SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ નંદીસુનં-(૮૨). જાએ છે, વિપુલમતિ તે જ સ્કલ્પોને કંઈક અધિકતર, વિપુલતર, વિશુદ્ધ અને નિર્મળરૂપે જાણે અને જુએ છે. ક્ષેત્રથી- ઋજુમતિ જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગમાત્ર ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટથી નીચે રત્નપ્રભા પૃથ્વી સંબંધી ઊપરના નીચલા ક્ષુલ્લક પ્રતર સુધી અને ઉપર જ્યોતિષચક્રના ઉપરના તલ પર્યત અને ત્રિછલોકમાં મનુષ્યક્ષેત્રની અંદર-અઢીદ્વીપ-સમુદ્રપર્યત-૧૫ કર્મભૂમિઓ, ૩૦ અકર્મભૂમિઓ, પ૬ અંતરદ્વીપોમાં રહેતાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોના મનોગત ભાવોને અઢી અંગુલ અધિક ક્ષેત્રને વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મલતર-તિમિર રહિત જાણે અને જુએ છે. કાળથી જુમતિ જધન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ-ભૂત અને ભવિષ્યકાળને જાણે અને જુએ છે. વિપુલમતિ એટલાજ કાળને અધિકતર, વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મળ જાણે અને જુએ છે. ભાવથી8ામતિ અનંત ભાવોને જાણે અને જુએ છે, પરંતુ બધા ભાવોના અનંતમા ભાગને જાણે અને જુએ તેજ ભાવોને વિપુલમતિ કંઈક અધિકતર, વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મળરૂપે જાણે અને જાએ છે. [૮૩-૮૪]મન:પર્યવજ્ઞાન મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનમાં ચિંતિત અર્થને પ્રગટ કરવાવાળું છે, તથા ગુણપ્રત્યય એટલે અન્તિ આદિ ગુણો આ જ્ઞાનની પ્રાપ્તિના કારણ છે અને તે ચારિત્રયુક્ત અપ્રમત્ત સંવતનેજ થાય છે. આ પ્રમાણે, મન:પર્યવજ્ઞાનની પ્રરૂપણા થઈ. ૮પોતે કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ગૌતમ ! કેવળજ્ઞાન બે પ્રકારે પ્રરૂપ્યું છે, જેમક- ભવસ્થકેવળજ્ઞાન અને [૨]સિદ્ધ કેવળજ્ઞાન તે ભવસ્થકેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ? ભવસ્થકેવળજ્ઞાન બે પ્રકારે પ્રરૂપ્યું છે, જેમકે- સયોગીભવસ્થ કેવળજ્ઞાન અને અયોગીભવસ્થ કેવળજ્ઞાન. તે સયોગીભવસ્થકેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ? સયોગીભવસ્થકેવળજ્ઞાન બે પ્રકારનું પ્રરૂપ્યું છે, જેમકે-પ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન-અને અપ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન- અથવા બીજી રીતે પણ બે પ્રકારો છે, જેમકે ચરમ સમય યોગી ભવસ્થ કેવળજ્ઞાન- અને અચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન-ભગવદ્ ! અયોગીભવસ્થકેવળજ્ઞાન કેટલા પ્રકારે છે ? ગૌતમ ! અયોગીભવસ્થ- કેવળજ્ઞાન બે પ્રકારનું છે, જેમકે– પ્રથમસમયઅયોગીભવસ્થકેવળજ્ઞાન અપ્રથમસમયઅયોગીભવસ્થકેવળજ્ઞાન અથવા ચરમસમયઅયોગીભવ સ્થ કેવળજ્ઞાન. અચરમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન આ પ્રમાણે અયોગી ભવસ્થ કેવળજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. ભવસ્થ કેવળજ્ઞાન વર્ણન પૂરૂ થયું. [૮]તે સિદ્ધ કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે? તે સિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારનું છે, જેમકે- અનન્તરસિદ્ધકેવળજ્ઞાન અને પરમ્પરસિદ્ધકેવળજ્ઞાન. [૮૭]તે અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે? તે અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન ૧૫ પ્રકારનું કહ્યું છે, જેમકે– તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થકરસિદ્ધ, અતીર્થકરસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ પ્રત્યેક-બુદ્ધસિદ્ધ બુદ્ધબોધિત સિદ્ધ સ્ત્રીલિંગસિદ્ધ પુરૂષલિંગસિદ્ધ નપુંસકલિંગસિદ્ધ સ્વલિંગસિદ્ધ અલિંગસિદ્ધ ગૃહસ્થલિંગસિદ્ધ એકસિદ્ધ અનેક સિદ્ધનું કેવળજ્ઞાન. આ અનન્તર સિદ્ધ કેવળજ્ઞાન વર્ણન પૂરુ. તે પરંપર સિદ્ધકેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ? પરંપરસિદ્ધકેવળજ્ઞાન અનેક પ્રકારે વર્ણિત છે, જેમકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy