનો લોટ આદિ ઘણીવાર આગમાં પકાવ્યો છે, અથવા ભેજાવેલ છે. બેવાર, ત્રણવાર સેકાયેલો છે. અને પ્રાસક તથા એષણિક છે તો તે મળવા પર પ્રહણ કરે. અભિપ્રાય એ છે કે કોઇ પણ વસ્તુ અગર દુષ્પકવ હોવાને કારણે સચિત્ત જણયા તો તેને નહિ લેવી જોઈએ. જો અચિત્ત થઈ હોય તો એષણિક જાણી ગ્રહણ કરે. સાધુ અથવા સાધ્વી આહાર પાણીની અભિલાષાથી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરતા હોય ત્યારે અન્ય તીર્થિકો તાપણો અથવા શાક્યાદિ શ્રમણોની સાથે અથવા બ્રાહ્મણ આદિ ગૃહસ્થ ભિખારીઓની સાથે પ્રવેશ ન કરે. એવી જ રીતે ઉઘુક્ત વિહારી સાધુ પાર્શ્વસ્થ કશીલ આદિ શિથિલ આચારવાળાઓની સાથે પણ પ્રવેશ ન કરે, અને તેની સાથે બહાર પણ ન નીકળે; સાધુ અથવા સાધ્વી વિચારભૂમિ સ્થિડિલ જવાની જગ્યા અથવા વિહારભૂમિ (સ્વાધ્યાયભૂમિમાંથી નીકળતા હોય અથવા પ્રવેશ કરતા હોય ત્યારે અન્ય તીર્થિક સાધુઓની સાથે અથવા ગૃહસ્થોની સાથે બહાર ન નીકળે, ન પ્રવેશ કરે. એવી જ રીતે ઉગ્ર વિહારી સાધુ શિથિલાચારીની સાથે વિચારભૂમિ અથવા. વિહારભૂમિમાંથી ન નીકળે અથવા ન પ્રવેશ કરે.. સાધુ અથવા સાધ્વી જ્યારે એક ગામથી બીજે ગામ જાય ત્યારે અન્ય તિર્થિકો આદિની સાથે વાવતું એક ગામથી બીજે ગામ ન જાય. [33] સાધુ અથવા સાધ્વી યાવતુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને અન્ય તીર્થિકો ને અથવા ગૃહસ્થોને તથા ઉગ્રવિહારી સાધુ શિથિલાચારીઓને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર ન પોતે આપે કે ન બીજા પાસે અપાવે. [34] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષાને માટે પ્રવેશીને જે આહારના વિષયમાં એમ જાણે કે આ અશનાદિ “આ સાધુ નિધન છે એમ વિચારીને કોઈ એક સાધર્મિક સાધુ માટે પ્રાણીઓ, ભૂતો, જીવો, અને સત્વોનો આરંભ સમારંભ કરીને તૈયાર કર્યો છે. ઉદિષ્ટ છે, ઉધાર લીધો છે, જબરજસ્તીથી ઝુંટવી લીધો છે, એ (આહાર)ના બધા સ્વામિઓની સ્વીકૃતિ વિના આપેલ છે, ગૃહસ્થ દ્વારા સામે લાવેલ છે, એવી જ રીતે કોઈ પણ દોષથી દૂષિત ગૃહસ્થ દ્વારા આપેલો એવો આહાર, ચાહે તે ગૃહસ્થ બીજા પુરૂષને આધીન કરેલ હોય અથવા તે પોતે જ આપી રહ્યો હોય, ઘરથી બહાર લાવેલો હોય, ઘરની અંદર જ હોય, ઘતાએ તેને પોતાનો કરીને રાખેલ હોય અથવા ન રાખેલ હોય, તેણે પોતાના ઉપયોગમાં લીધેલ હોય અગર ન લીધેલ હોય, તો પણ તે આહાર આદિને અપ્રાસક અને અનેષણિક જાણીને ગ્રહણ ન કરે. એવી જ રીતે ઘણા સાધર્મિક સાધુઓ માટે, એક સાધ્વી માટે, અથવા ઘણા સાધ્વીઓ માટે બનાવેલ હોય, એ પ્રમાણે ચાર આલાપક કહેવા જોઈએ. 31] સાધુ અથવા સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જે આહારના વિષયમાં એમ જાણે કે આ આહાર ઘણા જ શાક્ય આદિ શ્રમણો, બ્રાહ્મણો, અતિથિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org