SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૩૬ ૨૬૫ [૧૪૭૯-૧૪૮૫] વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દ્રષ્ટિએ સ્કન્ધાદિનું પરિણામે પાંચ પ્રકારનું છે. જે સ્કન્ધ આદિ પુદ્ગલ વર્ણથી પરિણત છે, તે પાંચ પ્રકારનાં છેઃ કૃષ્ણ, નીલ, લોહિત, રક્ત, હારિદ્ર-પીત અને શુક્લ. જે પુદ્ગલ ગંધથી પરિણત છે તે બે પ્રકારના છે- સુરભિગંધ પરિણત, દુરભિગંધ પરિણત. જે રસથી પરિણત છે, તેના પાંચ પ્રકાર છે- તિકત, કટ, કષાય, અસ્તુ, અને મધુર પરિણત. જે પુદગલ સ્પર્શથી પરિણત છે, તેના આઠ પ્રકારે છે-કર્કશ, મૃદુ, ગુરુ લઘુ- શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, આમ આ સ્પર્શથી પરિણત પુદ્ગલ કહ્યા છે. સંસ્થાનથી પરિણત પુદ્ગલ પાંચ પ્રકારના છેઃ પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ) (ચતુષ્કોણ) અને આયત-દીર્ઘ. [૧૪૮૬-૧૪૯૦ વર્ષે કુષણ પગલ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે-અથતિ અનેક વિકલ્પોવાળો છે. વર્તે. નીલ- રક્ત, પીત,શુક્લ પુદ્ગલ, ગબ્ધ. રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. [૧૪૯૧-૧૪૯૨] સુગન્ધિત કે દુર્ગંધિત,.... પુદ્ગલ વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. [૧૪૯૩-૧૪૯૭] જે રસમાં તિક્ત છે તે વર્ણ, ગન્ધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. એ જ રીતે જે રસમાં કટુ,...કષાયેલ...ખાટો.. મધુર છે તે વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. [૧૪૯૮-૧૫૦૫] જે પુદ્ગલ સ્પર્શથી કર્કશ છે તે વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનથી ભાજ્ય છે. એ જ રીતે જે પુદ્ગલ સ્પર્શથી મૃદુ... ગુ...લઘુ,શીત. ઉષ્ણ... સ્નિગ્ધ, રુક્ષ છે તે વર્ણ, ગંધ, રસ, અને સંસ્થાનથી ભાજ્ય છે. [૧૫૦૬-૧૫૧૦] જે પુગલ સંસ્થાનથી પરિમંડલ છે તે વર્ણ, ગન્ધરસ અને સ્પર્શથી ભાજ્ય છે. એ જ રીતે જે પુલ સંસ્થાનથી વૃત્ત,... ત્રિકોણ,.... ચતુષ્કોણ.... દીર્ઘ છે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજ્ય છે. [૧૫૧૧] આ સંક્ષેપમાં અજીવ વિભાગનું નિરૂપણ કર્યું. હવે ક્રમશઃ જીવ વિભાગનું નિરુપણ કરીશ. [૧૫૧૨] જીવના બે પ્રકાર-સંસારી અને સિદ્ધ. સિદ્ધ અનેક પ્રકારના છે. તે હું કહું છું સાંભળો. [૧૫૧૩] સ્ત્રીલિંગસિદ્ધ, પુલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ અને સ્વલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, તથા ગૃહિલિંગ સિદ્ધ. [૧૫૧૪] ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ અવગાહનાથી તેમજ ઉર્ધ્વલોકમાં, તિર્યક લોકમાં એવું સમુદ્ર અને બીજા જળાશયોમાં જીવ સિદ્ધ થાય છે. [૧પ૧પ-૧૫૧૮] એક સમયમાં દસ નપુંસક, વીસ સ્ત્રીઓ અને એકસો આઠ પુરુષ સિદ્ધ થઈ શકે છે. એક સમયમાં ગૃહસ્થ લિગમાં ચાર, અન્ય લિંગમાં દસ, સ્વલિંગમાં એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહામાં બે જઘન્ય અવગાહનામાં ચાર અને મધ્યમ અવગાહનામાં એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. એક સમયમાં ઉર્ધ્વલોકમાં ચાર, સમુદ્રમાં બે, જળાશયમાં ત્રણ, અધોલોકમાં વીસ, તિર્યકુ લોકમાં એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. [૧૫૧૯-૧૫૨૦] સિદ્ધ ક્યાં રોકાય છે? ક્યાં પ્રતિષ્ઠા થાય છે? ક્યાં શરીર છોડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy