SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - 42 આયારો-૧૮/૧/૧૩ સંયમી સાધુએ તેનો જવાબ આપવો, પરંતુ કોઈ ફળ ન નીકળતું દેખાય તો મૌન ધારણ કરવું જોઈએ, એમ હું કહું છું. પૂવક્ત વાદીઓને સાધુ સંક્ષેપથી આ પ્રકારે કહે કે સર્વત્ર પાપકર્મ થઈ રહ્યું છે, મે એ પાપકર્મને છોડી દીધું છે, મારા અને તમારામાં જ અંતર છે. વિવેક હોય તો ગામમાં રહીને પણ ધર્મની આરાધના થઈ શકે છે અને જંગલમાં પણ થઈ શકે છે. વિવેકના અભાવમાં ગામમાં પણ ધમરાધના થતી નથી અને જંગલમાં પણ થતીનથી. આ રીતે ભગવાન મહાવીર દ્વારા કહેલ ધર્મને મતિમાન ગ્રહણ કરે. ભગવાને ત્રણ યામ કહ્યા છે. (અહીંસા, સત્ય અને અપરિગ્રહ, અપરિગ્રહમાં અચૌર્ય તથા બ્રહ્મચર્યનો સમાવેશ થઇ જાય છે.) આર્ય પુરુષ તેને સારી રીતે સમજી તેમાં સદા સાવધાન રહે છે. જે ક્રોધાદિ સર્વ પાપકમાંથી નિવૃત્ત છે તેને નિદાન રહિત કહેલ છે. [14] ઉંચી, નીચી, તિચ્છ અને સર્વ વિદિશાઓમાં પ્રત્યેક જીવમાં કર્મસમારંભ રહેલો છે. એ જાણી વિવેકશીલ, બુદ્ધિમાન, પુરૂષ સ્વયં તે કાયોનો ઘાત ન કરે, બીજા પાસે ઘાત ન કરાવે અને જે દંડ સમારંભ-ઘાત કરનાર છે તેમને અનુમોદન ન આપે. બીજી વ્યક્તિઓને આરંભ-પાપકર્મ કરતાં જોઈ અમે લજ્જા પામીએ છીએ. એ જાણી બુદ્ધિમાનું સંયમી અને પાપથી ડરનાર સાધક હિંસા અને અન્ય પ્રકારના પાપકર્મોનો આરંભ ન કરે. એમ હું કહું છે. અધ્યયનઃ૮-ઉદેસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયનઃ૮-ઉદેસો-૨) 215] ભિક્ષુ મશાનમાં, શૂન્યગૃહમાં, પર્વતની ગુફામાં, વૃક્ષોના મૂળમાં, કુંભારના ખાલી ઘરમાં ફરતો હોય, ઊભો હોય, બેઠો હોય, સુતો હોય અથવા અન્યત્ર ક્યાંય પણ વિચરતો હોય એવા પ્રસંગ પર કોઈ પૂર્વ પરિચિત અથવા અન્ય કોઈ ગૃહસ્થ તેની પાસે આવી આ પ્રકારે આમંત્રણ આપે કે, “હે આયુષ્યનું મુનિ ! આપના માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપૂંછણ વગેરે પદાર્થ, આપના માટે પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોના સમારંભ કરી, ખરીદી, ઉધાર લઈ, કોઈ પાસેથી છીનવી લઈ, બીજાના હોવા છતાં પણ તેની આજ્ઞા વિના લઈ, સન્મુખ લાવી અથવા મારા પોતાના ઘેરથી લાવી, આપને આપું છું. હું આપના માટે મકાન બનાવી આપું છું અથવા મકાનનું સમારકામ કરાવી દઉં છું. તમે તેનો ઉપયોગ કરો અને મકાનમાં રહો.” હે આયુષ્યનું સાધકો! તે સાધુ આવા પ્રસંગે પોતાના પૂર્વપરિચિત મિત્ર અથવા મનસ્વી ગૃહસ્થને આ પ્રકારે ઉત્તર આપે-“હે આયુષ્મનું ગૃહસ્થ ! આપના વચનનો સ્વીકાર કરતો નથી અને તેનું પાલન કરતો નથી. તો પછી તમે શા માટે અનાદિ, વસ્ત્રાદિ મારા માટે બનાવો છો. ખરીદો છો, શા માટે મકાન બનાવો છો? હે આયુષ્યમનું ગૃહસ્થ ! હું એવા કાર્યોથી દૂર રહેવા માટે જ તો ત્યાગી બન્યો છું. [21] મુનિ સાધક શ્મશાનાદિમાં ફરતા હોય અથવા અન્ય ક્યાંય વિચરતા હોય, તેની સમીપ આવીને કોઈ ગૃહસ્થ તે ભિક્ષુને જમાડવાનો મનમાં સંકલ્પ કરે, તે મુનિના માટે આરંભ કરી આહારાદિ આપે અથવા મુનિને માટે મકાન બનાવે, આ વાત સાધક પોતાના બુદ્ધિબળથી અથવા બીજાના કહેવાથી અથવા કોઈ પાસેથી સાંભળીને જાણી લે કે આ ગૃહસ્થ મારા માટે આહાર, અથવા મકાન તૈયાર કરી રહ્યો છે, તો એવું Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy