SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-ઇ, ઉદેસો-૩ [20] જે અસંયમથી નિવૃત્ત છે અને ઘણા લાંબા સમયથી સંયમનું પાલન કરી રહ્યા છે, અપ્રશસ્ત ભાવોમાંથી નીકળી પ્રશસ્ત ભાવોમાં રમણ કરનાર છે, એવા સંયમીઓને સંયમમાં ઉત્પન્ન થયેલ અરતિ વિચલિત કરી શકતી નથી. તે સાવધાન મુનિ શુભ પરિણામોની શ્રેણી પર ચઢતા જાય છે. તેથી તે મુનિ અસંદીન-પાણીથી ક્યારેય નહિ ઢંકાતા, એવા દ્વિીપની સમાન છે. તીર્થંકર ભાષિત ધર્મ પણ આવા દ્વીપ સમાન છે. સાધક, ભોગોની ઈચ્છા નહિ કરતાં, જીવહિંસા ન કરતાં, સર્વલોકના પ્રિયપાત્ર બની, મયદામાં રહી પંડીતપદને પ્રાપ્ત કરે છે. જે રીતે પક્ષી, પોતાના બચ્ચાનું પાલન-પોષણ કરી તેને સમર્થ બનાવે છે તેવી રીતે જે ભગવાનના ધર્મમાં ઉત્સાહવાનું ન હોય, તે શિષ્યને બુદ્ધિમાન આચાર્ય આદિ દિન રાત સાવધાનીપૂર્વક શિક્ષા આપી ધર્મમાં કુશળ બનાવે છે. એમ હું કહું છું. હું અધ્યયન દઉદેસોઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ! | (અધ્યયન: દ-ઉદેસોઃ 4 ) 201] આ રીતે વીર અને વિદ્વાન ગુરુ દિવસ રાત સતત શિક્ષા આપી શિષ્યને તૈયાર કરે છે. તેમાંથી કેટલાંક શિષ્ય. ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શાંત ભાવને છોડી અભિમાની-સ્વેચ્છાચારી બની જાય છે. કેટલાંક શિષ્યો સંયમ અંગીકાર કર્યા પછી સFરુષોની આજ્ઞાનો અનાદર કરે છે. કેટલાંક શિષ્યો, કુશીલના દુષ્પરિણામ જોઈને જિનભાષિત તત્ત્વને સાંભળી, સમજી આપણે સર્વના માનીતા થઈશું, એવો વિચાર કરી દિીક્ષા ધારણ કરે છે. પરંતુ મોક્ષમાર્ગમાં નહીં ચાલતાં કામભોગોથી બળતા સુખમાં મૂચ્છિત થઈ, વિષયોનો વિચાર કરતા થકા તીર્થંકરભાષિત સમાધિને પ્રાપ્ત કરતા નથી. ઉલટા, હિતશિક્ષા આપનાર મુનિને કઠોર વચન કહે છે. [202] તથા કેટલાંક સ્વયંભ્રષ્ટ હોવાછતાં પણ બીજા સુશીલ,ક્ષમાવંત, વિવેકથી વર્તતા મુનિઓને કુશીલ કહે છે. આવા અજ્ઞાની-મૂખની આ બીજી અજ્ઞાનતા છે. 23ii કેટલાંક સાધક સંયમથી નિવૃત્ત હોવા છતાં પણ સંયમના. આચાર-ગોચર બરાબર કહે છે. કોઈ કોઈ જ્ઞાનથી ભ્રષ્ટ, સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ પર આચાયદિને નમસ્કાર કરવા છતાં પણ પોતાના સંયમી જીવનને દૂષિત કરે છે. [20] કેટલાક સાધકો પરિષહોથી ડરી અસંયમિત જીવન જીવવા માટે સંયમથી નિવૃત્ત થઈ જાય છે. તેવી વ્યક્તિની દીક્ષા પણ કદીક્ષા છે. આવી વ્યક્તિ સાધારણ પુરુષો દ્વારા પણ નિશ્વિત થાય છે. વારંવાર જન્મને ધારણ કરે છે. નીચો હોવા છતાં પણ એ સમજે છે કે હું વિદ્વાનુ છું “જે છું તે હું જ છું.’ આ પ્રકારે પોતાની પ્રશંસા કરે છે. જે સાધક રાગદ્વેષ રહિત છે તેને કઠોર શબ્દ કહે છે. તેના પૂર્વ જીવનના કાયોનું કથન કરે છે અથવા અસત્ય વચનો દ્વારા તેની નિન્દા કરે છે. પણ બુદ્ધિમાનું સાધક, ધર્મને સારી રીતે જાણે છે. [205 સંયમ અંગીકાર કરવા છતાં પણ પાપાચરણ કરનારને સાચો સંયમી આ પ્રકારે ઉપદેશ આપે છે-હે સાધક ! વાસ્તવમાં તું અધર્મનો અર્થ છે-અજ્ઞાની છે, કારણ કે સાવદ્ય કાર્ય કરે છે. “પ્રાણી ને મારો” એવો ઉપદેશ આપી રહ્યો છે. હિંસાની અનુમોદના કરી રહ્યો છે. જ્ઞાની પુરુષોએ એવા ધર્મની પ્રરૂપણા કરી છે જે કઠિન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy