SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-ર, અધ્યયન-૮, 13 બધા પ્રત્યે સમાન ભાવ રાખતા વિચરે. એજ સંયશીલ સાધુ સાધ્વીનો સમગ્ર આચાર છે. એનું પાલન કરી સંયમમાં યતના રાખે એમ હું કહું છું. અધ્યયન ૮ચૂલિકા-૨/૧ ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન:૯-નિષિધિકાવિષયક ચૂલિકા-૨) ૪૯૮]કોઈ સાધુ કે સાધ્વી નિર્દોષ સ્વાધ્યાય ભૂમિમાં જવા ઈચ્છે ત્યારે તે ભૂમિને દેખે અને જો તે ભૂમિ ઈડાદિથી યુક્ત હોય તો સદોષ-અનેકણીય જાણી ગ્રહણ ન કરે. કોઈ સાધુ-સાધ્વી સ્વાધ્યાય ભૂમિમાં જવા ઈચ્છે ત્યારે તે ભૂમિ ઈડા, જીવો, તેમજ જાળાઓથી રહિત હોય તો તે પ્રાસુક છે એમ જાણી ગ્રહણ કરે, પરતુ જળમાં ઉત્પન્ન થનાર કંદાદિથી યુક્ત હોય તો તેવી ભૂમિ પ્રહણ ન કરે, શેષ વર્ણન શય્યા અધ્યયન અનુસાર જાણવવું જોઈએ. સ્વાધ્યાય ભૂમિમાં બે ત્રણ ચાર કે પાંચ સાધુઓ જાય તો. આપસ આપસમાં એક-બ્બીજાના શરીરનું આલિંગન ન કરે, ચુંબન ન કરે, તેમજ દાંતોથી અને નખોથી છેદન આદિ ન કરે. સાધુ અને સાધ્વીનો આ આચાર છે. તેનું પૂર્ણ રૂપથી પાલન કરીને સંયમમાં યતનાવાનું બનવું અને એને શ્રેયસ્કર માનવું જોઈએ. | અધ્યયન ૯-ચૂલિકા રાની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાપૂર્ણ (અધ્યયનઃ૧૦-ઉચ્ચારપ્રશ્રવણ વિષયક ચૂલિક-ર૩) [૪૯૯સાધુ કે સાધ્વીને મળ-મૂત્રની તીવ્ર બાધા ઉત્પન્ન થઈ જાય અને પોતા પાસે પાત્ર મોજૂદ ન હોય તો બીજા સાધુ પાસે. (મળ-મૂત્રનો નિરોધ ન કરે.) - સાધુ કે સાધ્વીએ જીવજંતુવાળી, ઈડાવાળી, જાળાવાળી, જગ્યામાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. સાધુ કે સાધ્વી જીવરહિત, બીજ રહિત, ઈડા રહિત, જાળા રહિત જગ્યામાં મળ-મૂત્રનો ત્યાગ કરે. જે સ્પંડિલ ભૂમિ એક યા અનેક સાધુઓ માટે અથવા સાધ્વીઓ માટે અથવા શ્રમણો-બ્રાહ્મણો માટે અનેક પ્રાણી, ભૂત, જીવ સત્વની હિંસા કરીને બનાવવામાં આવી હોય અને તેના માલિકે તે ભૂમિનો ઉપયોગ કર્યો કે ન કર્યો હોય તેવી જગ્યામાં સાધુ-સાધ્વી મળમૂત્રનો ત્યાગ ન કરે. સાધુ કે સાધ્વી જ્યારે સ્થડિલ ભૂમિ એવી જાણે કે આ ભૂમિ અન્યતીથિં-બ્રાહ્મણ કુપણ-રાંક-અતિથિ વગેરે માટે પ્રાણી-ભૂત-જીવસત્વોની હિંસા કરીને બનાવી છે. એ ભૂમિનો હજુ અન્ય લોકોએ ઉપયોગ કર્યો નથી. તેમજ તેની મમતા પણ ત્યાગી નથી. એવી તે ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ ન કરે. જે એવી પ્રતીતિ થઈ જાય કે આ ભૂમિનો ઉપયોગ અન્ય લોકોએ કર્યો છે અને મમતા પણ ત્યાગી છે. તો ત્યાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે. સાધુ કે સાધ્વી ભૂમિના વિષયમાં એમ જાણે કે આ ડિલ ભૂમિ-સાધુ માટે કરેલ-કરાવેલ-ઉધાર લીધેલ-છત કરેલ-તોડી ફોડી સારી કરેલ, ઘસી-ઘસીને સાફ કરલે-પોલીશ કરેલ લીંપેલ વાળીને સાફ કરેલ, ધૂપથી સુગંધિત કરેલ છે. તેવા પ્રકારના ઉત્તર-દોષવાળી ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ ન કરે. જો સાધુ-સાધ્વી જાણે કે ગૃહસ્થ અથવા તેના પુત્રો કન્દમૂળ-લીલી વનસ્પતિ વગેરે પદાર્થોને અંદરથી બહાર અને બહારથી અંદર લઈ જાય છે. તેવી ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ ન કરે. સ્પંડિલ ભૂમિ સ્કંધ પર, બાજોઠ પર, માથા પર, માળા પર, અગાસી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy