SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 12 આયારો-૧૧/૧૧૩ [11-13] આ જીવનના માટે, યશની પ્રાપ્તિના માટે, માન, પૂર, સત્કાર ને માટે, જન્મ-મરણથી મુક્ત થવા અથવા જન્મના અવસર પર, મૃત્યુના અવસર પર તથા મોક્ષને પ્રાપ્તકરવા માટે અને દુઃખોને દૂર કરવા માટે પ્રાણી પૂર્વોક્ત પાપમય ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. લોકમાં આ સર્વ કર્મસમારંભો જાણવા જોઈએ. જેણે આ સમારંભોને જાણ્યા છે તે નિશ્ચયથી પરિજ્ઞાતકમાં વિવેકી અને મુનિ છે. તેમ હું કહું છું ઉદેસા-૧ની બુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાશપૂર્ણ | ( અધ્યયન-૨-ઉદેસો-૨ ) 14-15 વિષય કષાયથી પીડાયેલ, જ્ઞાનાદિ પ્રશસ્ત ભાવોથી હીન બનેલ, ઘણી મુશ્કેલીથી બોધ પ્રાપ્ત કરી શકનાર, અજ્ઞાની જીવ વિષય-વાસનાથી આતુર થઈ, ઘર બનાવવા આદિ વિભિન્ન કાયને માટે પૃથ્વીકાયના જીવોને સંતાપ આપે છે, તે જુઓ. પૃથ્વીકાયમાં પૃથક-પૃથકુ જીવો છે તેથી જ સંયમી તે જીવોની હિંસા કરતાં શરમાય છે. અર્થાતુ પ્રાણીઓને પીડા આપ્યા વિના જીવન નિર્વાહ કરે છે. તેઓને જો. કેટલાંક ભિક્ષુઓ કહે છે, કે અમે અણગાર છીએ.” આવું કહેનારા અનેક પ્રકારના શસ્ત્રોના પ્રયોગે પૃથ્વીકાય સંબંધી પાપકર્મ કરે છે, પૃથ્વીકાયના જીવોની વિરાધના કરે છે, તેમજ પૃથ્વીના આશ્રિત રહેલા વનસ્પતિ આદિ જીવોની પણ હિંસા કરે છે. 16-17 પૃથ્વીકાયના આરંભના વિષયમાં ભગવાને પરિજ્ઞા શુિદ્ધસમજો બતાવી છે. કે જે પ્રાણીઓ જીવનના નિવહિ માટે, કિતિ માટે, માન પૂજા માટે, જન્મ-મરણથી મુક્ત થવા માટે અને દુઃખોના નિવારણ માટે સ્વયં પૃથ્વીકાયના શસ્ત્રોના આરંભ કરે છે, બીજા પાસેથી કરાવે છે અથવા પૃથ્વીકાયના શસ્ત્રનો આરંભ કરનારને અનુમોદન કરે છે. પરંતુ આ હિંસા તેના માટે અહિતકારી છે તેમજ બોધિ-બીજનો નાશ કરનારી છે. સર્વજ્ઞદેવ કે શ્રમણજનો પાસેથી સાંભળી સદ્બોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ એ સમજે છે કે પૃથ્વીકાયની) હિંસા એ કર્મબંધનું કારણ છે, મોહનું કારણ છે. મરણનું કારણ છે અને નરકનું કારણ છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા પૃથ્વી કર્મસમારંભથી પૃથ્વીકાયના જીવોની હિંસા કરે છે. તેમજ પૃથ્વીને આશ્રિત અન્ય અનેક પ્રકારના વનસ્પતિકાય આદિ જીવોની હિંસા કરે છે. પૃથ્વીકાયના જીવો દેખતા નથી, સૂંઘતા નથી, સાંભળતા નથી. તો તેમને વેદનાનો અનુભવ કેવી રીતે થાય છે? તેના ઉત્તરમાં ગુરુ કહે છે કે જેવી રીતે કોઈ એક જન્મથી જ આંધળો, બહેરો, મૂંગો પુરુષ હોય તેને કોઈ ભાલાથી ભેદે, તલવારાદિથી છેદે, કોઈ પગને ભેદે છે, ઘૂંટીને, પિંડીને, ઘૂંટણને, જંઘાને, કમરને, નાભિને, પેટને, પાંસળીને. પીઠને, છાતીને. હદયને, સ્તનને, ખભાને, બાહુને, હાથને આંગળીને, નખને, ગળાને. દાઢીને હોઠને, દાંતને, જીભને, તાળવાને, ગાલને, લમણાને, કાનને, નાકને આંખને, ભ્રમરને, લલાટને અને મસ્તક ઇત્યાદિ અવયવોને, છેદે, ભેદ, તેને મૂચ્છિત કરે, મારી નાખે ત્યારે તેને વેદના થાય છે. પરંતુ તે વેદનાને પ્રગટ કરી શકતો નથી. તેવીજ રીતે પૃથ્વીકાયના જીવ પણ અવ્યકતરૂપથી વેદનાનો અનુભવ કરે છે, પરંતુ તેને પ્રગટ કરી શકતા નથી. [18] પૃથ્વીકાયની હિંસા કરનાર પુરૂષને આરંભનું જ્ઞાન નથી તેથી તે હિંસાજન્ય પાપમાં લાગ્યો રહે છે. જે અહિંસક વૃત્તિવાળા છે તે સૂક્ષ્મ અથવા સ્કૂલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy