SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર- ૧૨૨ ૨૮૭ કાળથી મતિજ્ઞાની સામાન્યતઃ ત્રણે કાળને જાણે છે પરંતુ જોતા નથી. ભાવથી મતિજ્ઞાની સામાન્યતઃ સર્વભાવોને જાણે છે પરંતુ જોતા નથી. સંક્ષેપમાં આભિનિબોધિકમતિજ્ઞાનનાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, આ ચાર ભેદો હોય છે. [૧૨૩-૧૨૪]અથના અવગ્રહણને અવગ્રહ, અથની વિચારણાને ઈહા, અથના. નિર્ણયાત્મક જ્ઞાનને અવાય અને ઉપયોગની અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિને ધારણા કહે છે. અવગ્રહ (અથગ્રહ) જ્ઞાનના ઉપયોગ-નો કાલપરિમાણ એક સમય, ઈહા અને અવાયના ઉપયોગનો અર્ધ્વમુહૂર્ત પ્રમાણ તથા ધારણાનો કાલપરિમાણ સંખ્યાત યા અસંખ્યાત કાલ પર્વત છે. એમ જાણવું જોઈએ. [૧૨૫-૧૨૬]શ્રોત્ર ઈન્દ્રિયદ્વારા પૃષ્ટ થયેલા શબ્દ સંભળાય છે, પરન્ત રૂપ સ્પર્શ કર્યા વિના જોવાય છે “ ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારીજ છે. ઘાણ, રસના અને સ્પર્શન ઈન્દ્રિયોથી બદ્ધ અને ઋષ્ટ થયેલા પુદ્ગલો જણાય છે. વક્તા દ્વારા મુકાતા ભાષારૂપ મુગલસમૂહને સમશ્રેણિઓમાં સ્થિત શ્રોતા સાંભળે છે તે નિયમથી અન્ય શબ્દોથી મિશ્રિતજ સાંભળે છે. વિશ્રેણિમાં સ્થિત શ્રોતા નિયમથી પરાઘાત થવા પરજ શબદ સાંભળે છે.એટલે વિશ્રેણિમાં સ્થિત શ્રોતા, વક્તાદ્વારા મૂકેલ શબ્દોને નહિ પણ તે શબ્દપુગલોના સંસર્ગથી શબ્દરૂપે પરિણમેલા બીજા પુદ્ગલોને સાંભળે છે. [૧૭] ઈહા અપોહ વિમર્શ માર્ગણા ગવેષણા સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા આ સર્વ આભિનિબોધિક જ્ઞાનના પર્યાયવાચી નામો છે. [૧૨૮] આભિનિબોધિકજ્ઞાન પરોક્ષ વિવરણ પૂર્ણ. મતિજ્ઞાનનું વિષયપૂર્ણ. [૧૨૯]પરોક્ષ શ્રુતજ્ઞાનના કેટલા પ્રકાર છે ? પરોક્ષ શ્રુતજ્ઞાન ચૌદ પ્રકારનું છે, જેમકે-અક્ષરદ્ભુત અનક્ષરકૃત, સંજ્ઞીશ્રુત, અસંજ્ઞીશ્રુત, સમ્યકશ્રુત, મિથ્યાશ્રત, સાદિકશ્રુત, અનાદિક, શ્રુત સપર્યવસિતશ્રુત, અપર્યવસિતશ્રુત, ગમિકશ્રુત, અગમિકશ્રુત, અંગપ્રવિષ્ટશ્રુત અનંતગપ્રવિષ્ટશ્રુત. [૧૩૦]અક્ષરદ્યુતના કેટલા પ્રકાર છે? અક્ષરશ્રતની પ્રરૂપણા ત્રણ પ્રકારે છે, જેમકે-સંજ્ઞાઅક્ષર, વ્યંજનઅક્ષર, લબ્ધિઅક્ષર. સંજ્ઞા અક્ષરનું સ્વરૂપ કેવું છે? સંજ્ઞા અક્ષર કહે છે. અર્થાતુ લખવામાં આવનાર અક્ષરો સંજ્ઞાક્ષર કહેવાય છે. વ્યંજન અક્ષરનું સ્વરૂપ કેવું છે? અક્ષરોના ઉચ્ચારણને વ્યંજનાક્ષર કહે છે. લબ્ધિઅક્ષરનું સ્વરૂપ કેવું છે? અક્ષર લબ્ધિવાળા જીવને લબ્ધિ-અક્ષર ઉત્પન્ન થાય છે, અર્થાત્ તે ભાવશ્રુતજ્ઞાન હોય છે. જેમકે- શ્રોત્રેન્દ્રિય લબ્ધિ-અક્ષર, ચક્ષુરિન્દ્રિય-લબ્ધિ-અક્ષર, ઘાણઈદ્રિયલબ્ધિ-અક્ષર, રસનેન્દ્રિય-લબ્ધિ-અક્ષર, સ્પર્શેન્દ્રિય-લબ્ધિઅક્ષર, નોઈદ્રિય-લબ્ધિઅક્ષર, આ રીતે અક્ષરશ્રુતનું વર્ણન છે. [૧૩૧-૧૩ર અનક્ષકશ્રતના કેટલા પ્રકાર છે ? અનક્ષરકૃત અનેક પ્રકારથી કહ્યું છે, જેમકે-ઉંચો શ્વાસ લેવો, નીચે શ્વાસ મૂકવો, ઘૂંકવું, ખાંસી ખાવી, છીંક આવવી, - નાકથી છીંકવું, અનુસ્વાર યુક્ત ચેષ્ટા કરવી તે અનક્ષશ્રત છે. [૧૩૩] સંજ્ઞીશ્રુતના કેટલા પ્રકાર છે ?સંજ્ઞી શ્રુત ત્રણ પ્રકારનું પ્રરુપ્યું છે, જેમકેકાલિક ઉપદેશથી, હેતુવાદઉપદેશથી અને દષ્ટિવાદ-ઉપદેશથી. કાલિક ઉપદેશથી સંજ્ઞીશ્રુતનું સ્વરૂપ કેવું છે ? કાલિક ઉપદેશથી ઈહા- વિચારણા, અપોહ-નિશ્ચય. માર્ગણા-અન્વય ધર્માન્વેષણરૂપ, ગવેષણા-વ્યતિરેક-ધર્મસ્વરૂપ પર્યાલોચન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy