SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 104 આયારો - 241-49 પ્રાસાદ પર હોય તેમાં તેમજ તેવા પ્રકારની કોઈ બીજી ભૂમિમાં સાધુ-સાધ્વી મળમૂત્રનો ત્યાગ ન કરે. સાધુ અને સાધ્વી સચિત્ત પૃથ્વી પર, સ્નિગ્ધ પૃથ્વી પર, સચિત્ત રજ યુક્ત પૃથ્વી શિલા પર, સચિત્ત પથ્થર પર, ઉધઈવાળા કાષ્ઠ પર, અથવા એવી જાતના જીવજંતુયુક્ત પૃથ્વી પર કરોળિયાના જાળાયુક્ત પૃથ્વી પર મળમૂત્રનો ત્યાગ ન કરે. પિ૦૦]સાધુ-સાધ્વી ડિલ ભૂમિના વિષયમાં એમ જાણે કે ગૃહસ્થ યા. ગૃહસ્થપુત્ર વગેરેએ કંદમૂળ બીજ જે જગ્યામાં વિખેર્યા છે, વિખેરે છે, વિખેરશે, તેવી જગ્યાએ મળ-મૂત્ર ન ત્યાગે. સાધુ-સાધ્વીએ સમજવું જોઈએ કે જે જગ્યામાં ગૃહસ્થો - કમોદ, ધાન્ય, મગ, અડદ, કળથી, જવ, જુવાર વાવ્યા છે, વાવે છે કે વાવશે તેવી ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. સાધુ-સાધ્વી જે અંડિલ ભૂમિ વિષે જાણે કે અહીં ઉકરડો છે, બહુ ફાટેલી જમીન છે, થોડી ફાટેલી જમીન છે, કાદવ છે, કુટું છે, શેરડી કે જુવારના સાંઠા પડ્યા છે, ખાડો, ગુફ કોટ-કિલ્લો છે. ઉંચી નીચી ભૂમિ છે, ત્યાં તેમજ તેવા પ્રકારની કોઈ પણ ભૂમિમાં મળ-મૂત્ર ન ત્યાગે. જ્યાં મનુષ્યોના ભોજન, રાંધવાના સ્થાન હોય, જ્યાં ભેંસ, પાડા, બળદ, ઘોડા, મરઘાં, લાવક, બતક, તેતર, કબૂતર, કંપિજલ-વગેરે રાખવામાં આવતાં હોય તે સ્થાને સાધુ-સાધ્વી મળ-મૂત્ર ન ત્યાગે. જ્યાં ફાંશી ખાઈને મૃત્યુ પામતા હોય. પોતાના શરીરને ગીધો પાસે ભક્ષણ કરી, અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ પામતા હોય તેવી જગ્યામાં અથવા તેવા પ્રકારની કોઈ પણ જગ્યામાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં બાગ, બગીચા, ઉદ્યાન, વનખંડ, દેવકુળ, સભા, પરબ ઈત્યાદિ, તેવા પ્રકારના બીજા કોઈ પણ સ્થળો હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં અટારીઓ હોય, ફરવાની જગ્યા હોય, દરવાજો કે ફાટક હોય તથા તેવા પ્રકારની બીજી કોઈ પણ જગ્યા હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં ત્રણ-ચાર-માર્ગ મળતાં હોય-ચોરો, ચૌટા, ચતુર્મુખ વગેરે હોય તથા તેવા પ્રકારના બીજાં કોઈપણ સ્થાન હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં કોલસા, પાડવાની, સાજીખાર પકાવવાની, મૃતકને બાળવાની જગ્યા હોય, તથા મૃતકના સ્મારક રૂપ તૂપિકાઓ અથવા ચેત્યો હોય ત્યાં તથા તેવા પ્રકારના અન્ય સ્થાનોમાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં નદીના તટસ્થાન હોય, કાદવની જગ્યા હોય, વંશપરંપરાથી પૂજાતાં સ્થાન હોય, અથવા પાણીના ક્યારીઓ હોય તથા તેવા પ્રકારના અન્ય સ્થાનો હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. સાધુસાધ્વી જ્યાં માટીની નવી ખાણો હોય, ગાયોને ચરવાનાં નવાં ગોચર સ્થળો હોય કે બીજી ખાણો હોય, તથા તેવા પ્રકારનાં કોઈ પણ બીજાં સ્થળો હોય ત્યાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે. ડાળપ્રધાન શાકના ખેતરમાં, પાનપ્રધાન-ભાજી પાલાના ખેતરમાં, ગાજર-મૂળાના ખેતરમાં તથા તેવા પ્રકારની બીજી કોઈ જગ્યામાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. સાધુ-સાધ્વી અશનવનમાં, શરણવનમાં, ધાવડી-કેતકી-અશોક આંબાવનમાં અથવા નાગવૃક્ષો, પુનાગવૃજ્ઞો, ચુલકવૃક્ષોનાં વનમાં તથા તેવા પ્રકારના બીજા પત્ર-પુખ. ફળ-બીજ કે વનસ્પતિ યુક્ત સ્થળોમાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે. પિ૦૧]સંયમશીલ સાધુ-સાધ્વી પાત્ર અથવા પર પાત્ર લઈને બગીચાના કે ઉપાશ્રયના એકાંત સ્થાનમાં જય અને જ્યાં કોઈનું આવાગમન ન હોય. કોઈ જોતું ન હોય, જીવજન્તુ કે કરોળીયાના જાળાદિ ન હોય તેવી અચિત્ત ભૂમિમાં મળ-મૂત્ર ત્યાગે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy