SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૨૦૧ ૩૫૭ વર્ષધરો, સમુદ્રતટની ભૂમિ, વેદિકાઓ, દ્વારો, સમુદ્રોની લંબાઇ, પહોળાઈ, ઊંચાઈ, ઉદ્દેઇ, પરિધિ આ સર્વે માપવામાં આવે છે. આ પ્રમાણાંગુલ સંક્ષેપમાં ત્રણ પ્રકારે પ્રરૂપવામાં આવેલ છે. શ્રેણ્યગુલ પ્રતરાંગુલ અને ઘનાંગુલ, પ્રમાણાંગુલથી નિષ્પન્ન થયેલ અસંખ્યાત કોડા-કોડી યોજનની એક શ્રેણી થાય છે.શ્રેણીને શ્રેણીથી ગુણિત કરતાં પ્રતરાંગુલ બને છે. પ્રતરાંગુલને શ્રેષંગુલથી ગુણિત કરતાં લોક બને છે. સંખ્યાતરાશિથી ગુણિત લોક ‘સંખ્યાતલોક' કહેવાય છે. અંસખ્યાત લોકરાશિથી ગુણિત લોક અસંખ્યાત લોક કહેવાય છે. અનંત રાશિથી ગુણિત લોક અનંતલોક કહેવાય છે. શ્રેણ્યગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલમાં કોન કોણાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? સર્વથી ઓછા શ્રેણ્યગુલ છે, તેનાથી અસંખ્યાત ગણા પ્રતરાંગુલ છે એને તેનાથી અસંખ્યાતગુણા ઘનાંગુલ છે. આ પ્રમાણે વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાનું વર્ણન પૂર્ણ થયું. [૨૭૧-૨૭૪] કાળપ્રમાણ શું છે ? કાળપ્રમાણ બે પ્રકારે કહેવામાં આવેલ છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. પ્રદેશનિષ્પન્ન કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? એક સમયની સ્થિતિવાળો, બેસમયની સ્થિતિવાળો, યાવત્ દશસમયનીસ્થિવાળો, સંખ્યાત સમયની સ્થિતિવાળો પુદ્ગલપરમાણુ કે સ્કંધ તે પ્રદેશનિષ્પન્ન એટલે કાળના નિર્વિ ભાગ અંશથી નિષ્પન્ન કાળપ્રમાણ છે. વિભાગનિષ્પન્ન કાળપ્રમાણ શું છે ? સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્ય, સાગર, અવ સર્પિણી, પુદ્ગલપરાવર્તન રૂપ કાલપ્રમાણ તે વિભાગનિષ્પન્ન કાલપ્રમાણ . [૨૭૫] તે સમય શું છે ? સમયની પ્રરૂપણા કરીશ. કાળના નિર્વિભાગ અંશને ‘સમય’ કહે છે. તે આ પ્રમાણે- તરુણ, બળવાન, સુષમ-દુષમાદિ એટલે ત્રીજા-ચોથા આરામાં જન્મેલ, સ્થિર હસ્તવાળો, દૃઢ-વિશાળ હાથ, પગ, પાર્શ્વભાગ, પષ્ઠાન્ત અને ઉરુનો ધારક, દીર્ઘતા, સરલતા અને પીનત્વની દૃષ્ટિએ સમશ્રેણીવાળા હોવાથી બે તાલવૃક્ષ અથવા કપાટાગલા જેવી બંને ભુજાઓને ધારણ કરનાર, વ્યાયામ કરતાં ચર્મેષ્ટકા પ્રહરણવિશેષ, દ્રઘણ-મુદ્ગર, મુષ્ટિક વગેરે ફેરવવાથી શરીરના અવયવોને દૃઢ બનાવનાર, સ્વાભાવિક રીતે અત્યંત બળયુક્ત, કૂદવું, તરવું, દોડવું વગેરે વિવિધ વ્યાયામોથી જે સામર્થ્યસંપન્ન હોય, કે કપડા ફાડવાની યુક્તિને સારી રીતે જાણનાર, દક્ષ-પોતાના કાર્યમાં પ્રવીણ, કુશળ વિચારપૂર્વક કાર્ય કરનાર, મેઘાવી, નિપુણચતુર, સીવણકળામાં નિપુણ એવો કોઈ દર્જીપુત્ર એક મોટી સૂતર કે રેશમી સાડીને એકદમ શીઘ્રતાથી એક હાથ પ્રમાણ ફાડી નાખે છે, તેને અનુલક્ષીને પ્રશ્ન કરે છે. જેટલા સમયમાં તે દરજીપુત્ર સુતરાઉ અથવા રેશમી શાટિકાને શીઘ્રતાથી હસ્તપ્રમાણ ફાડી નાખે તેટલા કાળને સમય કહેવાય ?આ અર્થ સમર્થ નથી કારણ કે સંખ્યાતતંતુઓના સમુદાયરૂપ સમિતિના સભ્યસંયોગથી એક સુતરાઉ કે રેશમી શાટિકા તૈયાર થાય છે. જ્યાંસુધી ઉપરનો તંતુ છેદાય નહીં ત્યાં સુધી નીચેનો તંતુ છેદાશે નહીં. તેથી ઉપરના તંતુને છેદન ક૨વાનો કાળ અન્ય છે એને નીચેના તંતુના છેદનનો કાળ અન્ય છે. માટે એક હાથ શાટિકા ફાડવાનો કાળ સમયરૂપ નથી. ભદંત ! તે દર્જીપુત્રે જેટલા સમયમાં તે સાડીના ઉ૫૨ના તંતુનું છેદન કર્યું તેટલા કાળને સમય કહેવાય ? આ અર્થ સમર્થ નથી, કેમકે સંખ્યાત પક્ષ્મ-સૂક્ષ્મવાયવોના સમુદાય સમિતિરૂપ સંયોગથી એક તંતુ નિષ્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy