SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૫ સુત્ર - ૨૯૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૮ સાગરોપમની છે. -ભગવનું ! ઉપરિતન-અધતન રૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય ૨૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૯ સાગરોપમની સ્થિતિ છે. ઉપરિતન-મધ્યમ રૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી. છે? જઘન્ય ૨૯ સાગર અને ઉત્કૃષ્ટ ૩૦ સાગરોપમની સ્થિતિ છે. ઉપરિતન-ઉપરિતન રૈવેયક વિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય ૩૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમની સ્થિતિ છે. વિજય, વૈયંત, જયંતઅને અપરાજિત આ ચાર અનુત્તર વિમાનોમાં દેવોની. સ્થિતિ કેટલી છે? જઘન્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. સવર્થસિદ્ધનામક મહાવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? ૩૩ સાગરોપમની છે. એમાં જઘન્ય અને ઉત્કૃષ્ટનો ભેદ નથી. આ પ્રમાણે સૂક્ષ્મઅદ્ધાપલ્યોપમનું અને અદ્ધાપલ્યોપમનું વર્ણન પૂર્ણ થયું.. [૨૯૩-૨૯૪ ભગવનું ! ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ક્ષેત્ર પલ્યોપમ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને વ્યવહારક્ષેત્રપલ્યોપમ આ બે સ્વરૂપે જાણવું. તેમાં જે સૂક્ષ્મ છે તેનું વર્ણન પછી કરવામાં આવશે. વ્યાવહારિકક્ષેત્રપલ્યોપમ આ પ્રમાણે છે- કોઈ એક યોજન લાંબો, એક યોજન પહોળો, અને એક યોજનાની ઊંડાઈવાળો, કંઈક અધિક ત્રણ યોજનની પરિધિવાળો પલ્ય હોય તે પલ્ય એક,બે ત્રણ યાવતુ સાત દિવસના બાલાગ્રોથી સંપૂરિત કરવામાં આવે. તેમાં બાલાઝો એવી રીતે ઠાંસીને ભરવામાં આવે કે તેને અગ્નિ બાળી શકતો નથી યાવતુ તે સડી જતાં નથી. તે પલ્યના જે આકાશ પ્રદેશો બાલાઝવડે વ્યાપ્ત છે તે પ્રદેશોમાંથી સમયે-સમયે એક-એક પ્રદેશને બહાર કાઢતાં જેટલા સમયમાં તે પલ્ય સર્વ પ્રદેશોથી રહિત થઈ જાય તેટલા સમયને વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ કહે છે, એટલેઅસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણી જેટલો કાળ વ્યતીત થઈ જાય ત્યારે આ પલ્યોપમ થાય છે. ૧૦ કોટિ-કોટી વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ બરાબર એક વ્યાવહારિક ક્ષેત્રસાગરોપમ છે. [૨૯૫-૨૯૬આ વ્યાવહારિકક્ષેત્ર-પલ્યોપમ અને સાગરોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? કોઈ પણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. તે માત્ર પ્રરૂપણા માટે છે. આ પ્રમાણે વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ છે. સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ કેવું છે? કોઈ એક પલ્ય એક યોજન લાંબો યાવતુ પૂર્વોકત પરિધિથી યુક્ત હોય તેને એક, બે યાવતુ સાત દિવસના બાલાગ્રોથી સંપૂરિત કરવામાં આવે અને તે એકએક બાલાસ્ત્રના અસંખ્યાત-અસંખ્યાત ખંડો કરવામાં આવે. આ બાલાગ્રખંડો દષ્ટિના વિષયીભૂત પદાર્થની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગ માત્ર છે અને સૂક્ષ્મપનક જીવની શરીરવગાહનાની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. તે બાલાગ્રખંડોને પલ્યમાં એવી રીતે ભરવા જોઈએ કે જેથી અગ્નિ બાળે નહિ યાવતુ તે સડી શકે નહીં. તે બાલાગ્ર ખંડોપત્યના આકાશપ્રદેશોથી સ્પષ્ટ હોય કે ન હોય પણ તે આકાશ પ્રદેશોને સમયે સમયે બહાર કાઢતાં યાવતુ તે સંપૂર્ણરૂપે ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે. તે પલ્યના આકાશ-પ્રદેશો એવા પણ હોય છે કે જે બાલાગ્રખંડોથી અસ્કૃષ્ટ અવ્યાપ્ત હોય ? હા છે. જેમકે-કોઈ કોષ્ઠ કૂષ્માંડોથી ભરેલ હોય તેમાં માતલિંગો નાખતાં તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. પુનઃ તેમાં બિલ્વો નાંખે તો પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy