SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ નંદીસુત્ત - (૧૫૦) આજ ૨૨ સૂત્ર સ્વસમયની દષ્ટિથી ચતુઃ નય યુક્ત છે. આ રીતે પૂર્વપિર સર્વ મેળવવાથી “સૂત્ર” થાય છે. આ રીતે તીર્થંકર અને ગણધરોએ કથન કર્યું છે. આ સૂત્રરૂપ દૃષ્ટિવાદનુંવર્ણન થયું. પૂર્વગત દષ્ટિવાદના કેટલા પ્રકાર છે ? પૂર્વગત દૃષ્ટિવાદના ૧૪ ભેદો વર્ણવ્યા છે, જેમકે- ઉત્પાદપૂર્વ, અગ્રાણીયપૂર્વ, અસ્તિનાસ્તિકપ્રવાદપૂર્વ, જ્ઞાનપ્રવાદપૂર્વ, સત્ય પ્રવાદપૂર્વ પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ, વિદ્યાનુપ્રવાદપૂર્વ, અવન્ધ્યપૂર્વ, પ્રાણાયપૂર્વ, ક્રિયાવિશાલપૂર્વલોકબિન્દુસારપૂર્વ. ઉત્પાદપૂર્વની દસવસ્તુ (વિશાળ પ્રકરણ) અને ચાર ચૂલિકા વસ્તુ કહેલ છે. અગ્રણીયપૂર્વની ચૌદ વસ્તુ અને બાર ચૂલિકા વસ્તુ કહેલ છે. વીર્યપ્રવાદપૂર્વની આઠ વસ્તુ અને આઠ ચૂલિકા વસ્તુ છે.અસ્તિ નાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુ અને દસ ચૂલિકા વસ્તુ કહેલ છે. જ્ઞાનપ્રવાદ પૂર્વની બારવસ્તુ કહેલછે. સત્યપ્રવાદ પૂર્વની બે વસ્તુ કહેલ છે. આત્મપ્રવાદપૂર્વની સોળવસ્તુ કહેલછે. કર્મપ્રવાદ પૂર્વની ત્રીસ વસ્તુ કહેલ છે. પ્રત્યાખ્યાન પૂર્વની વીસવસ્તુ કહેલ છે. વિદ્યાનુપ્રવાદ પૂર્વની પંદર વસ્તુ પ્રતિપાદન કરી છે. અવન્ધ્ય પૂર્વની બાર વસ્તુ પ્રતિપાદન કરી છે. પ્રાણાયુપૂર્વની તેર વસ્તુ કહેલ છે. ક્રિયાવિશાલ પૂર્વની ત્રીસવસ્તુ કહેલ છે. લોકબિંદુસાર પૂર્વ ની પચીસ વસ્તુ કહી છે. [૧૫૧-૧૫૩]સંક્ષેપમાંવસ્તુ અને ચૂલિકાઓની સંખ્યા. પ્રથમપૂર્વમાં ૧૦, દ્વિતીયમાં ૧૪, તૃતીયમાં ૮, ચતુર્થમાં ૧૮, પાંચમામાં ૧૨, છઠામાં ૨, સાતમામાં ૧૬, આઠમામાં ૩૦, નવમામાં ૨૦, દસમામાં ૧૫, અગીયારમામાં ૧૨; બારમામાં ૧૩; તેરમામાં ૩૦ અને ચૌદમા પૂર્વમાં ૨૫ વસ્તુઓ છે, આદિના ચાર પૂર્વેમાં ક્રમથી—પ્રથમમાં ૪; બીજામાં ૧૨; ત્રીજામાં ૮; અનેચોથા પૂર્વમાં ૧૦ ચૂલિકાઓ છે. શેષ પૂર્વેમાં ચૂલિકા નથી. આ પૂર્વગત દિઢિવાઓ વર્ણન થયું. [૧૫૪]– અનુયોગના કેટલા પ્રકાર છે ? -અનુયોગ બે પ્રકારે છે, જેમકેમૂલપ્રથમાનુયોગ અને ગણ્ડિકાનુયોગ. મૂલપ્રથમાનુયોગમાં કયા વિષયનું વર્ણન છે ? મૂલપ્રથમાનુયોગમાં અર્હન્ત ભગવન્તોના પૂર્વભવોનું, દેવલોક ગમન, દેવલોકનું આયુષ્ય, ત્યાંથી ચ્યવીને તીર્થંકર રૂપમાં જન્મવું, દેવાદિકૃત જન્માભિષેક, તથા રાજ્યાભિષેક, રાજલક્ષ્મી, પ્રવ્રજ્યા, તત્પશ્ચાત્ તપ, કેવલજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થની પ્રવૃત્તિ, તેમના શિષ્ય, ગણ, ગણધર, આચાર્યાઓ, પ્રવર્તિનીઓ, ચતુર્વિધ સંઘનું પરિમાણ, જિન-સામાન્ય કેવળીઓની સંખ્યા, મનઃપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, સમ્યક્ત્વ તથા સમસ્ત શ્રુતજ્ઞાની, વાદી, અનુત્તરગતિ પ્રાપ્ત કરનાર, અને ઉત્તર વૈક્રિય ધારી, યાવન્માત્ર મુનિ સિદ્ધ થયા, મોક્ષ માર્ગનો જે પ્રમાણે ઉપદેશ આપ્યો, જેટલા સમય સુધી પાદ પોપગમન સંથારો કર્યો, જે સ્થાનપર જેટલા ભક્તોનું છેદન કર્યું અને અજ્ઞાન અંધકારના પ્રવાહથી મુક્ત થઈને જે મહામુનિવરો અંતકૃત થયા, મોક્ષના અનુત્તર સુખને પામ્યા, ઈત્યાદિ વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત અન્ય ભાવ પણ મૂલ પ્રથમાનુયોગમાં કહ્યાં છે. આ રીતે મૂલ પ્રથમનુયોગના વિષયનું વિવરણ થયું. તે ગણ્ડિકાનુયોગના કેટલા પ્રકાર છે ? ગણ્ડિકાનુયોગમા કુલકરગંડિકા, તીર્થંકર ગંડિકા, ચક્રવર્તીગંડિકા, દસારગણ્ડિકા, બલદેવગંડિકા, વાસુદેવગંડિકા, ગણધર ગંડિકા, ભદ્રબાહુગંડિકા, ઉત્સર્પિણીગંડિકા, અવસર્પિણીગંડિકા, ચિત્રાન્તરગંડિકા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy