________________ _ नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ zazlzzzzzzzzzzz આયારો ܙܘ st (અંગસૂત્ર-૧-ગુર્જરછાયા ) પક શ્રુતસ્કંધઃ 1 - (અધ્યયન-૧- શસ્ત્રપરિજ્ઞા) 1 હે આયુષ્યમનું! મેં સાંભળેલ છે કે ભગવાન મહાવીરે આમ કહ્યું હતું. [2-3] સંસારમાં દરેક જીવોને જ્ઞાન હોતું નથી કે હું પૂર્વ દિશામાંથી આવ્યો છું? દક્ષિણ દિશામાંથી આવ્યો છું? અથવા પશ્ચિમ દિશાથી આવ્યો છું? ઉત્તર દિશામાંથી આવ્યો છું? ઉર્ધ્વ દિશાથી આવ્યો છું? અધો દિશાથી આવ્યો છું? અથવા કોઈ પણ દિશા થા વિદિશામાંથી આવેલ છું? એવી જ રીતે દરેક જીવોને જ્ઞાન નથી હોતું, કે મારો આત્મા પુનર્જન્મ ધારણ કરનાર છે ? અથવા મારો આત્મા પુર્નજન્મ ધારણ કરનાર નથી? પહેલા હું કોણ હતો? અથવા અહિથી ચ્યવીને પરલોકમાં શું થઇશ? ૪િ-પી કોઈ કોઈ જીવ પોતાના જાતિસ્મરણાદિ જ્ઞાનથી અથવા તીર્થકરના ઉપદેશથી અથવા અન્ય-અવધિજ્ઞાની આદિ પાસેથી સાંભળીને જાણી શકે કે હું પૂર્વ દિશામાંથી આવ્યો છું. યાવતુ કોઈ પણ દિશામાંથી યા વિદિશામાંથી આવ્યો છું તે જ રીતે કેટલાંકને એવું જ્ઞાન હોય છે, કે મારો આત્મા પુનર્ભવ કરવાવાળો છે, જે આ દિશાઓમાં અથવા વિદિશાઓમાં વારંવાર આવાગમન કરે છે, તેમજ સર્વ દિશાઓ અને સર્વ વિદિશાઓમાં આવાગમન કરે છે તે હું છું. આવું જ્ઞાન જેને છે તે જ આત્મવાદી, લોકવાદી, કર્મવાદી અને ક્રિયાવાદી છે. [6-7 મેં કર્યું છે, મેં કરાવ્યું છે અને અન્યકરનારને અનુમોદન આપ્યું છે, લોકમાં એટલા જ કર્મસમારંભ-કર્મ બાંધવાના કારણભૂત ક્રિયાના ભેદો જાણવા જોઈએ. [8-9 કર્મ અને કર્મબંધના સ્વરૂપને નહિ જાણનાર પુરુષ-આત્મા જ આ દિશાઓ અને વિદિશાઓમાં વારંવાર આવાગમન કરે છે અને સર્વ દિશાઓમાં તથા વિદિશાઓમાં કમની સાથે ગમનાગમન કરે છે. અનેક પ્રકારની યોનિઓની સાથે પોતાનો સંબંધ સ્થાપિત કરે છે. વિવિધ પ્રકારના સ્પેશ અને દુખોને વેદ છે. [10] તે કર્મબંધનના કારણભૂત ક્રિયાઓના વિષયમાં ભગવાને પરિજ્ઞા કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org