________________ 102 આચારો-ર૭ર૪૯૫ માટે અવગ્રહ યાચીશ નહીં પરંતુ તેઓએ યાચેલા સ્થાનોમાં વાસ કરીશ. તે ચોથી પ્રતિજ્ઞા કોઈ સાધુ આ અભિગ્રહ કરે છે કે હું મારા માટે અવગ્રહની યાચના કરીશ, પરંતુ બીજા બે, ત્રણ, ચાર, પાંચ માટે યાચના કરીશ નહી. આ પાંચમી પ્રતિજ્ઞા.કોઈ સાધુ એવી પ્રતિજ્ઞા કરે છે કે હું જેના અવગ્રહની યાચના કરીશ તેના જ અવગ્રહમાં જો તૃણવિશેષ-સંતારક મળી જશે તો ઉપયોગ કરીશ, નહીં તો ઉત્સટુક આસનાદિ દ્વારા રાત્રિ વ્યતીત કરીશ. તે છઠ્ઠી પ્રતિજ્ઞા. જે સ્થાનની આજ્ઞા લીધી હોય તે સ્થાનમાં પૃથ્વી શિલા, કોષ્ઠશિલા પરાળાદિ આસનો હશે તેના ઉપર આસન કરીશ નહિ તો ઉત્કટક આસન દ્વારા આ શય્યા વિનાજ રાત્રિ વ્યતીત કરીશ. આ સાત પ્રતિજ્ઞાઓમાંથી કોઈ પણ પ્રતિજ્ઞા સાધુ સ્વીકારે-પરંતુ અન્ય સાધુઓની નિન્દા ન કરે. અભિમાનનો ત્યાગ કરી બીજા સાધુઓને સમભાવથી જુએ, ઈત્યાદિ વર્ણન પિંડેષણા અધ્યયનવતુ જાણી લેવું. 1 [૪૯]હે આયુષ્યનું શિષ્ય ! મેં સાંભળેલ છે કે ભગવાને આ પ્રમાણે કહ્યું છે. સ્થવિર ભગવંતોએ પાંચ પ્રકારના અવગ્રહ કહ્યા છે, દેવેન્દ્રઅવગ્રહ, રાજઅવગ્રહ, ગૃહઅવગ્રહ, સાગારિક અવગ્રહ, સાધર્મિકઅવગ્રહ. આ સાધુ-સાધ્વીના અવગ્રહ સંબંધી સમગ્ર આચાર છે. તેનું પાલન કરતા સંયમમાં યતનાવાતુ બને. અધ્યયનઃ ઉદેસી ર નીમુનીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ગુર્જરછાયાપૂર્ણ-ચૂલિકા પૂર્ણ અધ્યયન ૮સ્થાનવિષયક ચૂલિકા 2/1 ૪૯૭]કોઈ ગામ કે નગરમાં નિવાસ કરવાની ઈચ્છા વાળા સાધુ-સાધ્વી ગ્રામદિમાં જઈ તે કાયોત્સગદિને માટે સ્થાનને જુએ. જો સ્થાન કરોળીયાના જાળથી કે ઈડાથી યુક્ત હોય, તો તે સ્થાનને મળવા છતાં અપ્રાસુક અને અનેકણીય જાણી ગ્રહણ ન કરે. શેષવર્ણન શય્યા અધ્યયનની સમાન જાણવું જોઈએ. યાવતુ જલોત્પન્ન કંદ આદિ હોય તો તે સ્થાન ગ્રાહ્ય નથી. સાધુઓએ સ્થાનના દોષો ત્યાગી ગવેષણા કરવી જોઈ અને તે સ્થાનમાં રહી ચાર પ્રતિજ્ઞાઓ જાણવી જોઈએ. તે ચાર પ્રતિજ્ઞાઓ આ રીતે-હું અચિત સ્થાનમાં રહીશ, અચિત. દિવાલાદિનો સહારો લઈશ તથા હાથ-પગનું આકુંચન પ્રસારણ કરીશ તેમજ જરા માત્ર મર્યાદિત ભૂમિમાં ભ્રમણ કરીશ, હું અચિત્ત સ્થાનમાં રહીશ. દિવાલાદિનો આશ્રય લઈશ. હાથ-પગનું સંચાલન કરીશ, પરંતુ ભ્રમણ કરીશ નહી, હું અચિત્ત સ્થાનમાં રહીશ, અચિત્ત દિવાલાદિનો સહારો પણ લઈશ, પરંતુ હાથ-પગનું સંચારણ-પ્રસારણ તેમજ ભ્રમણ કરીશ નહી. હું અચિત્ત સ્થાનમાં રહીશ, કિન્તુ દિવાલઆદિનું અવલંબન, હાથપગનું સંચાલન, પ્રસારણ, તેમ જ ભ્રમણ કરીશ નહી, એક સ્થાનમાં સ્થિર રહીને કાર્યોત્સર્ગ દ્વારા શરીરનો સારી રીતે નિરોધ કરીશ, અને પરિમિત કાળ માટે મારા શરીરનું મમત્વ ત્યાગીશ, તેમજ કેશ દાઢી, નખ, મુછને પણ વોસિરાવી દઈશ. યોગ-સંચારનો ત્યાગ કરી તે સ્થાનમાં રહીશ આ પૂર્વોક્ત ચાર પ્રતિમાઓમાંથી કોઈ એક પ્રતિમા ધારક સાધુ બીજા કોઈ પણ પ્રતિમાધારક કરતાં ન હોય તેવા સાધુઓની અહંકારમાં આવી અવહેલના ન કરે. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org