SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર- ૨૦૦ ૩૩૯ ચોથો પ્રકાર હોતો નથી. તેમજ ભણિતિ-ભાષા સંસ્કૃત તથા પ્રકૃતિના ભેદથી બે પ્રકારની કહી છે. તે ઋષિઓવડે ભાષિત હોવાથી પ્રશસ્ત છે. પ્રશસ્ત હોવાથી સ્વરસમૂહમાં ગવાય છે. ૨૦૧-૨૦૪] કેવી સ્ત્રી મધુર ગીત ગાય છે? કઈ સ્ત્રી પર અને રુશ્ર સ્વરથી ગાય છે? કઈ સ્ત્રી ચતુરતાથી ગાય છે, કેવી સ્ત્રી વિલંબિત સ્વરથી, કઈ સ્ત્રી કૂતર સ્વરથી અને કઈ સ્ત્રી વિકૃત સ્વરથી ગાય છે ? શ્યામા-સોળવર્ષની સ્ત્રી મધુર સ્વરથી ગીત ગાય છે. કાળી-સ્ત્રી ચતુર સ્વરથી ગાય છે. કાળી સ્ત્રી મંદ સ્વરથી ગાય છે. આંધળી સ્ત્રી દ્વતસ્વરથી ગાયછે. કપિલ-સ્ત્રી વિકત સ્વરથી ગાય છે. તંત્રીસમ-વીણા સમાન સ્વર, એવી જ રીતે તાલસમ, પદસમ, લયસમ, ગૃહસમ, નિઃશ્વસિતોચ્છવસિતમ સંચરસમ, આ પ્રમાણે સ્વર સાત છે. સાતસ્વર, ત્રણગામ, એકવીશમૂર્ચ્છના અને ૪૯ તાન પ્રમાણ સમસ્ત સ્વરમંડળ છે. આ સપ્તનામનું સ્વરૂપ છે. [૨૦૫-૨૧૨] અષ્ટ નામનું સ્વરૂપ કેવું છે? કત, કર્મ વગેરે આઠ પ્રકારની જે વચન-વિભક્તિઓ છે તે અનામ. વચનવિભક્તિના આઠ પ્રકારો આ પ્રમાણે છે. નિર્દેશપ્રાતિપાદિક-અર્થનું પ્રતિપાદન કરવાના અર્થમાં પ્રથમા અને ઉપદેશમાં દ્વિતીયા વિભક્તિ હોય છે. કરણમાં તૃતીયા વિભક્તિ હોય છે. સંપ્રદાનમાં ચતુથવિભક્તિ હોય છે. અપાદાનમાં પંચમીવિભક્તિ હોય છે. સ્વ-સ્વામીસંબંધ પ્રતિપાદન કરવામાં ષષ્ઠી વિભક્તિ હોય છે. સનિધાન અર્થમાં સપ્તમીવિભક્તિ હોય છે. આમંત્રણ અર્થમાં સંબોધનરૂપ અષ્ટમીવિભક્તિ હોય છે. આ અષ્ટ નામને ઉદાહરણ સહિત સમજાવતા કહે છે કે- નિર્દેશમાં પ્રથમા વિભક્તિ હોય છે. જેમકે (તે), (આ), (હું). ઉપદેશમાં બીજી વિભક્તિ હોય છે. જેમકે જે તમે પ્રત્યક્ષ સાંભળ્યું છે તેને કહો, કરણમાં ત્રીજીવિભક્તિ હોય છે. જેમકે-તેના અને મારાવડે કહેવાયું, તેના અને મારાવડે કરાયું. ચતુર્થી વિભક્તિ નમઃ તથા સ્વાહા આદિ અર્થમાં હોય છે. જેમકે-નમો જિનાય અગ્નસ્વાહા, આદિ. અપાદાનમાં પંચમી હોય છે, જેમકે અહીંથી દૂર કરો અથવા અહીંથી લઈ લો. સ્વ-સ્વામી સંબંધ વાચ્ય હોય ત્યાં ષષ્ઠિવિભક્તિ હોય છે, જેમકે તેની અથવા આની ગયેલ વસ્તુ આ છે. આધાર, કાળ અને ભાવમાં સપ્તમીવિભક્તિ હોય છે. જેમ-તે આમાં છે. આમંત્રણ અર્થમાં અષ્ટમીવિભક્તિ હોય છે, જેમકે- હે યુવાન ! આ પ્રકારે આઠ નામો છે. [૨૧૩-૨૩૪] નવનામનું સ્વરૂપ કેવું છે? કાવ્યના નવરસો નવનામ કહેવાય છે. વીરરસ, શૃંગારરસ, અદ્ભુતરસ, રૌદ્રરસ, બ્રીડનાકરસ-લક્કાજનકરસ, બીભત્સરસ, હાસ્યરસ, કરુણરસ, અને પ્રશાન્તરસ. તે નવરસોમાં વીરરસ- દાન દેવામાં પશ્ચાત્તાપ ન કરવો, તપશ્ચયમાં ધેય હોવું અને શત્રુઓના વિનાશમાં પરાક્રમ હોવું, આવા લથીણોવાળા વીરરસ હોય છે. તે આ પ્રમાણે-રાજ્યના વૈભવને ત્યજી દીક્ષિત થઈને જે કામ-ક્રોધરૂપ ભયંકર શત્રુઓનો વિઘાત કરે છે તે ચોક્કસ મહાવીર કહેવાય છે. શૃંગારરસ રતિના કારણભૂત રમણી આદિ સંબંધી અભિલાષાનો જનક હોય છે. મંડનથી શરીરને અલંકૃત કરવું, વિલાસ-વિલોકન આદિમાં વિકાર તેમજ ઓચિંતા ક્રોધ, સ્મિત, ચમત્કાર, મુખવિક્લવન હોયછેતે, વિબ્લોક-શારીરિકવિકાર, હાસ્ય, લીલા-સકામ ચેષ્ટાઓ તથા રમણ, આ સર્વ શૃંગાર રસના લક્ષણો છે, જેમકે-શ્યામા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy