________________ માથાશે-૧ર/૨૭૬ [૨૭૬-ર૭૮] પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, લીલ, ફૂગ, બીજ તથા અન્ય વનસ્પતિકાય અને ત્રસકાયને સર્વ પ્રકારથી જાણી આ સર્વમાં જીવ છે ચેતના છે, એવું જાણી તેની હિંસાનો ત્યાગ કરી ભગવાન વિચારવા લાગ્યા. સ્થાવર જીવ ત્રસરૂપમાં અને ત્રસજીવ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. અથવા સર્વ સંસારી જીવ સર્વ યોનિઓમાં ઉત્પન્ન થવાના સ્વભાવવાળા છે. અજ્ઞાની જીવ પોતપોતાના કમાનુસાર પૃથક પૃથક યોનિઓને ધારણ કરે છે. " રિ૭૯-૨૮૧] ભગવાને વિચારપૂર્વક જાર્યું હતું, કે દ્રવ્ય ઉપધિ અને ભાવ ઉપધિના કારણે અજ્ઞાની જીવ કમોંથી લેપાય ને દુખ પામે છે. તેથી ભગવાને કર્મના રહસ્યને સારી રીતે જાણી કર્મના કારણરૂપ પાપનો ત્યાગ કરી દીધો હતો. ઈયપ્રિત્યય અને સામ્પરાયિક બંને પ્રકારની ક્રિયાઓને જાણી તથા કર્મો આવવાના આસવને અને હિંસાદિ પાપોને તેમજ યોગને પૂર્ણરૂપે જાણી સમસ્ત ભાવોના જ્ઞાતા ભગવાને અદ્વિતીય સંયમાનુષ્ઠાનનું કથન કર્યું છે. ભગવાન સ્વયે નિષ્પાપ અહિંસામાં પ્રવૃત્ત થયા. તેમણે પાપમય વ્યાપાર છોડી દીધો અને બીજાને પણ ન કરવાનું સમજાવ્યું જેણે સ્ત્રીઓને સમસ્ત કમનું મૂળ જાણી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છોડી દીધી છે તે જ સાચા પરમાર્થદર્શ છે. ભગવાને એવું જ કર્યું છે. તેથી તે વાસ્તવમાં પરમ તત્વના જ્ઞાતા થયા. ઈ૨૮૨ભગવાન આધાકર્મી આહારને કર્મબંધનું કારણ જાણી સેવન નહિ કરતા. કોઇ પણ પાપકર્મનું આચરણ નહિ કરતા ભગવાન પ્રાસુક આહાર જ ગ્રહણ કરતા * 283 કોઈ વસ્ત્ર આપે તો ભગવાન તેનું સેવન ન કરતાં, અચેલક જ રહેતા અને પોતાના કરપાત્ર સિવાય બીજા પાત્રમાં આહાર કરતા ન હતા. તે માનઅપમાનનો વિચાર કર્યા વિના દૈન્યરહિત થઇ ભોજનનાં સ્થાનમાં ભિક્ષા લેવા જતાં. 284] ભગવાન આહારદિના પરિમાણને જાણતા હતા. દૂધ દહીં આદિ રસોમાં આસક્ત ન હતા, રસવાળા પદાર્થોને લેવાની પ્રતિજ્ઞા ન કરતા. આંખમાં રજ આદિ પડી જાય તો તેને ઉતા નહિ અને ચળ આવે ત્યારે શરીર ખજવાળતા નહિ. [285 દેવદૂષ્ય વસ્ત્ર છોડ્યા પછી શિશિર ઋતુમાં રસ્તે જતાં ભગવાન બંને બાહુઓને લાંબી કરી ચાલતા. શીતથી વ્યાકુળ થઈ હાથ સંકોચી અથવા ખભા પર રાખી ચાલતા નહતા. 287] મતિમાનું માહન ભગવાન મહાવીરે કોઇ પણ આકાંક્ષા નહિ કરતાં પૂર્ણ નિષ્કામ ભાવથી આ વિધિનું અનુસરણ કર્યું. બીજા મુમુક્ષો પણ આ વિધિનું અનુસરણ કરે છે. એમ હું કહું છું. અધ્યયન ૯-ઉદેસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ( અધ્યયન ૯-ઉદસોઃ 2) [288 ભગવાનની ચય સાંભળ્યા પછી શિષ્ય પૂછે છે-) વિહારમાં શય્યા અને આસન તો હોય જ, તો ભગવાન મહાવીરે વિહારમાં જે શય્યા, આસનાદિનો ઉપયોગ કર્યો તે શય્યા, આસનાદિ આપ મને કહો [289-191] ભીંતવાબ ખાલી ઘરોમાં, વિશ્રાતિગૃહોમાં, પાણીના પરબોમાં. દુકાનોમાં, લુહારની કોઢમાં, ઘાસના બનાવેલ મંચોની નીચે રહેતા ભગવાન ક્યારેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org