SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આયારો૧/૧/પ૪૮ પણ આહારની આવશ્યકતા છે. આપણું શરીર અશાશ્વત છે તેમ તે પણ અશાશ્વત છે, આપણું શરીર વધે-ઘટે છે તેમ તેમાં પણ હાનિ-વૃદ્ધિ થાય છે. આપણા શરીરમાં વિકાર થાય છે, તેમ તેમાં પણ વિકાર થાય છે. આ રીતે વનસ્પતિ પણ સચેતન છે. 48] વનસ્પતિકાયનો જે સમારંભ કરે છે તેને પૂર્વોક્ત હિંસાદિ ક્રિયાઓ કર્મ બંધનું કારણ છે, તેનું જ્ઞાન નથી. વનસ્પતિકાયમાં શસ્ત્રનો પ્રયોગ નહિ કરનારને પહેલા કહેલ હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે, એવો વિવેક છે તેથી પાપ લાગતું નથી. આવું જાણી બુદ્ધીમાનું પુરુષ સ્વયં વનસ્પતિકાયનો આરંભ કરે નહિ, બીજા પાસે કરાવે નહિ અને જે વનસ્પતિકાયનો આરંભ કરતા હોય તેને અનુમોદન આપે નહિ. જે આ વનસ્પતિકાયના સમારંભના અશુભ પરિણામને જાણે છે તે વિવેકી મુનિ છે. એમ હું કહું છું. | અધ્યયન-૧-ઉદેશપનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-ન-ઉસો-દ) 49-50 હું કહું છું કે ત્રસ પ્રાણીઓએ છે અને તે આ પ્રકારના છે- ઈડાથી ઉત્પન્ન થવાવાળા પક્ષી વિગેરે, કોથળીથી ઉત્પન્ન થનારા હાથી આદિ, જરાયુથી ઉત્પન્ન થનારા ગાય ભેંશાદિ, દૂધ દહીં આદિ રસોમાં ઉત્પન્ન થવાવાળા કીડાદિ, પરસેવાથી ઉત્પન્ન થનાર જુ, આદિ સંમૂઠ્ઠિમ, પોતાની મેળે ઉત્પન્ન થનારા કિડી. આદિ, જમીન ફોડી નીકળનારા તીડાદિ, ઉપપાત જન્મવાળા દેવ નારક. આ. 8 પ્રકારમાં સંસારના સર્વ ત્રસ જીવોનો સમાવેશ થઈ જાય છે. આ જ સંસાર કહેવાય છે. જે હિતાહિતના વિચારથી રહિત છે એવા અજ્ઞાની પ્રાણી વારંવાર આમાં પરિભ્રમણ કરે છે. પ૧-પ૩] હું વિચાર કરીને અને જોઇને કહું છું, કે સર્વ પ્રાણી- (વિકલેન્દ્રિય), સર્વ ભૂત(વનસ્પતિ) સર્વ જીવો-(પંચેન્દ્રિયો) તથા સર્વ સત્વો-(શેષ એકેન્દ્રિયો) ને દુઃખ અપ્રિય છે, દુઃખ અસાતા અને મહાભય જણાય છે. પ્રાણી દિશાઓ અને વિદિશાઓમાં સર્વત્ર પૃથક પૃથક કારણોથી ત્રાસ પામે છે. હે શિષ્ય ! તું - વિષય, કષાયથી પીડીત થયેલા મનુષ્ય પોતાના અનેક પ્રકારના સ્વાર્થના માટે તેને દુખ આપે છે. આ ત્રસાદિ પ્રાણીઓ પૃથ્વી આદિના આશ્રિત સર્વત્ર છે. સાવવાનુષ્ઠાનથી શરમાતા કેટલાંક કહે છે કે “અમે અણગાર છીએ. પરંતુ તેઓ અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા ત્રસકાયના જીવોની. હિંસા કરે છે અને ત્રસકાયના આશ્રિત રહેલા બીજા અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. પિ૩ ત્રસકાયના વિષયમાં ભગવાને પરિજ્ઞા બતાવી છે, છતાં પણ પ્રાણી જીવનના નિવહ, પ્રશંસા, માન, પૂજા માટે, જન્મ મરણથી મુક્ત થવા, દુઃખોના નિવારણ માટે સ્વયે ત્રસકાયના જીવોની હિંસા કરે છે, બીજા પાસે ત્રસકાયની હિંસા કરાવે છે, અને ત્રસકાયની હિંસા કરનારને અનુમોદન આપે છે. તેને માટે આ હિંસા અહિતકર તથા અબોધિકર છે. તીર્થકર અથવા શ્રમણજનો પાસેથી સાંભળી, સદ્ગોધ પ્રાપ્ત કરી કેટલાક પ્રાણીઓ સમજે છે કે હિંસા એ કર્મબંધનું કારણ છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા ત્રસકાયની હિંસા કરે છે સાથે અન્ય અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. [54] ત્રસ જીવોની હિંસાના કારણો-કેટલાંક લોકો અંધશ્રદ્ધાથી પ્રેરિત થઈ દેવી વિગેરેને ભોગ દેવા માટે ત્રસજીવોને મારે છે, કોઈ ચામડા માટે, કોઈ માંસ માટે, કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy