SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ નંદીસુi- (૧૩૩) ચિંતા–'શું થયું કે થશે ?’ આ પ્રકારનું પર્યાલોચન, વિમર્શ—આ વસ્તુ આરીતે સંઘટિત થાય છે એવો વિચાર, આ પ્રકારની વિચારધારા જે પ્રાણીને હોય તે સંશી કહેવાય છે. જે પ્રાણીને ઈહા, અપોહ, માર્ગણા ગવેષણા, ચિંતા, વિમર્શ નથી તે અસંશી કહેવાય છે. એવા જીવોનું શ્રુત કાલિક-ઉપદેશથી સંશી અને અસંજ્ઞીશ્રુત કહેલાય છે. હેતુ ઉપદેશથી સંજ્ઞીશ્રુતનું સ્વરૂપ કેવું છે ? જે જીવની અવ્યક્તકે વ્યક્તરીતે વિજ્ઞાનદ્વારા, આલોચનપૂર્વક ક્રિયા કરવાની શક્તિ-પ્રવૃત્તિ છે તે સંજ્ઞી અને જે પ્રાણીની અભિસંધારણપૂર્વિકા કરણશક્તિવિચારપૂર્વક ક્રિયા કરવામાં પ્રવૃત્તિ હોતી નથી તે અસંશી કહેવાય છે. આરીતે હેતૂપદેશથી સંશી અને અસંશી કહેવાય છે. દષ્ટિવાદ-ઉપદેશથી સંશી શ્રુતનું સ્વરૂપ કેવું છે ? દષ્ટિવાદ- ઉપદેશની અપેક્ષાએ સંજ્ઞીશ્રુતના ક્ષયોપશથી સંશી અને અસંજ્ઞીશ્રુતના ક્ષયોપશમથી અસંશી કહેવાય છે. આરીતે દૃષ્ટિવાદોપદેશથી સંશી અને અસંશી સમજવા. આરીતે સંજ્ઞીશ્રુત અને અસંજ્ઞીશ્રુત પૂર્ણ થયું. [૧૩૪]સભ્યશ્રુત તે શું છે ? ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર, ત્રિલોકદ્વારા આદરપૂર્વક જોવાયેલ, યથાવસ્થિત ઉત્કીર્તિત, ભાવપૂર્વક નમસ્કૃત, અતીત વર્તમાન અને અનાગતને જાણવાવાળા, સર્વજ્ઞ અને સવદર્શી અર્હત તીર્થંકર ભગવંતો દ્વારા પ્રણીત-અર્થથી ઉપદિષ્ટ, જે આ દ્વાદશારૂપ ગણિપિટક છે તે સભ્યશ્રુત કહેવાય છે. તે આ પ્રમાણે- આયારો, સૂયગડો, ઠાણું, સમવાઓ, વિવાહપન્નતિ, નાયાધમ્મકહા, ઉપાસના ગદસા અંતગડા દસા, અનુત્તરો વવાઇય દસા,પછ્યા વગરણું, વિવાગસૂર્ય અને દિદ્ધિવાય આરીતે આ દ્વાદશાક ગણિપિટક ચૌદ પૂર્વધારીનું સમ્યશ્રુત હોય છે. સંપૂર્ણ દશપૂર્વધારીનું પણ સમ્યક્દ્ભુત હોય છે.તેનાથી ઓછું અર્થાત્ કંઈક ઓછું દર્શપૂર્વ અને નવ આદિપૂર્વનું જ્ઞાન હોવા પર ભજના છે અર્થાત્ સભ્યશ્રુત હોય અથવા ન પણ હોય.આ રીતેસમ્યકશ્રુતનું વર્ણન પૂર્ણ થયું. [૧૩૫]મિથ્યાશ્રુતનુંસ્વરૂપ કેવું છે ? જે અજ્ઞાની મિથ્યાદષ્ટિઓદ્વારા સ્વચ્છંદબુદ્ધિ અને મતિદ્વારા કલ્પિત કરેલા છે તે મિથ્યાશ્રુત છે તે આ પ્રમાણ છે, જેમકેભારત રામાયણ, ભીમાસુરોક્ત, કૌટિલ્ય, શકટભદ્રિકા, ખોડા-ઘોટક મુખ, કાપસિક, નાગસૂક્ષ્મ, કનક સપ્તતિ, વૈશેષિક, બુદ્ધવચન, ત્રૈરશિક, કાપિલીય, લોકાયત, ષષ્ઠિતંત્ર, માઢર, પુરાણ, વ્યાકરણ, ભાગવત, પાંતજલિ, પુષ્પદૈવત, લેખ, ગણિત, શકુનિત, નાટક. અથવા બહોતેર કળાઓ અને સાંગોપાચારવેદ, આ સર્વને જ્યારે મિથ્યાદષ્ટિ મિથ્યાત્વથી ગ્રહણ કરે છે ત્યારે મિથ્યાશ્રુતછે. આજ ગ્રંથોને સમ્યગ્દષ્ટિ સમ્યરૂપથી ગ્રહણ કરે છે તો સભ્યશ્રુત થઈ જાય છે. અથવા મિથ્યાદષ્ટિને પણ આ ગ્રંથ સભ્યશ્રુત છે. કારણ કે તેના સમ્યક્ત્વમાં હેતુરૂપ બની જાય છે, કોઈ મિથ્યાદષ્ટિ તે ગ્રંથોથી પ્રેરિત થઈને સ્વપક્ષ-મિથ્યાત્વદષ્ટિને છોડી દે છે. આ મિથ્યાશ્રુતનું વર્ણન કર્યુ. [૧૩૬]સાદિ, સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત શ્રુતનું સ્વરૂપ કેવું છે ? આ દ્વાદશાંગરૂપ ગણિપિટક [શેઠના રત્નોના ડબ્બાની સમાન આચાર્યની શ્રુતરત્નોની પેટી]પર્યાયાર્થિક નયની અપેક્ષાથી સાદિ અને સાન્ત છે અને દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનાદિ અનંત છે. શ્રુતજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારનું કહ્યું છે, જેમકે—દ્રવ્યથી. ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી સભ્યશ્રુત, એક પુરુષની અપેક્ષાએ સાદિપર્યવસિત-સાદિ અને સાંત છે. ઘણા પુરુષોની અપેક્ષાએ અનાદિ અપર્યવસિત છે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy