SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્કંથ-૧, અધ્યયન-૧, ઉદેસી-૪ કર્મબંધનું કારણ છે, તેનું જ્ઞાન નથી. અગ્નિકાયમાં શસ્ત્રો પ્રયોગ નહીં કરનારને પહેલાં કહેલ હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે, તે વિવેક છે. આવું જાણી બુદ્ધિમાનું પુરુષ સ્વયં અગ્નિકાયનો આરંભ કરે નહિ, બીજા પાસે અગ્નિકાયનો આરંભ કરાવે નહિ, અન્ય અગ્નિકાયનો આરંભ કરતા હોય તેને અનુમોદના આપે નહિ, જે આ અગ્નિકાયના સમારંભના અશુભ પરિણામને જાણે છે તે વિવેકી મુનિ છે.એમ હું કહું છું. અધ્યનન-૧-ઉદે-જની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ] | (અધ્યનન-૧-ઉકેસો-૫). [40] સુંયમના સ્વરૂપને જાણીને જે એવો નિર્ણય કરે છે, કે હું વનસ્પતિ કાયની પણ હિંસા નહીં કરું એ રીતના સંકલ્પાનુસાર કોઇને પણ પીડા આપતા નથી તથા. હિંસાથી નિવૃત્ત થાય છે અને નિર્ગુન્થ - પ્રવચનમાં અનુરક્ત છે તે અણગાર છે. [41] જે શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયો છે તે આવર્ત અથતિ સંસારના કારણો છે અને જે આવર્ત છે તે ઇન્દ્રિયોના વિષયો છે. [42-45 આ જીવ ઉર્ધ્વ, અધો, તિછ અને પૂર્વાદિ દિશાઓમાં અનેક પદાર્થોના સંપર્કમાં આવતા વિવિધ રૂપોને જુએ છે, સાંભળતો થકો શબ્દને સાંભળે છે, ઉદ્ધવ દિશામાં, અધો દિશામાં, તિછ દિશામાં, પૂવદિ દિશાઓમાં જોયેલી રૂપવાળી વસ્તુઓમાં અને મનોજ્ઞ શબ્દોમાં આસક્ત બને છે. આ આસક્તિ સંસાર કહેવાય છે. જે શબ્દાદિ વિષયોમાં પોતાના ચિત્તની વૃત્તિનું ગોપન નથી કરતા તે ભગવાનની આજ્ઞાથી બહાર છે. તે વારંવાર શબ્દાદિ વિષયોમાં ઈચ્છા રાખતા કુટિલતાનું -અસંયમનું આચરણ કરે છે અને પ્રમાદિ બની ગૃહસ્થવાસમાં જ છે [46] સાવદ્યાનુષ્ઠાનથી શરમાતા કેટલાક બોલે છે, કે “અમે અણગાર છીએ.” પરંતુ તેઓ અનેક પ્રકારના શસ્ત્રોથી વનસ્પતિકર્મ સમારંભ કરી વનસ્પતિની હિંસા કરે છે અને તેના આશ્રિત બીજા અનેકપ્રાણીઓની પણ હિંસા કરે છે. વનસ્પતિકાયના વિષયમાં ભગવાને પરિજ્ઞાનવિવેક સમજાવ્યો છે. છતાં પણ પ્રાણી જીવનના નિર્વાહ માટે, પ્રશંસા, માન, પૂજા માટે, જન્મ-મરણથી મુક્ત થવા, દુખોના નિવારણ માટે, સ્વયં વનસ્પતિકાયના જીવોની હિંસા કરે છે, બીજા પાસે વનસ્પતિકાયની હિંસા કરાવે છે અને વનસ્પતિકાયની હિંસા કરનારને અનુમોદન આપે છે તે વ્યક્તિને આ હિંસા અહિતકર તથા અબોધિકાર છે. તીર્થંકર અથવા શ્રમણજનો પાસેથી સાંભળી સબોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ એ સમજે છે કે હિંસા એ કર્મબંધનું કારણ છે, મોહનું મૃત્યુનું કારણ છે, નરકનું કારણ છે છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા વનસ્પતિકાય કર્મ સમારંભથી વનસ્પતિકાયના જીવની હિંસા કરે છે સાથે અન્ય અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. [47] વનસ્પતિ સજીવ છે તે બતાવતા કહે છે, કે જેમ આપણું શરીર ઉત્પન થવાના સ્વભાવવાળું છે તેવીજ રીતે વનસ્પતિ પણ ઉત્પન્ન થવાના સ્વભાવવાળી છે. આપણું શરીર વધે છે તેમ વનસ્પતિ પણ વધે છે, આપણામાં ચેતન છે તેમ વનસ્પતિમાં પણ ચેતન છે. આપણું શરીર કાપવાથી, છેદવાથી, કરમાય છે તેમ તે પણ કાપવાથી, છેદવાથી કરમાય જાય છે. આપણા શરીરને આહારની આવશ્યકતા છે તેમ વનસ્પતિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy