SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 14 આયારો-૧/પર/૧ 31] જલકાયમાં શસ્ત્રનો આરંભ કરનાર પૂર્વોક્ત આરંભને જાણતો નથી કે તે પાપજનક છે, અહિતકર છે, કર્મબંધનાદિનું કારણ છે. કાયમાં શસ્ત્રનો આરંભ નહીં કરનારને આ આરંભનું જ્ઞાન છે. આ જાણી બુદ્ધિમાન પુરુષ સ્વયે અપ્લાયની હિંસા ન કરે, અન્ય પાસે ન કરાવે અને કરનારને અનુમોદન ન આપે. જેણે જલકાયની હિંસાને અહિતકર અને અબોધિકર સમજી લીધી છે તે પરિજ્ઞાતકમ-વિવેકી મુનિ કહેવાય છે. એમ હું તમને કહું છું. | અધ્યયન-૧-ઉદેસો-૩નીમુનિદીપરત્નનીસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યનન-૧-ઉદેસી-૪) [32] હું તમને કહું છું કે લોકનો એટલે કે અગ્નિકાયની સચેતનતાનો અપલાપ ન કરવો જોઈએ. પોતાના આત્માનો પણ અપલાપ ન કરવો જોઈએ. જે અગ્નિકાયની સજીવતાનો નિષેધ કરે છે તે પોતાના આત્માનો નિષેધ કરે છે. જે પોતાના આત્માનો નિષેધ કરે છે તે અગ્નિકાયનો નિષેધ કરે છે. 33 દીર્ધલોકશસ્ત્ર-(દીર્ધલોક એટલે વનસ્પતિ, તેનું શસ્ત્ર અગ્નિ.) આ અગ્નિના સ્વરૂપને જે જાણે છે તે સંયમને જાણે છે. સંયમનું સ્વરૂપ જાણે છે તે વનસ્પતિના શસ્ત્રરૂપ અગ્નિકાય સ્વરૂપને જાણે છે. 3i4-96 સદા જિતેન્દ્રિય, સદા અપ્રમત્ત, હમેશાં યતનાવાન, સંયમી વીર પુરુષોએ પરિષહાદિને જીતીને કેવળજ્ઞાન દ્વારા સાક્ષાત્ સર્વવસ્તુના સ્વરૂપને જોયું છે. જે પ્રમાદી છે, ઈન્દ્રિયસુખોના અભિલાષી છે તે હિંસા કરી દંડ આપે છે. તેથી તે જુલ્મી, અન્યાયી કહેવાય છે. એ જાણીને બુદ્ધીમાન આત્મચિંતન કરે છે કે મેં પહેલાં પ્રમાદથી હિંસાદિ જે કાર્યો કર્યા છે તે હવે ફરી હું નહીં કરું. 3i7] કેટલાંક અણગારો અભિમાનપૂર્વક કહે છે કે અમે અણગાર છીએ, પરંતુ તેઓ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા અગ્નિકાય સંબંધી પાપકર્મ કરે છે તેમજ અગ્નિકાયને આશ્રયે રહેલા અનેક જીવોની હિંસા કરે છે. અગ્નિકાયના સમારંભના. વિષયમાં ભગવાને વિવેક સમજાવ્યો છે. છતાં પણ પ્રાણી જીવનના નિર્વાહ, પ્રશંસા, માન પૂજા. માટે જન્મ-મરણથી મુક્ત થવા, દુઃખોના નિવારણ માટે સ્વયં અગ્નિકાયની હિંસા કરે છે, બીજા પાસે હિંસા કરાવે છે અને જે અગ્નિકાયની હિંસા કરે છે, તેને અનુમોદન આપે છે. તેને તે અહિતકર તથા અબોધિકર છે. તીર્થંકર અથવા શ્રમણજનો પાસેથી સાંભળી સદ્દબોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ સમજે છે કે હિંસા એ કર્મબંધનું કારણ છે, મોહનું કારણ છે, મરણનું કારણ છે. નરકનું કારણ છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક શસ્ત્રોદ્વારા અગ્નિકાય કર્મ સમારંભથી અગ્નિકાયના જીવોની હિંસા કરે છે અને સાથે અન્ય અનેક ત્રસાદિ પ્રાણીઓની હિંસા કરે છે. [38] હું તમને કહું છું કે જમીન, તણખલા, પાન, લાકડાં, છાણા અને કચરો એ સર્વના આશ્રિત ત્રસ જીવો રહે છે. એ ત્રસ જીવો તથા અચાનક ઉપરથી આવી પડનારા ઉડતા નાના જીવો અગ્નિનો આરંભ કરવા પર અગ્નિમાં પડે છે. અગ્નિમાં પડવા પર તેનું શરીર અત્યંત સંકોચાવા લાગે છે, પછી તે મૂછિત થઇ મૃત્યુ પામે છે. [39] અગ્નિકાયમાં શસ્ત્રનો પ્રયોગ કરનારને પૂર્વોક્ત હિંસાદિ ક્રિયાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy