SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ અનુગદારાઈ -(૧૮૩) કાર્યો નાશ પામતા નથી તેને ગાયો, પુત્ર અને મિત્રો હોય છે. તે સ્ત્રીઓને બહુ જ પ્રિય હોય છે. ઋષભસ્વરથી મનુષ્ય ઐશ્વર્યસંપન્ન હોય છે. તે સ્વરના પ્રભાવથી સેનાપતિત્વ, ધન, વસ્ત્રો, સુગંધિત પદાર્થો, અલંકારો, સ્ત્રીઓ તેમજ શયનાસનો મેળવે છે. ગાંધારસ્વરથી ગાનારા શ્રેષ્ઠ આજીવિકાવાળા હોય છે તેમજ કાલાવિદોમાં શ્રેષ્ઠ ગણાય છે અને કાવ્યકાર હોય છે. તે અન્યશાસ્ત્રોમાં પણ પારંગત હોય છે. મધ્યમસ્વરવાળા સુખજીવી હોય છે. મધ્યમસ્વરનો આશ્રય લેનાર ઈચ્છLપ્રમાણે ખાય છે, પીવે છે ને બીજાને આપે છે. પંચમ સ્વરથી જે સંપન્ન હોય તે પૃથ્વીપતિ હોય છે.શૂરવીર, સંગ્રહકરનાર અને અનેક ગણોનો નેતા હોય છે. ધવત સ્વરવાળા. કલહપ્રિય હોય છે. તેમજ સાકનિક વાગરિક સૌકરિક તથા મત્સ્યબંધ હોય. નિષાદ સ્વરનો આશ્રય લેનાર ચંડાળ-રુદ્રકર્મી, મુષ્ટિ પ્રહારકરનારએવું અધમ જાતવાળો હોય, તે અન્ય પ્રકારના પાપકર્મમાં રત રહેનાર, ગોવધ કરનાર તથા ચોરી કરનાર હોય છે. [૧૮૩-૨૦૦] આ સાત સ્વરોના ત્રણ ગ્રામો હોય છે. પજગ્રામ મધ્યમગ્રામ અને ગાંધાર ગ્રામ. ષજગ્રામની સાત મૂચ્છનાઓ હોય છે.મંગી કૌરવીયા હરી રજની સારકાન્તા સારસી શુદ્ધષડ્રજા. મધ્યમગ્રામની સાત મૂચ્છનાઓ પ્રરૂપીછે. ઉત્તરમંદા રજની ઉત્તરા ઉત્તરસમાં સમવક્રાંતા સૌવીરા અને અભિરૂપા. ગાંધારામની પણ સાત મૂચ્છનાઓ હોય છે. નન્દી શુદ્રિકા પૂરિમા શુદ્ધગાંધાર ઉત્તર ગાંધાર સુપ્રુતરાયામ ઉત્તરાયતા કોટિમાં. સાતસ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ગીતોની જાતી કઈ છે ? ગીતના ઉચ્છુવાસ કેટલા સમયના પ્રમાણવાળા હોય છે? ગીતના આકારો કેટલા હોય છે? સાતસ્વરો નાભિમાંથી ઉત્પન્ન થાય છે. ગીત રૂદિતયોનિક હોય છે. પાદસમ ઉછુવાસ હોય ગીતના ત્રણ આકાર હોય છે. પ્રારંભમાં તીવ્ર ધ્વનિયુક્ત હોય છે અને અંતમાં મંદ ધ્વનિ યુક્ત હોય છે. આ રીતે મૃદુ તાર અને મંદ આ ત્રણ ધ્વનિરૂપ આકારો જાણવા. જે સંગીતના છ દોષોને, આઠ ગુણોને, ત્રણ વૃત્તોને અને બે ભાણિતિયોને સારી રીતે જાણશે તે સુશિક્ષિત નિપૂણ કલાકાર રંગ શાળામાં ગાયન કરી શકશે. ગીતના છ દોષો બીતાં-બીતાં ગાવું, ઉતાવળથી ગાવું, અલ્પ સ્વરમાં ગાવું, તાલ વગર ગાવું, કાગડાના જેવા સ્વરથી ગાવું અને નાકમાં ગાવું, આ ગીતના છ દોષો મનાય છે. ગીતના આઠ ગુણ પૂર્ણ- ગીતમાં સમસ્ત ગાયન કળાનું પ્રદર્શન કરવું,રક્તઅનુરાગથી ભાવિત થઈને ગીત ગાવું, અલંકૃત- બીજા વિશેષ સ્કુટ સ્વરોથી ગીતને અલંકૃત કરવું, વ્યક્ત-ગીતમાં અક્ષરો અને સ્વરોને સ્કુટરૂપે ઉચ્ચારવા, અવિપુષ્ટ-ઘાટા પાડતાં હોય તેવા સ્વરે ગાવું, મધુર-કોયલના સ્વર જેવા સ્વરથી ગાવું સમજે ગાનમાં તાલ, વંશસ્વર વગેરેથી સમનુગત સ્વર હોય તે. સુલલિત-સ્વરઘોલનાદિવડે જે શ્રોત્રેન્દ્રિયને સુખ અર્પે એવી રીતે ગાવું. આ ગીતના આઠ ગુણો છે. આ ઉપરાંત બીજા પણ ગીતના ગુણો ઉરઐશસ્ત, કંઠપ્રશસ્ત અને શિરપ્રશસ્ત. અથવા મૃદુ રિભિત અને પદબદ્ધઆ ત્રણ ગુણો છે. તે સિવાય સમતાલ પ્રત્યક્ષેપગીત સપ્તસ્વરસીભરજે નિર્દોષ હોય. સારવતુ એટલે વિશિષ્ટ અર્થથી યુક્ત હોય, જે હેતુ યુક્ત હોય, અલંકૃત હોય, ઉપનીત હોય, સોપચારક્લિષ્ટ-વિરુદ્ધ, લજ્જાસ્પદ અર્થવાચક ન હોય, મિત અને મધુર ગુણયુક્ત ગીત તે ગુણયુક્તપ્રશસ્ત કહેવાય. ગીતના ત્રણ વૃત્તો (છન્દો) હોય છે. તે આ પ્રમાણે-સમવૃત્ત-અર્ધ-સમવૃત્ત-વિષમવૃત્ત- વૃત્તના આ ત્રણ પ્રકાર છે. તે સીવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy