SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ અનુઓગદારાઈ - (૨૯૭) સમાવિષ્ટ થઈ જાય છે. પછી આમળા નાખતાં તે પણ સમાઈ જાય છે. તેમાં બોર નાખતાંતે પણ સમાવિષ્ટ થઈ જાય છે. તેમાં મગ નાખવામાં આવે તો તે પણ તેમાં પ્રવેશી જાય છે. તેમાં સરસવ નાખતાં તે પણ સમાવિષ્ટ થઈ જાય છે.તેમાં ગાની રેતી નાખીએ તોતે પણ સમાવિષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે આ દૃષ્ટાંતથી તે પલ્યના એવા પણ આકાશપ્રદેશો છે કે જે બાલાવ્ર ખંડોથી અસ્પૃષ્ટ હોય છે. આ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે. ૧૦ કોટિ-કોટી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમનું એક સૂક્ષ્મ ક્ષેત્રસાગરોપમ હોય છે. [૨૭]- આ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને સાગરોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? તેના વડે દૃષ્ટિવાદઅંગમાં દ્રવ્યોની ગણના કરવામાં આવે છે. [૨૮] દ્રવ્ય કેટલા પ્રકારના છે ? બે પ્રકારના છે-જીવ દ્રવ્ય અને અજીવદ્રવ્ય. - અજીવદ્રવ્યો કેટલા પ્રકારના છે ? . અજીવ દ્રવ્યો બે પ્રકારના છે. રૂપી અજીવ દ્રવ્ય અને અરૂપી અજીવ દ્રવ્ય. અરૂપી અજીવ દ્રવ્ય કેટલા પ્રકારનાં છે ? દસપ્રકારના કહેવામાં આવ્યા છે.ધર્માસ્તિકાય ધર્માસ્તિકાયના દેશો ધર્માસ્તિકાયના પ્રદેશો અધર્માસ્તિકાય અધમસ્તિકાયના દેશો અધર્માસ્તિકાયના પ્રદેશો આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયના દેશો આકાશાસ્તિકાયના પ્રદેશો અને અન્નાસમય. રૂપી અજીવદ્રવ્ય કેટલાં પ્રકારનું છે ? ચાર પ્રકારનું છે, સ્કંધસ્કંધદેશ સ્કંધ પ્રદેશ અને પરમાણુ પુદ્ગલ. આ સ્કંધાદિદ્રવ્યો સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. કયા હેતુથી એમ કહેવાય છે કે સ્કંધાદિક સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે? પરમાણુપુદ્ગલ અનંત છે, દ્વિપ્રદેશિક સ્કંધો અનંત છે યાવત્ અનંત પ્રદેશિક સ્કન્ધો અનન્ત છે. આ હેતુથી કહીએ છીએ કે સ્કંધાદિ દ્રવ્યો સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. જીવદ્રવ્ય સંખ્યાત છે ? અસંખ્યાત છે કે અનંત છે ? જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. કઇ રીતે જીવદ્રવ્ય સંખ્યાત નથી. અસંખ્યાત નથી પણ અનંત છે. અસંખ્યાત નારકો છે, અસંખ્યાત અસુકુમાર દેવો છે યાવત્ અસંખ્યાત સ્તનિતકુમા૨ો છે. અસંખ્યાત પૃથ્વીકાયિકો યાવત્ અસંખ્યાત વાયુકાયિકો છે, અનંત વનસ્પતિકાયિકો છે. અસંખ્યાત બેઈન્દ્રિયજીવો યાવત્ અસંખ્યાત ચૌઈન્દ્રિયજીવો, અસંખ્યાત તિર્યંચ પંચેન્દ્રિયજીવો, અસંખ્યાત મનુષ્યો, અસંખ્યાત વ્યંતરદેવો, અસંખ્યાત જ્યોતિષ્ક દેવો, અસંખ્યાત વૈમાનિક દેવો અને અનંત સિદ્ધો છે. આ રીતે જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પણ અનંત છે. [૨૯] શરીરો કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? શરીરો પાંચ પ્રકારના છે. ઔદારિક- વૈક્રિય-આહારક- તૈજસ- કાર્મણ . નારક જીવોના કેટલા શરી૨ હોય છે ? ત્રણ શરીર હોય છે. વૈક્રિય તૈજસ અને કાર્યણ. અસુકુમારદેવોને કેટલા શરીર હોય ? ત્રણ શરીરો હોય- વૈક્રિયક, તૈજસ અને કાર્મણ. આ પ્રમાણે એજ ત્રણ-ત્રણ શરીરો યાવત્ સ્તનિતકુમાર સુધીના દેવોને હોય . પૃથ્વીકાયિક જીવોને કેટલા શરીર હોય છે ? ત્રણ શરીરો હોય છે. ઔદારિક તૈજસ અને કાર્યણ. અકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક જીવોને પણ આજ ત્રણ શરીર હોય છે. વાયુકાયિક જીવોને કેટલા શરીર હોય છે ? વાયુાયિક જીવોને ચાર શરીર હોય છે. ઔદારિક, વૈક્રિય, તેજસ અને કાર્મણ. બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચઉરિન્દ્રિ જીવોને કેટલા શરીર હોય છે ? ત્રણ શરીર હોય છે. ઔદારિક, તૈજસ અને કાર્મણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy