SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ઉત્તરઝયણ-૩પ/૧૪૬૧ અમૂચ્છિત મહામુનિ યાપનાર્થ-જીવન-નિવહિ માટે જ ખાય, રસ માટે નહીં. " [૧૪૬૧] મુનિ અર્ચના રચના પૂજા ઋદ્ધિ, સત્કાર, અને સમ્માનની મનથી પણ ઈચ્છા ન કરે. [૧૪૬૨] મુનિ શુક્લ અર્થાત્ વિશુદ્ધ આત્મધ્યાનમાં લીન રહે. નિદાનરહિત અને અકિંચન રહે. જીવન પર્યત શરીરની આસક્તિ છોડીને વિચરે. [૧૪૩] અન્તિમ કાળધર્મ ઉપસ્થિત થતાં મુનિ આહારનો ત્યાગ કરીને, મનુષ્ય શરીર છોડીને દુઃખોથી મુક્ત પ્રભુ બને છે. [૧૪૬૪ નિર્મળ, નિરહંકાર, વીતરાગ અને અનાશ્રવ, મુનિ કેવળ-જ્ઞાન પ્રાપ્ત કરીને શાશ્વત પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે. -એમ હું કહું છું. | અધ્યયન-૩૫-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન-૩૬-જીવાજીવવિભક્તિ) [૧૪૬૫] જીવ અને અજીવનો મારાથી વિભાગ એકાગ્ર મને સાંભળો, જે જાણીને ભિક્ષ સમ્યક પ્રકારે સંયમમાં યત્નશીલ બને છે. [૧૪૬] આ લોક જીવ અને અજીવમય છે. જ્યાં અજીવનો એક ભાગ કેવળ આકાશ છે તે અલોક કહેવાય છે. [૧૪૬૭] દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જીવની અને અજીવની પ્રરૂપણા થાય છે. [૧૪૬૮) અજીવ બે પ્રકારના છે. રૂપી અને અરૂપી. અરૂપીના દસ પ્રકાર છે અને રૂપીના ચાર પ્રકાર છે. [૧૪૯-૧૪૭૦] ધમસ્તિકાય, તેનો દેશ અને પ્રદેશ. અધમસ્તિકાય અને તેનો દેશ તથા પ્રદેશ. આકાશાકિય, તેનો દેશ તથા પ્રદેશ, અને એક અદ્ધા સમય (કાળ) આ દસ ભેદ અરૂપી અજીવ છે. [૧૪૭૧ ધર્મ અને અધર્મ બને લોકપ્રમાણ છે. આકાશ લોક અને અલોકમાં વ્યાપ્ત છે. કાળ કેવળ સમય ક્ષેત્ર (મનુષ્યક્ષેત્રોમાં જ છે. [૧૪૭૨) ધર્મ, અધર્મ, આકાશ-આ ત્રણે દ્રવ્ય અનાદિ, અપર્યવસિત-અનન્ત અને સર્વ કાલ નિત્ય છે. [૧૪૭૩] પ્રવાહની અપેક્ષાએ સમય પણ અનાદિ અનન્ત છે. આદેશ અથતુ પ્રતિનિયત વ્યક્તિ રૂપ એક એક ક્ષણની અપેક્ષાએંસાદિ-સાન્ત છે. [૧૪૭૪-૧૪૭૬] રૂપી દ્રવ્યના ચાર ભેદ. સ્કન્ધ, સ્કન્ધ-દેશ, સ્કન્ધ, પ્રદેશ અને પરમાણું. પરમાણુઓ એક થતાં સ્કન્ધ થાય છે. સ્કન્ધ અલગ થતાં પરમાણુઓ થાય છે. આ દ્રવ્યની અપેક્ષાએ છે. ક્ષેત્રની અપેક્ષાએ સ્કન્ધાદિ લોકના એક દેશથી સંપૂર્ણ લોક સુધીમાં ભાજ્ય છે. આગળ સ્કન્ધ અને પરમાણુના કાળની દ્રષ્ટિએ ચાર ભેદ સ્કન્ધ આદિ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિ ની દ્રષ્ટિએ સાન્ત છે. [૧૪૭૭] રૂપી અજીવો-પુદ્ગલ દ્રવ્યોની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની કહી છે. [૧૪૭૮] રૂપી અજીવોનો અન્તર (પોતાના પૂર્વગાહિત સ્થળેથી ટ્યુત થઈ ફરી પાછા ત્યાં આવવાનો કાળ) જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનન્ત કાલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy