SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આયારો-૧/૨/૧૯૬ કામભોગોના કારણે સંસારમાં ભટકે છે. [19] કેટલાંક ભવ્ય પુરુષ, ધર્મને પ્રાપ્ત કરીને પ્રથમથી જ સાવધાન રહે છે. કોઈ પણ પ્રપંચમાં ફસાતા નથી, લીધેલ પ્રતિજ્ઞામાં વૃઢ થઈ રહે છે. જે સર્વ પ્રકારની આસક્તિને દુઃખમય જાણ તેનાથી દૂર રહે છે, તે જ મહામુનિ છે. મુનિ સર્વ પ્રપંચોને છોડી “મારું કોઈ નથી અને હું એકલો છું” આ વિચાર કરી પાપક્રિયાથી નિવૃત્તિ થઈ દશ પ્રકારની સમાચારીમાં યતના કરતો -દ્રવ્ય અને ભાવથી મુંડિત થઈ સંયમમાં વિચરે. અચલ (અલ્પ વસ્ત્રધારી) થઈ સંયમમાં ઉધત બની, પરિમિત આહાર લઈ તપ કરે. કોઈ પુરુષ સાધુના પહેલા કરેલા નિન્દ્રિત કામો પ્રત્યે લક્ષ્ય કરી અથવા અસભ્ય શબ્દ બોલી, ખોટા આરોપથી નિન્દા કરવા લાગે અથવા પ્રહાર કરે અથવા વાળ ખેંચે ત્યારે મુનિ તેને પોતાના કરેલા કર્મોનું ફળ ઉદયમાં આવ્યું છે એવું જાણી, આવા પ્રતિકૂળ અને અનુકૂળ. મનોહારી અને અનિષ્ટ પરીષહોને સમભાવે સહન કરે છે. [197 જે વ્યક્તિ ગૃહવાસને છોડી ફરી તેમાં ફસાતા નથી તે જ સાચા મુનિ કહેવાય છે. હે શિષ્ય ! “આજ્ઞામાં જ મારો ધર્મ છે એ મનુષ્યોને માટે ઉત્તમ વિધાન છે. માટે સાધક, સંયમમાં લીન રહી કમને ખપાવે છે. કર્મના સ્વરૂપને જાણી સાધુ પર્યાય દ્વારા કર્મોને દૂર કરવા પુરુષાર્થ કરે છે. આ જિનશાસનનું અનુસરણ કરનારા કોઈ કોઈ સાધક એકલા વિચારે છે. આવા સાધુ-સંત-પ્રાંત કુળોમાંથી શુદ્ધ એષણા દ્વારા નિર્દોષ આહાર લઈ સંયમનું પાલન કરે છે. આહાર સુગંધિત હોય અથવા તો દુગંધિ હોય, તેને સમાન રૂપે ગ્રહણ કરે છે. એકાકી અવસ્થામાં જંગલી પશુઓ દ્વારા કોઈ ઉપદ્રવ હોય તો તેને ધૈર્યથી સહન કરે છે. એમ હું કહું છું. અધ્યયન દ-ઉદેસો નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન દઉો :7) [198] શુદ્ધ ધર્મનું આચરણ કરનાર અને આચારનું પાલન કરનાર મુનિ કર્મના ઉપાદાન વસ્ત્રાદિને ત્યાગ કરે છે. જે મુનિ અચલ રહે છે તેને એવી ચિંતા હોતી નથી કે મારું વસ્ત્ર જીર્ણ થઈ ગયું છે. હું નવા વસ્ત્રની યાચના કરે, સીવવા માટે દોરા લાવું, સોય લાવે, વસ્ત્ર સાધીશ, સીવીશ, બીજું વસ્ત્ર જેડીશ, આ વસ્ત્રને ઓછું કરીઆને પહેરીશ અથવા શરીર ઢાંકીશ. સંયમમાં પરાક્રમ કરનાર વસ્ત્રરહિત મુનિને તૃણસ્પર્શનું દુખ પ્રાપ્ત થાય છે, ક્યારેક ઠંડીનું. ક્યારેક ગરમીનું દુખ પ્રાપ્ત થાય છે. ક્યારેક ડાંસ, મચ્છરાદિ વિવિધ પ્રતિકૂળ પરિષહ આવૈ છે તેને વસ્ત્રરહિત સાધક કમોંની લઘુતાનું કારણ જાણી સહન કરે છે. તે મુનિને તપની પ્રાપ્તિ થાય છે. ભગવાને જે રીતે ફરમાવ્યું છે તેને સત્ય જાણી સર્વ પ્રકારથી અને પૂર્ણ રૂપથી સમ્યકત્વાનુકૂળ જ આચરણ કરવું જોઈએ. આ રીતે પહેલાં કેટલાંક મહાવીર પુરુષોએ લાંબા સમય સુધી, પૂર્વી સુધી, સંયમનું પાલનકરી જે પરિપહો સહન કર્યા છે તેની તરફ તું દ્રષ્ટિ કર! [19] જ્ઞાની મુનિઓની ભુજાઓ પાતળી હોય છે. તેના શરીરમાં માંસ અને લોહી અતિ અલ્પ હોય છે. તે રાગદ્વેષ, કષાય રૂપ સંસાર-શ્રેણીનો સમભાવથી વિનાશ કરી, સમદ્રષ્ટિથી તત્ત્વના જ્ઞાતા હોય છે. તેવા મુનિ સંસારથી તરેલા, ભવ-બંધનથી મુક્ત અને પાપકર્મથી નિવૃત્ત કહેવાય છે. એમ હું કહું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy