________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૯, ઉદેસી-૧ 49 (અધ્યયનઃ૯-ઉપધાનત) - ઉદેસો-૧ - [25] જે રીતે શ્રમણ ભગવાન મહાવીર કર્મક્ષય કરવા તૈયાર થયા અને વસ્તુ સ્વરૂપને જાણી હેમંતઋતુમાં દીક્ષા લઇ તત્કાળ વિહાર કર્યો, એ સર્વ વૃત્તાન્ત મેં જેવું સાંભળ્યું છે તેવું તમને કહીશ. 2i66] સર્વ પ્રકારના વસ્ત્ર અલંકારાદિ ઉપધિને છોડીને નીકળેલા ભગવાનના ખભા ઉપર ઈન્દ્ર દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું. પણ ભગવાને એવો વિચાર ન કર્યો કે હું હેમંત ઋતુમાં આ વસ્ત્રથી શરીરને ઢાંકીશ. કારણ કે ભગવાન યાવત્ જીવન પરિષહોને સહન કરવાવાળા હતા. ભગવાનનું વસ્ત્રધારણ કરવું પૂર્વવર્તી તીર્થકરો દ્વારા આચીર્ણ છે. [દીક્ષા લીધી ત્યારે ભગવાનના શરીર પર સુગંધિત દ્રવ્યો લગાડવામાં આવ્યા હતા. તે સુગંધથી ભ્રમરાદિ આકર્ષિત થઈ ભગવાનના શરીર ઉપર ચઢી જતા, ફરતા અને ડંખ મારતા હતા. ચાર માસ કરતાં કંઈક અધિક સમય સુધી આવું રહ્યું. [28] એક વર્ષ અને કંઈક અધિક એક માસ સુધી ઇન્ડે આપેલ વસ્ત્રનો ત્યાગ ન ક્યોં પછી વસ્ત્રને છોડી તે અણગાર સર્વથા અચેલક થઈ ગયા. [269-270 ભગવાન પોતાના શરીર પ્રમાણ આદિથી સાંકડા અને પછી પહોળા માર્ગને ઉપયોગપૂર્વક જોતા ઈયસમિતિથી ચાલતા હતા. આ રીતે ગમન કરતાં ભગવાનને જોઈને ભયભિત થયેલા બાળકો ભેગા મળી “મારો' કહી અગર તો ધૂળ ફેંકી કોલાહલ કરતા હતા. ક્યારેક ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં રહેતા ત્યારે કામવિહ્વળ સ્ત્રીઓ ભોગની પ્રાર્થના કરતી પરંતુ ભગવાન તેઓને કલ્યાણમાર્ગમાં વિઘ્ન કરનાર જાણી અને પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગી ક્યારે ભોગ નહિ કરતા. આત્માને વૈરાગ્યમાં લીન રાખી પ્રશસ્ત ધ્યાન કરતા હતા. [71] ભગવાન ગૃહસ્થના સંપર્કને છોડી ધ્યાનમાં જ લીન રહેતા હતા. કોઈ ગૃહસ્થ કંઈ પૂછે તો ભગવાન ઉત્તર ન આપતા, મૌનમાં રહેતા અને પોતાના માર્ગ પર ચાલતા. આ રીતે સરળ ચિત્તવાળા પ્રભુએ ક્યારેય મોક્ષમાર્ગનું ઉલ્લંઘન કર્યું ન હતું. [૨૭ર-ર૭૩] પુણ્યહીન માણસો ભગવાનને ડંડાથી મારતા, વાળ આદિ ખેંચતા, તો પણ ભગવાનું તેઓને કંઈ પણ ન કહેતા. મૌન ધારણ કરી સમભાવમાં જ સ્થિર રહેતા. દુસહ, કઠોર શબ્દાદિની પરવા ન કરતાં સંયમમાં પરાક્રમ કરતા હતા. તેમને કથા, નૃત્ય, ગીતાદિ સાંભળી કુતૂહલ થતું ન હતું તેઓ દડયુદ્ધ અને મુષ્ઠિયુદ્ધ જોઈ આશ્ચર્ય ન પામતા. કારણ કે સર્વ પ્રકારના કુતૂહલોને ભગવાને છોડી દીધા હતા. [274] કોઈ વખતે કોઈ વ્યક્તિ પરસ્પર કામાદિની કથાઓમાં લીન હોય તો તેની વાત સાંભળી જ્ઞાતપુત્ર મહાવીર હર્ષ કે શોક ન કરતા મધ્યમ ભાવમાં રહેતા. અનુકૂળ, પ્રતિકૂળ ભયંકર પરીષહ આવે તો પણ તેનો વિચાર નહિ કરતાં સંયમમાં વિચરતા, * [27] દીક્ષાપૂર્વે બે વર્ષથી કંઈક અધિક સમય સુધી ભગવાને સચિત્ત જળનું પાન ન કર્યું અને બીજા કામમાં પણ લીધું નહીં, ભગવાન ગૃહસ્થાવસ્થામાં પણ એકત્વભાવનાનું ચિંતન કરતા હતા. કોધાદિ કષાય રૂપ અગ્નિને શાંત કરી, સમ્યકત્વની ભાવનાથી ભાવિત થઈ રહેતા હતા. તેમની ઈન્દ્રિયો અને મન શાંત હતા. Jain L elation International For Private & Personal Use Only www.jainelibrary.org