SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૨૯૯ ૩૬૭ તિર્યચપંચેન્દ્રિય જીવોને વાયુકાયિક જીવોની જેમ ચાર શરીર હોય છે. મનુષ્યોને પાંચ શરીર હોય છે જેમકે ઔદારિક. વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને નારકજીવોની જેમ ત્રણ શરીર હોય છે. ઔદારિક શરીર કેટલા પ્રરૂપ્યા છે? બે પ્રકારના પ્રરૂપ્યા છે. બદ્ધ ઔદારિકશરીરવર્તમાનમાં જીવોએ ધારણ કરેલ ઔદારિક શરીર અને મુક્ત ઔદારિક શરીરભવાન્તરમાં સંક્રમણ કરવાથી અથવા મોક્ષપ્રાપ્ત જીવોવડે જે ઔદારિક શરીર છોડી દેવામાં આવે છે. તેમાં જે બદ્ધ ઔદારિક છે તે અસંખ્યાત છે. એકએક સમયે એક-એક બદ્ધ ઔદારિક શરીરનો પરિત્યાગ કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી અનેઅવસર્પિણી કાળ વ્યતીત થઈ જાય ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધઔદારિક શરીર અસંખ્યાત લોક પ્રમાણ છે, જે મુક્ત ઔદારિક શરીર છે તે અનંત છે. કાળથી અનંત છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંત લોક પ્રમાણ છે. અભવ્યજીવ દ્રવ્યથી અનંતગુણા છે અને સિદ્ધોથી અનંતમાં ભાગ પ્રમાણ છે. વૈક્રિય શરીર કેટલા પ્રકારનું કહેવામાં આવ્યું છે? બે પ્રકારના છે. બદ્ધ વૈક્રિય શરીર અને મુકત વૈક્રિય શરીર. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધવૈક્રિયશરીરોનું પ્રમાણ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓમાં રહેલા પ્રદેશો જેટલા છે. મુક્ત વૈક્રિય શરીરો અનંત છે. શેષ સર્વ મુક્તઔદ્યરિકની જેમ જાણી લેવું જોઈએ. આહારશરીર કેટલા કહેવામાં આવ્યાં છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ આહારક શરીર છે તે કયારેક હોય છે અને કયારેક નથી હોતાં જે સમયમાં આહારક શરીર હોય છે ત્યારે તેની સંખ્યા જઘન્ય એક બે કે ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ સંખ્યા સહસ્ત્રપૃથકુત્વ મુક્ત આહારક શરીરોની સંખ્યા મુક્ત ઔદારિક શરીરોની જેમજ જાણવી. તૈજસશરીર કેટલાં કહેવામાં આવ્યા છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. આમાં બદ્ધ તૈજસશરીર અનંત છે ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધતૈજસશરીર અનંતલોક પ્રમાણ પરિમિત છે. દ્રવ્યની અપેક્ષાએ બદ્ધતૈજસ શરીર સિદ્ધ ભગવાનથી અનંતગણા અને સર્વજીવોની અપેક્ષાએ અનંતભાગ ન્યૂન છે. તેમાં જે મુક્તતેજસશરીરો છે તે અનંત છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતલોક રાશિપ્રમાણ છે. દ્રવ્યથી તેઓ બધા જીવોથી અનંતગણા અને સર્વ જીવવર્ગના અનંત ભાગવર્તી હોય છે. કામણ શરીર કેટલા કહેવામાં આવ્યાં છે? કાશ્મણશરીર બદ્ધ અને મુક્તના ભેદથી બે પ્રકારના હોય છે. જે રીતે તૈજસ શરીરનું કથન છે તે જ રીતે કાર્મણશરીર સંબંધી કથને સમજી લેવું. નારક જીવોના કેટલા દારિક શરીરો કહેવામાં આવ્યાં છે ? નારકોના ઔદારિક - શરીર બે પ્રકારના કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે–બદ્ધ અને મુક્ત. આમાં જે બદ્ધ ઔદારિકશરીર છે તે નારક–જીવોને હોતા નથી. કારણ કે તેઓ વૈક્રિય–શરીરવાળા છે. જે મુક્તદારિક શરીર છે તે સામાન્ય મુક્તઔદારિકશરીર પ્રમાણે જાણવા. નારકજીવોના વૈક્રિય–શરીરો કેટલા કહેવામાં આવ્યા છે ? વૈક્રિયશરીરો બદ્ધ અને મુક્તના ભેદથી બે પ્રકારના કહેવામાં આવ્યા છે. આમાં જે બદ્ધવૈક્રિયશરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલપ્રમાણ પ્રતર ક્ષેત્રમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓમાં જે પ્રદેશ રાશિ છે તેટલા છે. એટલે તેના દ્વિતીય વર્ગમૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળપ્રમાણ વિખ્રભસૂચીરૂપ શ્રેણી અથવા અંગુલપ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy