SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર- ૧૨ ૩૩૫ કપિહસિતઆકાશમાં સંભળાતા ઉગ્રકડાકા, અમોઘસૂર્યોદય અને સૂર્યાસ્તસમયે સૂર્યના કિરણોદ્વારા ઉત્પન્ન થતી રેખાવિશેષ, વાસાભરતાદિ ક્ષેત્ર, વાસધરા-હિમવાનાદિ પર્વત, ગ્રામ, નગર, ઘર, પર્વત, પાતાળકળશ, ભવન, નરક, રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમપ્રભા, સૌધર્મથી અશ્રુત પર્વતના કલ્પ, રૈવેયકો, અનુત્તરવિમાનો, ઇષત્રાગભારાપૃથ્વી, પરમાણુ- પુદ્ગલ, દ્ધિપ્રદેશિકથી લઈને અનંતપ્રદેશીસ્કંધો, (પગલપરિણમનની અપેક્ષાએ) સાદિપારિણામિકભાવરૂપ છે. અનાદિપારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે? ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય લોક, અલોક, ભવસિદ્ધક, અને અભવસિદ્ધક. આ ભાવો અનાદિપારિણામિક છે. અનાદિપારિણામિક છે. આ પ્રકારનું અનાદિ પારિણામિકભાવનું સ્વરૂપ છે. આ પ્રકારે પારિણામિકભાવનું નિરૂપણ પૂર્ણ થયું. સાનિપાતિકભાવનું સ્વરૂપ કેવું છે? ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપશમિક અને પરિણામિક આ પાંચ ભાવોમાંથી બેના સંયોગથી, ત્રણના સંયોગથી, ચારના સંયોગથી અને પાંચના સંયોગથી જે ભાવો નિષ્પન્ન થાય છે તે બધા ભાવોને સાનિપાતિકભાવ કહે છે. તેમાં દ્વિસંયોગજન્ય ૧૦ ભાવ, ત્રિકસંયોગજન્ય ૧૦ ભાવ, ચતુષ્કસંયોગજન્ય પાંચભાવ અને પંચકસંયોગજન્ય એકભાવ થાય છે. બધા મળી ૨૬ ભંગ બને છે. બેના સંયોગથી જે દશ ભાવો નિષ્પન્ન થાય છે તે આ પ્રમાણે છે- ઔદયિક અને ઔપથમિકના સંયોગથી નિષ્પનભાવ, ઔદયિક અને ક્ષાયિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔદયિક અને ક્ષાયોપથમિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔદયિક અને પરિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔપથમિક અને ક્ષાયિકના સંયોગથી નિષ્પનભાવ, ઔપથમિક અને ક્ષાયોપથમિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔપશમિક અને પરિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ, ક્ષાયિક અને ક્ષાયોપથમિકના સંયોગથી નિષ્પનભાવ, ક્ષાયિક અને પરિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ, ક્ષાયોપથમિક અને પારિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ. ઔદયિક અને ઔપથમિકભાવના સંયોગથી નિષ્પન્નભંગનું સ્વરૂપ કેવું છે ? ઔદયિક અને ઔપથમિક ભાવના સંયોગથી નિષ્પન્નભંગનું સ્વરૂપ આ પ્રકારનું છેઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ઔપશમિકભાવમાં ઉપશાંતકષાયને ગણાવી શકાય. આ ઔદયિકોપથમિક ભાવછે. ઔદયિક-ક્ષાયિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે?ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યકત્વ ગણાવી શકાય. ઔદયિક-ક્ષાયોપથમિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયોને ગણાવી શકાય. ઔદયિક-પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને પારિણી મિકભાવમાં જીવત્વને ગણાવી શકાય. ઔપથમિક-ક્ષાયિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉપશાંતકષાયી. ક્ષાયિકસમ્યગ્દષટિ ઓપશમિક-ક્ષાયિક ભાવરૂપ છે. ઔપથમિક-ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઔપશમિક-ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ આ પ્રમાણે છેઔપથમિકભાવમાં ઉપશાંતકષાય અને ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયોને ગણાવી શકાય. ઔપથમિક-પાણામિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઔપથમિકભાવમાં ઉપશાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy