SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ અનુઓગદારાઈ -(૨૭૦) ઉત્તરક્રિય આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૬ રત્નિ પ્રમાણ જાણવી. ઉત્તરવૈક્રિય અવગાહના સૌધર્મકલ્પ અનુસારછે. સાનકુમારની જેટલી અવગાહના માહેન્દ્ર કલ્પમાં જાણવી, બ્રહ્મઅનેલોતક આબે કલ્પોમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાત મા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પાંચ રાત્નિ પ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના સૌધર્મ કલ્પ પ્રમાણે મહાશુક્ર અને સહસ્ત્રાર આ બે કલ્પમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ચારરત્નિ પ્રમાણ ઉત્તર વૈક્રિય અવગાહના સૌધર્મકલ્પ પ્રમાણે જાણવી, આનત, પ્રાણ, આરણ અને અશ્રુત કલ્પોમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ રાત્નિની છે. તેઓની ઉત્તરવૈક્રિય અવગાહના સૌધર્મકલ્પ પ્રમાણે જાણવી. રૈવેયક દેવોની શરીરવગાહના કેટલી છે? રૈવેયક દેવોને ભવધારણીય અવગાહનાજ હોય છે, ઉત્તરવૈક્રિય અવગાહના હોતી નથી. તે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ બે રાત્નિપ્રમાણ અનુત્તરવિમાનો ના દેવોની શરીરવગાહના કેટલી હોય છે ? ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક ર—િપ્રમાણ હોય છે. ઉત્તરવૈક્રિયઅવગાહના ત્યાં પણ હોતી નથી. તે ઉત્સધાંગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારનો છે. સુઍગુલ, પ્રતરાંગુલ, અને ઘનાંગુલ, એક અંગુલ લાંબી અને એક પ્રદેશ પહોળી જે આકાશના પ્રદેશોની શ્રેણી છે તે સૂટ્યગુલ કહેવાય છે. સૂચીને સૂચી વડે ગુણન કરતાં પ્રતરાંગુલ બને છે અને સૂચીથી પ્રતરાંગુલને . ગુણતાં ઘનાંગુલ બને છે. સૂટ્યગુંલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલ, આ ત્રણમાંથી કોણ કોનાથી અલ્પ, મહાન, તુલ્ય અથવા વિશેષાધિક છે ? સૌથી અલ્પ સૂટ્યગુલ છે, સૂટ્યગુલથી અસંખ્યાત ગણા પ્રતરાંગુલ છે. પ્રતરાંગુલથી અસંખ્યાગણા ઘનાંગુલ છે. આ પ્રમાણે ઉત્સોધાંગુલનું સ્વરૂપ છે. પ્રમાણગુલ શું છે ? ઉત્સોધાંગુલને હજાર ગણા કરવાથી પ્રમાણાંગુલ બને છે. અથવા જેનું પ્રમાણ પ્રકષપ્રાપ્ત-સૌથી વધુ હોય તે. પ્રમાણાંગુલ કહેવાય છે. તે આ પ્રમાણે સંપૂર્ણ ભરતક્ષેત્ર પર અખંડ શાસન કરનાર ચક્રવર્તીનું કાકિણીરત્ન અષ્ટસુવર્ણપ્રમાણ હોય છે. તે કાકિણીરત્નને છ તલ (ચાર દિશાના ચાર અને ઉપર-નીચે બે), બાર કોટી, આઠ કર્ણિકાઓ હોય છે. તેનું સંસ્થાન સોનીની એરણ જેવું અથતુ સમચતુરન્સ હોય છે. આ કાકિણીરત્ન એક એક કોટી ઉત્સોધાંગુલપ્રમાણ પહોળી હોય છે. તે એક-એક કોટી શ્રમણભગવાન મહાવીર સ્વામીના અધગુલ પ્રમાણ છે. તેને હજારગુણા કરવાથી પ્રમાણીગુલ બને છે. આ અંગુલાપ્રમાણથી ૬ અંગુલોનો પાદ, ૧૨ અંગુલોની એક વિતસ્તિ, ૨ વિતસ્તિઓની ૧ રત્નિ, ૨ રત્નિની એક કુક્ષિ, બે કુક્ષિઓનું એક ધનુષ, બે હજાર ધનુષોનો એક ગભૂતિ અને ૪ ગભૂતિ બરાબર એક યોજન હોય છે. આ પ્રમાણાંગુલથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? આ પ્રમાણાંગુલથી રત્નપ્રભા વગેરે પૃથ્વીઓના કાંડોનું, પાતાળ કળશો, ભવનપતિના ભવનો, ભવનોના પાવડાઓ, નારકાવાસો, નરકોના પાથડાઓ, સૌધર્મ વગેરે કલ્પો, દેવવિમાનો, વિમાનોના પ્રસ્તરો, છિન્નટિંકો, રત્નકૂટ વગેરે મંડપર્વતો, શિખરવાળાપર્વતો, ઈષતુ નમિત પર્વતો, વિજયો, વક્ષસ્કારો, વર્ષો, વર્ષધરપર્વતો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy