SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૩, ઉદેસો-૧ 25 કરવી જોઈએ. હે બુદ્ધિમાનું! આ જોઈને તું એ પ્રકારે વિહ્વળ થવાથી ઈચ્છા ન કર. હે બુદ્ધિમાનું! હિંસાદિથી જ દુઃખ ઉત્પન્ન થાય છે એવું જાણી સદા જાગૃત રહેવું જોઇએ. માયાવી, કષાયી તથા પ્રમાદી પ્રાણી વારંવાર જન્મ-મરણ કરે છે. પરંતુ જે શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ નહિ કરતાં સમભાવથી પ્રવૃત્તિ કરે છે. તે મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે. જે બીજાને થનારા દુઃખોને જાણે છે તે આત્મ સંયમ રાખી વિષયોમાં નથી ફસાતા અને પાપ કર્મોથી દૂર રહે છે. જે વિષયભોગોના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે તે સંયમને જાણે છે, જે સંયમને જાણે છે તે વિષયભોગોના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે. કર્મરહિત પુરુષને સાંસારિક વ્યવહાર રહેતો નથી. કર્મોથી જ ઉપાધી ઉત્પન્ન થાય છે, કર્મના સ્વરૂપને જાણી હિંસક વૃત્તિને કર્મનું મૂળ સમજી તેનાથી દૂર રહેવું જોઈએ. આ સર્વ સ્વરુપ જારી કર્મથી દૂર થવાના ઉપાયોને ગ્રહણ કરી રાગ-દ્વેષથી દૂર રહે. બુદ્ધિમાનું સાધક રાગ-દ્વેષને અહિતકર જાણે છે. (રાગાદિના કારણે) લોકોને દુખમય દેખી, લોકસંજ્ઞાથી દૂર રહી સંયમમાં પરાક્રમ કરે, એમ હું કહું છું. અધ્યયનઃ ૩-ઉદેસો-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયનઃ૩-ઉદેસો-૨) | [115] હે આર્ય! આ સંસારમાં જન્મ અને જરાના દુઃખોને જો ! સંસારના સર્વ પ્રાણીઓને પોતાના સમાન સમજ! જેમ તને સુખ પ્રિય છે તથા દુખ અપ્રિય છે. તેવી રીતે અન્ય પ્રાણીઓને પણ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. એવો વિચાર કરી તારું પોતાનું વર્તન સુધાર ! એવા કલ્યાણકારી મોક્ષના માર્ગને જાણી તત્ત્વદર્શી પાપકર્મ કરતા નથી. [11] આ મનુષ્યલોકમાં મનુષ્યોની સાથેની સ્નેહાળથી સદા દૂર રહેવું ! કારણ કે ગૃહસ્થ હિંસાદિ આરંભથી આજીવિકા કરે છે. આ લોક અને પરલોકમાં વિષયસુખોની લાલસા કરે છે. વિષયભોગોમાં આસક્ત થઈ કર્મનું બંધન કરે છે તથા કર્મથી લિપ્ત થઈ વારંવાર જન્મ-મરણ કરે છે. [117] અજ્ઞાની પ્રાણી હાસ્ય, વિનોદમાં આસક્ત થઈ પ્રાણીઓનો વધ કરવામાં આનંદ માને છે. એવા અજ્ઞાનીના સંગથી બચવું જોઈએ. આવા સંગથી અન્ય આત્માઓ સાથે વેર વધે છે. [118] એટલા માટે તત્ત્વજ્ઞાની પુરુષ પરમ મોક્ષપદને જાણી અને નરકના દુઃખોને જાણી પાપકર્મ કરે નહિ. હે ધીર પુરુષ ! તું અચકર્મના અને મૂળકર્મના સ્વરૂપને સમજી તેને પોતાનાથી દૂર કર! આ કર્મોને તોડી ક રહિત બની શકીશ. [119-12] આ અગ્રકર્મ અને મૂલકર્મના વિવેકને જાણનાર મુનિ મરણથી મુક્ત થઈ જાય છે. તે જ મુનિ સંસારના દુઃખોથી ડરતા થકા લોકમાં સર્વશ્રેષ્ઠ મોક્ષનો દ્રષ્ટ બને છે. રાગદ્વેષથી રહિત સમભાવથી જીવન વિતાવે છે. શાંત થતાં સમિતિથી, યુક્ત, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, સદા અપ્રમત્ત બને છે. પુરુષાર્થ કરતાં, પંડિતમરણને ઈચ્છતા થકા સંયમના માર્ગમાં વીરતાથી આગળ વધે છે. પહેલા ઘણા પાપકમાં કર્યો છે એવો વિચાર કરી સંયમમાં વૃઢતા ધારણ કરે. સંયમમાં લીન રહેલા બુદ્ધિમાનું સાધક સર્વદુષ્ટ કર્મોને નાશ કરી દે છે. [121] આ સંસારમાં સુખાભિલાષી પ્રાણી અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy