________________ 101 શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, ઉદેસી-૨ તથા અનેક નાના ટુકડા કરેલ ન હોય, વિદારિત ન હોય તો પણ અમાસુક જણી ન લે. જે ફલ ઈંડાદિથી રહિત, જેના તિરછા ટુકડા કે અનેક નાના ટુકડા થઈ ચૂક્યા હોય, તથા ગોઠલા અલગ કર્યો હોય તેવા આમ્રફળ અચિત્ત તથા પ્રાસુક જાણી ગ્રહણ કરી શકે. સાધુ કે સાધ્વીને કદાચિત્ આમ્રફળનો અડધો ભાગ, ચીર-છાલ રસ ટૂકડા વગેરે ખાવાની ઈચ્છા થાય પણ તે સર્વ ઈડા, જલથી યુક્ત હોય તો ગ્રહણ ન કરી શકાય. સાધુ કે સાધ્વી કદાચિતુ કેરીની ચીરાદિ ખાવાની ઈચ્છા હોય અને તે ચીરાદિ ઈડાથી રહિત યાવતુ જાલાદિથી રહિત હોય, પરન્તુ છોલેલી કે સુધારેલી ન હોય તો તેને ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વીને કદાચિત આમ્રફળનો અડઘો ભાગ, ચીર-છાલ-રસ-ટુકડા વગેરેને ખાવાની ઈચ્છા થાય પણ તે સર્વ ઈંડાદિ યુક્ત હોય તો ગ્રહણ ન કરી શકાય. સાધુ -સાધ્વીને કદાચિત આમ્રફળનો અડધો ભાગ ચીર-છાલ-રસ-ટુકડો વગેરેને ખાવાની ઈચ્છા થાય અને તે ઈંડાદિથી રહિત હોય, પરન્તુ તેને બરાબર કાપી ન હોય તો તે અપ્રાસક છે માટે ગ્રહણ ન કરાય. સાધુ-સાધ્વી જે સમજે કે પૂર્વોક્ત ટુકડાદિ થયેલ છે, ઈડાદિથી રહિત છે. તેથી ગ્રહણ કરવા યોગ્ય છે. એમ માની ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી શેરડીની વાડીમાં જવા ઈચ્છે તો માલિક કે વનપાળની રજા લે શેષ ઉપર પ્રમાણે. ત્યાં રહ્યા પછી શેરડી ખાવા-પીવા ઈચ્છે તો પહેલા ખ્યાલ કરે કે આ શેરડી ઈડાદિ થી યુક્ત છે, તેમજ વાંકી છેટાયેલી નથી, વગેરે ઉપર્યુક્ત પ્રમાણે. તે સાધુ-સાધ્વીને વળી શેરડીનો અંદરનો ભાગ, તેની ગાંઠ, છાલ, રસ, ટુકડા ખાવા પીવાની ઈચ્છા થાય તો ઈંડાદિયુક્ત હોઈ અશુદ્ધ જાણી ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વી શેરડીના અંદરના ભાગથી માંડી ગંડેરી સુધી સર્વ વિભાગો ડાદિથી રહિત હોય પણ બરાબર કપાયેલા ન હોય તો ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વીને ઉપરની ચીજો બરાબર ઈડાદિથી રહિત તેમજ તિરછે છેદાયેલી પ્રાપ્ત થાય અને પ્રાક અચિત્ત હોય તો ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી કદાચિત્ લસણની વાડીમાં રહેવા ઈચ્છે તો આજ્ઞા લઈને રહે અને લસણ ખાવા પીવાની ઈચ્છા થાયતો પહેલાની વિધિ મુજબ સમજી લેવું. કેવળ શેરડીના સ્થાન પર 'લસણ' શબ્દ કહેવો. કોઈ સાધુ-સાધ્વીને લસણ, લસણની કળી, લસણના ફોતરા, લસણના ટુકડા, લસણના પાન, લસણના ફોતરા, લસણના ટુકડા, લસણના પાન, લસણનરસ ખાવા-પીવાની ઈચ્છા થાય અને ખબર પડે કે લસણ આદિ ડાદિ કે જીવજંતુયુક્ત છે તો ગ્રહણ ન કરે. એ જ પ્રમાણે ટુકડા કર્યા વિનાનું, કે છેદન ભેદનની ક્રિયા ન થઈ હોય તેવું પણ ગ્રહણ ન કરે. પરન્તુ ઈંડા આદિથી રહિત હોય, છેદન ભેદન થયેલ હોય, બિલકુલ અચિત્ત અને પ્રાસુક હોય તો ગ્રહણ કરે. [૪૫]ધર્મશાળાદિમાં અવગ્રહ ગ્રહણ કરીને સાધુ તથા સાધ્વી, ગૃહસ્થ કે ગૃહસ્થ-પુત્રાદિનાસંબંધથી ઉત્પન્ન થતા તથા આગળ કહેવામાં આવેલા દોષોથી બચે. અવગ્રહ ગ્રહણ કરવાની સાતપ્રતિજ્ઞાઓ છે. ધર્મશાળા આદિમાં વિચાર કરીને અવગ્રહ યાચે. જેટલા સમય માટે અધિકારીની આજ્ઞા હશે તેટલો સમય ત્યાં રહિશ તે પહેલી પ્રતિજ્ઞા છે. હું બીજા ભિક્ષુઓ માટે ઉપાશ્રયની આજ્ઞા માંગીશ અને તેઓ દ્વારા વાચેલા ઉપાશ્રયમાં રહીશ. તે બીજી પ્રતિજ્ઞા. કોઈ સાધુ આ રીતે અભિગ્રહ કરે છે. હું બીજા ભિક્ષુઓ માટે તો અવગ્રહ યાચીશ. પરંતુ તેઓએ યાચના કરેલ સ્થાનોમાં રહીશ નહી. આત્રીજી પ્રતિજ્ઞા. કોઈ સાધુ આ પ્રમાણે પણ અભિગ્રહ કરે છે. હું બીજા ભિક્ષુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org