SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ કુતસ્કંથ-૧, અધ્યયન-૯, ઉદેસી-૨ ગામ બહાર બનાવેલા મુસાફરખાનામાં, ક્યારેક બગીચામાં બનેલ ઘરોમાં, ક્યારેક નગરમાં રહેતા, ક્યારેક શમશાનમાં ક્યારેક ખંડેરમાં, ક્યારેક વૃક્ષની નીચે રહેતા હતા આ રીતે તેર વર્ષમાં કાંઈક ઓછા સમય સુધી આવા સ્થળોમાં રહ્યાં. મનને સ્થિર કરી. રાતદિવસ અપ્રમત્ત બની, સમાધિમાં રહી ધ્યાનમાં લીન રહેતા. 292-293] દીક્ષા લીધા પછી ભગવાને વધારે નિદ્રાજ લીધી ન હતી. પોતાના આત્માને જાગૃત રાખતા હવે હું સૂઈ જાઉં એ ભાવથી ભગવાન ક્યારેય સૂતા નહિ. પ્રમાદ પતનનું કારણ છે, એ જાણી ભગવાન વિશેષ જાગૃત રહેતા. નિદ્રા આવવા લાગે તો ઉભા થઈ જતા અને રાત્રિમાં બહાર નીકળી મુહૂર્ત સુધી આમ તેમ ફરી નિદ્રા ઉડાડતા અને પાછા ધ્યાનમાં લીન થઈ જતા. 294-297 સૂના ઘરમાં, ખંડેરાદિમાં ઝેરી પ્રાણીઓ અને માનાદિમાં ગિદ્ધાદિ પક્ષીઓ આવી ઉપસર્ગો કરતા. ભગવાન જ્યારે ખંડેરાદિ એકાંત સ્થાનોમાં રહેતા ત્યારે ત્યાં પાપકાર્ય કરવા માટે દુરાચીર, લંપટ ચોર આવતા અને ભગવાનને જોઈ, તે બાધક છે એમ સમજી અનેક કષ્ટો આપતા. ક્યારેક હથિયારબંધ ગામનું રક્ષણ કરનાર ભગવાનને ચોર યા ઢોંગી સમજી કષ્ટ આપતા. ક્યારેક ભગવાનની મનોહર મુદ્રાને જોઈ મુગ્ધ થયેલા સ્ત્રી અને પુરુષો તેમને ઉપસર્ગ આપતા. ભગવાનું આ લોક સંબંધી અથતુ મનુષ્ય તથા તિર્યંચો દ્વારા કૃત અને પરલોક સંબંધી એટલે દેવો દ્વારા કૃત અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરતા હતા. અનેક પ્રકારની સુગંધ, દુર્ગધને, મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દોને પ્રશસ્ત, અપ્રશસ્ત સ્પશોને હમેશાં સમિતિયુક્ત બની સમભાવથી સહન કરતા. વિષાદ અને હર્ષને દૂર કરી ભગવાન બહુ ન બોલતા અથતુ ઘણું કરીને મનમાં વિચરતા. [298-299 દિવસ યા રાત્રિમાં ભગવાન નિર્જન સ્થાનમાં સ્થિત હોય ત્યારે એકલા વિચરનાર ચોર, જારાદિ પુરષો ભગવાનને પૂછતા “તું કોણ છે? અહીં શા માટે ઊભો છે?” ભગવાન ઉત્તર ન આપતા ત્યારે તેઓ ક્રોધિત થઈ ભગવાનને સતાવતા. પરંતુ ભગવાન તેનો પ્રતીકાર કરવાની ઈચ્છા ન કરતા. સમાધિમાં લીન રહી. સમભાવથી સહન કરતા. કોઈ પૂછે કે અંદર કોણ છે? ત્યારે જો ધ્યાનમાં લીન ન હોય તો ભગવાન કહેતા હું ભિક્ષુ છું.’ પૂછનાર ક્રોધિત થતા, અપશબ્દ કહેતા યા મારપીટ કરતા તો પણ ભગવાન “આ ઉત્તમ ધર્મ છે, એવું સમજી મૌન રહેતા. 3i00-302] જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન ફૂંકાતો અને બધા પ્રાણીઓ ધ્રુજતા ત્યારે બીજા સાધુઓ પવનહીન એવા બંધ સ્થાનોને શોધતા. કોઈ સાધુઓ બે-ત્રણ વસ્ત્ર રાખવાનું વિચારતા, કેટલાંક તાપસો કાષ્ઠ જલાવતા, કેટલાંક ધાબળી ઓઢી ઠંડી સહન કરવાનું વિચારતા. આ રીતે ઠંડી સહન કરવી અસહ્ય જણાતી ત્યારે ભગવાન ઇચ્છા રહિત થઇ કોઈ વૃક્ષાદિની નીચે ખુલ્લા સ્થાનમાં રહી ઠડીને શાંતિથી સહન કરતા હતા. આવી ઠંડીમાં રાત્રે બહાર નીકળી પાછા અંદર આવી ધ્યાનમાં લીન બની ઠંડી સહન કરતા હતા. [૩૦૩]મતિમાનું ભગવાન કોઇ પણ પ્રકારની આકાંક્ષા નહિરાખતા આ વિધિનું પાલન કરતા. બીજા મુમુક્ષુ સાધકો પણ આ વિધિનું પાલન કરે છે. એમ હું કહું છું. અધ્યયનઃ ૯-ઉદેસ: ૩નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy