SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૮૯ ૨૮૭ પ્રથમસમયસિદ્ધ, દ્વિસમયસિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુ-સમયસિદ્ધ યાવત્ દશસમયસિદ્ધ, સંખ્યાત સમયસિદ્ધ, અસંખ્યાતસમયસિદ્ધ અને અનન્તસમયસિદ્ધ, આ પરંપરસિદ્ધ કેવળજ્ઞાન છે. [૮]તે સંક્ષેપથી ચાર પ્રકારનું છે, જેમકે–દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી કેવળજ્ઞાની-સર્વદ્રવ્યોને જાણે અને જુએ છે. ક્ષેત્રથી કેવળજ્ઞાની–સર્વ લોકાલોક ક્ષેત્રને જાણે અને જુએ છે. કાળથી કેવળજ્ઞાની–સર્વકાળ-ભૂત ભવિષ્ય, અને વર્તમાનને જાણે અને જુએ છે. ભાવથી કેવળજ્ઞાની-સર્વભાવો-પયિો ને જાણે અને જુએ છે. [૯૦-૯૨]સપૂર્ણ દ્રવ્ય, પરિણામ, ઔદયિક આદિ ભાવોને અથવા વર્ણ, ગંધ, રસ આદિ ભાવોને જાણવાનું કારણ છે, તે અન્ત રહિત તથા શાશ્વત-સદાકાળ સ્થાયી અપ્રતિપાતિ છે. આવું આ કેવળજ્ઞાન એકજ પ્રકારનું છે કેવળજ્ઞાન દ્વારા સર્વ પદાર્થોને જાણી તેમાં જે પદાર્થો વર્ણન કરવા યોગ્ય હોય તેઓનું તીર્થંકરદેવ પોતાના પ્રવચનમાં પ્રતિ પાદન કરે છે, તે વચનયોગ છે અને તે વચન શેષ શ્રત અથતુ અપ્રધાન શ્રત છે. આ રીતે કેવળજ્ઞાનનો વિષય સંપૂર્ણ થયો અને નોઈદ્રિય પ્રત્યક્ષ તથા પ્રત્યક્ષ જ્ઞાનનું પ્રકરણ સંપૂર્ણ થયું. [૯૩-૯૪]તે પરોક્ષજ્ઞાન કેટલા પ્રકારનું છે? પરોક્ષ જ્ઞાન બે પ્રકારે પ્રતિપાદન કરાયું છે, જેમકે–આભિનિબોધિક જ્ઞાન પરોક્ષ અને શ્રુતજ્ઞાન પરોક્ષ. જ્યાં આભિનિબોધિક જ્ઞાન હોય છે ત્યાં શ્રુતજ્ઞાન હોય છે. અને જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં આભિનિ બોધિક જ્ઞાન હોય છે. આ બંને પરસ્પર અનુગત છે-એક બીજાની સાથે જ રહે છે. -સન્મુખ આવેલ પદાથોને જે જાણે છે તે આભિનિબોધિક જ્ઞાન અને સાંભળી શકાય તે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે, પરંતુ મતિજ્ઞાન શ્રુતપૂર્વક નથી હોતું. વિશેષતા રહિત (સામાન્યરુપે) મતિ, મતિજ્ઞાન અને મતિ-અજ્ઞાન બંને પ્રકારે હોય છે. પરંતુ વિશેષનો વિચાર કરવાથી સમ્યગ્દષ્ટિની મતિ તે મતિજ્ઞાન અને મિથ્યાદષ્ટિની મતિ-તે મતિઅજ્ઞાન કહેવાય છે. તેવીજ રીતે વિશેષતા રહિત શ્રત, શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન ઉભયરૂપ હોય છે. વિશેષ દષ્ટિએ સમ્યગ્દષ્ટિનું શ્રુત, મૃત જ્ઞાન અને મિથ્યા દષ્ટિનું શ્રુતશ્રુત-અજ્ઞાન હોય છે. [૯૫-૯૬]આભિનિબોધિક જ્ઞાન કેટલા પ્રકારનું આભિનિબોધિક જ્ઞાન બે પ્રકારનું છે. શ્રુતનિશ્રિત અને અમૃતનિશ્રિત. અશ્રુતનિશ્રિત કેટલા પ્રકારનું છે? ઉત્તર-અકૃતનિશ્રિત ચારપ્રકારનું છે, જેમકે ઔત્પત્તિકી (હાજર જવાબી) વૈનયિકી (વિનયથી ઉત્પન્ન થનારી) કર્મજા (કર્મ કરવાથી ઉત્પન્ન થનારી) પારિણામિકી વયના પરિપાકથી ઉત્પન્ન થનારી આ ચાર પ્રકારની બુદ્ધિ શાસ્ત્રકારોએ વર્ણવી છે, [૯૭-૧૦]જે બુદ્ધિ પહેલાં સાંભળ્યા વગર, જોયા વગર, જાણ્યા વગર, પદાર્થના વિશુદ્ધ અર્થ-અભિપ્રાયને તત્કાળજ ગ્રહણ કરી શકે છે અને જેનાથી અવ્યાહત ફળબાધા રહિત પરિણામનો યોગ થાય છે તે ઔત્પત્તિકી બુદ્ધિ છે. ભરત-શિલા, પ્રતિજ્ઞા,વૃક્ષ, અચૂંઠી, પટ-વસ્ત્ર, સરટ-કાકીડો, કાગડા, ઉચ્ચાર-મળ પરીક્ષા, હાથી, ઘયણ-ભાષ્ઠ, ગોલક, સ્તન્મ, ક્ષુલ્લક, માર્ગ, સ્ત્રી, પતિ, પુત્ર, મધપૂડો, મુદ્રિકા, અડક, નાણું સુવર્ણમહોર, ભિક્ષુ ચેટક-નિધાન, શિક્ષા- ધનુર્વેદ, અર્થશાસ્ત્ર, ઈચ્છામહં, જે તમે ઈચ્છામહ જે તમે ઈચ્છો તે આપજો શત હ. ભરતશિલા, ઘેટુ, કુકડો તલ, રેતી, હસ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy