SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પહ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯, હસો-૪ (અધ્યયનઃ ૯-ઉદેસ: 4 318-31] ભગવાન મહાવીર નીરોગી હોવા છતાં પણ અલ્પાહાર કરતા હતા. ભગવાનનું શરીર સ્વભાવતઃ નીરોગ હતું. તેમને રોગ ન થાય અથવા થાય તો પણ તેઓ ઔષધની અભિલાષા કરતા નહિ. જુલાબ, વમન, શરીર પર તેલનું મર્દન, સ્નાન, હાથ-પગાદિ દબાવવા, દાંત સાફ કરવા ઈત્યાદિ ક્રિયાઓનો દેહાધ્યાસથી રહિત ભગવાને ત્યાગ કર્યો હતો. 3i20-314] ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત ભગવાન અલ્પભાષી થઇ વિચરતા હતા. ક્યારેક ક્યારેક શીયાળામાં છાયામાં બેસી ધ્યાન કરતા. ઉનાળામાં તાપના સન્મુખ ઉત્કટ આસને બેસતા અને આતાપના લેતા હતા. શરીર નિવાહ માટે તેઓ લૂખા-સુખા ભાત, બોરનો ભૂકો, અડદના બાકળાનો આહાર કરતા આ ત્રણ વસ્તુઓ ભગવાને 8 મહિના સુધી વાપરી હતી. ભગવાન ક્યારેક પંદર દિવસ સુધી અને ક્યારેક એક માસ સુધી જલ પણ પીતા ન હતા. ક્યારેક બે માસ કરતાં કંઈક અધિક સમય સુધી, ક્યારેક છ માસ સુધી આહાર-પાણીનો ત્યાગ કરી રાત-દિવસ ઈચ્છા રહિત થઈ વિચરતા હતા. પારણામાં સદ્ય નીરસ ભોજન કરતા હતા. ભગવાન પોતાની સમાધિનો વિચાર કરી, નિષ્કામ ભાવથી ક્યારેક છઠ કરી, ક્યારેક અઠમ કરી, ક્યારેક ચોલ કરી અને ક્યારેક પાંચ ઉપવાસ કરી પારણું કરતા હતા. [૩રપ હેય-ઉપાદેય તત્ત્વને જાણી ભગવાનને સ્વયં પાપ કર્મનું આચરણ કર્યું નહિ, બીજા પાસે કરાવ્યું નહિ અને પાપ કર્મ કરનારને અનુમોદન આપી નહિ. [32-330 ભગવાન ગામ કે નગરમાં જઈ બીજા માટે બનાવેલ આહારની ગવેષણા કરતા હતા અને સુવિશુદ્ધ આહારનું મન, વચન, કાયાને સંયત કરી સેવન કરતા હતા. ભિક્ષા લેવા જતાં ભગવાનને રસ્તામાં ભૂખ્યા કાગડા વગેરે પક્ષીઓ અથવા બીજા રસના લોલુપ પક્ષીઓ જમીન ઉપર ભેગા થયેલા દેખાય તો ભગવાન તેમને કંઈ પણ અડચળ નહિ આપતા ચાલ્યા જતા. તથા ત્યાં કોઈ બ્રાહ્મણ, શાક્યાદિ શ્રમણો, ભિખારી, અતિથી, ચાંડાલ, બિલ્લી, કૂતરાને અથવા બીજા કોઈ પ્રાણીને સામે ઉભેલા જોઈ તેઓની આજીવિકામાં બાધા નહિ નાખતાં, તેને અપ્રીતીકર નહિ થતાં, કોઇ પણ પ્રાણીની હિંસા નહિ કરતાં, ધીરેથી નિકળી ભિક્ષાની ગવેષણા કરતા હતા. ભિક્ષામાં પ્રાપ્ત થયેલો આહાર, દૂધ ઘીથી યુક્ત હોય કે રૂખો-સૂખો હોય, ઠંડો-વાસી હોય, ઘણાં દિવસના અડદ હોય યા જુનાં ધાન્યનો હોય, યા જવાદિનો હોય, તે પણ મળે યા ન મળે તો પણ ભગવાન સમભાવ ધારણ કરતા. [332] ભગવાન કષયોદયથી રહિત હતા, આસક્તિથી રહિત હતા. તેથી શબ્દ તેમજ રૂપાદિ ઇન્દ્રિયોમાં વિષયોમાં જરા પણ મૂચ્છ ન રાખતા ધ્યાનમાં લીન રહેતા હતા. છvસ્થ હોવા છતાં પણ સંયમમાં પ્રબળ પુરુષાર્થ કરતા ભગવાને એકવાર પણ પ્રમાદનું સેવન કર્યું નહોતું 333] શ્રમણ ભગવાન મહાવીર સ્વયં તત્ત્વને જાણી સ્વયંબુદ્ધ થયા. પોતાના આત્માની શુદ્ધિથી મન વચન, કાયાને સંયમિત કરી, માયાદિ કષાયોના વિજેતા બન્યા. તેઓ જીવન પર્યત સમિતિયુક્ત રહ્યા. [343] મતિમાન મોહન મહાવીરે આ વિધિનું વારંવાર આચરણ કર્યું છે. બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy