SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન - ૩૪ ૨૬૩ બીજા ભવમાં ઉત્પન્ન નથી થતો. અન્તિમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી કોઈ પણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. વેશ્યાઓની પરિણતિ થતાં અન્તર્મુહૂર્ત વ્યતીત થઈ જાય અને જ્યારે અન્તર્મુહૂર્ત બાકી રહે તે વખતે જીવ પરલોકમાં જાય છે. [ ૧૩] તેથી વેશ્યાઓના અનુભાગ જાણીને અપ્રશસ્ત લેશ્યાઓનો. પરિત્યાગ કરી પ્રશસ્ત વેશ્યાઓમાં રહેવું જોઈએ. -એમ હું કહું છું. અધ્યયન-૩૪-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩પ અનગારમાર્ગગતિ [૧૪૪૪] જેનું આચરણ કરીને ભિક્ષુ દુઃખોનો નાશ કરે છે, એવો જ્ઞાનીઓએ ઉપદેશેલો માર્ગ મારી પાસેથી એકાગ્ર મને સાંભળો. [૧૪૪૫] ઘરવાસનો પરિત્યાગ કરીને પ્રવ્રજિત થયેલ મુનિ આ યોગોને જાણે, જેમાં માણસો બંધાય છે તથા આસક્ત થાય છે. [૧૪૪૬] સંયત ભિક્ષુ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, ઇચ્છા-કામ (અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા) અને લોભથી દૂર રહે. [૧૪૪૦-૧૪૪૯] મનોહર ચિત્રોવાળુ, માળા અને ગંધથી સુવાસિત, દરવાજા તેમજ સફેદ ચંદરવાવાળા-આવાચિત્તાકર્ષક સ્થાનની મનમાં ઈચ્છા પણ ન કરે. કામરાગ વધારનાર આ પ્રકારના ઉપાશ્રયમાં ઇન્દ્રિયોનો નિરોધ કરવો ભિક્ષુ માટે દુષ્કર છે. તેથી એકાકી ભિક્ષુ સ્મશાનમાં શૂન્ય ઘરમાં, વૃક્ષની નીચે, તથા પરકત પ્રતિરિક્તએકાન્ત સ્થાનમાં રહેવાની અભિરૂચિ રાખે. [૧૫૦-૧૪૫૧] પરમ સંયત ભિક્ષ, પ્રાસુક, અનાબાધ, સ્ત્રીઓના ઉપદ્રવથી. રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કરે. ભિક્ષુ પોતે ઘર ન બનાવે, બીજા પાસે બનાવડાવે પણ નહીં. કારણ ઘર-કામના સમારંભમાં પ્રાણિઓનો વધ જોવામાં આવે છે. [૧૪૫૨-૧૪૫૫ ત્રસ અને સ્થાવર તથા સૂક્ષ્મ અને સ્કૂલ જીવોનો વધ થાય છે. તેથીઃ સંયતનભિક્ષ ગૃહ-કર્મના સમારંભનો ત્યાગ કરે. તેવી જ રીતે ભક્તપાન પકાવવા તેમજ પકાવડાવવામાં હિંસા છે તેથી પ્રાણીઓ અને ભૂતોની દયા માટે પોતે પકાવે નહીં અને બીજા પાસે પકાવડાવે નહીં. ભક્ત અને પાનના પકાવવામાં પાણી, ધાન્ય, પૃથ્વી અને લાકડાને આશ્રયે રહેલ જીવોનો વધ થાય છે. તેથી ભિક્ષુ પકાવે નહીં. અગ્નિ જેવું બીજું શસ્ત્ર નથી. તે બધી રીતે પ્રાણીનાશક તેજ ધારવાળો છે. ઘણા પ્રાણીઓનો વિનાશ કરનાર છે. તેથી ભિક્ષુ અગ્નિ ન જલાવે. [૧૫૬-૧૪૫૮] કય-વિક્રયથી વિરક્ત ભિક્ષુ સોનું અને માટીને સમાન સમજીને સોના ચાંદીની મનથી પણ ઈચ્છા ન કરે. વસ્તુને ખરીદનાર ગ્રાહક હોય છે વેચનાર વણિક- હોય છે, તેથી ક્રય-વિક્રયમાં સાધુ પ્રવૃત્ત થાય નહીં. ભિક્ષાવૃત્તિથી ભિક્ષુએ ભિક્ષા કરવી. ક્રયવિક્રયથી નહીં. ખરીદ-વેચાણ મોટો દોષ છે. ભિક્ષા-વૃત્તિ સુખાવહ [૧૪૫૯-૧૪૬૦] મુનિ શ્રત પ્રમાણે અનિદિત અને સામુદાયિક ઉંછ (અનેક ઘરોથી થોડા થોડા આહાર)ની એષણા કરે, તે લાભ અને અલાભમાં સંતુષ્ટ રહીને પિંડપાત-ભિક્ષાચય કરે.અલોલુપ, રસમાં અનાસક્ત, રસનેન્દ્રિયનો વિજેતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy