SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૩૨ ૨૫૯ [૧૩પપ] જે જીવને સદા બાધા-પીડા આપે છે તે બધાં દુઃખોથી તેમ જ દીર્ઘકાલિન કર્મોથી મુક્ત બને છે ત્યારે તે પ્રશસ્ત, અત્યન્ત સુખી તથા કૃતાર્થ બને છે. [૧૩પ૬] અનાદિ કાળથી ઉત્પન્ન થતાં માર્ગ છે. બધાં દુઃખથી મુક્તિનો આ તેને સમ્યક પ્રકારે સ્વીકારીને જીવ ક્રમશઃ અત્યન્ત સુખી થાય છે.- એમ હું કહું છું. અધ્યયન-૩ર-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩૩-કર્મપ્રકૃતિ) [૧૩૫૮] હું આનુપૂર્વીના ક્રમે આઠ કમનું વર્ણ કરીશ. જેમનાથી બંધાયેલો આ જીવ સંસારમાં પરિવર્તન-પરિભ્રમણ કરે છે. [૧૩૫૯-૧૩૬૦] જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહ તથા આયુ કર્મ. નામ, ગોત્ર અને અન્તરાય કર્મ, એમ ટૂંકમાં આઠ કર્મ છે. [૧૩૬૧]જ્ઞાનાવરણકર્મના પાંચ પ્રકાર છેઃ શ્રુતજ્ઞાનાવરણ, આભિનિબોધિકજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનો-જ્ઞાનાવરણ અને કેવળ-જ્ઞાનાવરણ. [૧૩૬૨-૧૩૬૩] નિદ્રા, પ્રચલા, નિદ્રા-નિદ્રા, પ્રચલા-પ્રચલા, અને પાંચમી સત્યાનગૃદ્ધિ- ચક્ષુ-દર્શનાવરણ, અચક્ષુ-દર્શનાવરણ, અવધિદર્શનાવરણ, અને કેવળદર્શનાવરણ. આ નવ દર્શનાવરણ કર્મના ભેદ છે. [૧૩૬૪] વેદનીય કર્મના બે પ્રકાર છે. સાત વેદનીય અને અસાત વેદનીય. સાત અને અસાત વેદનીયના અનેક પ્રકાર છે. [૧૩૬૫] મોહનીય કર્મના બે ભેદ છે. દર્શન-મોહનીય અને ચારિત્ર-મોહનીય. દર્શન-મોહનીયના ત્રણ અને ચારિત્ર-મોહનીયના બે પ્રકાર છે. સમ્યકત્વ, મિથ્યાત્વ અને મિશ્ર આ ત્રણ દર્શન-મોહનીયની પ્રકૃતિઓ છે. ચારિત્ર-મોહનીયના બે ભેદ છે ? કષાય-મોહનીય અને નોકષાય-મોહનીય. કષાય-મોહનીય કર્મના ૧૬ પ્રકાર છે. નોકષાય-મોહનીય કર્મના સાત અથવા નવ પ્રકાર છે. [૧૩૬૯] આયુકર્મના ચાર ભેદ નૈરયિક તિર્યમ્ મનુષ્ય અને દેવ આયુ. [૧૩૭૦] નામ કર્મના બે પ્રકાર છેઃ શુભ નામ અને અશુભ નામ. શુભ નામના અનેક પ્રકાર છે તેમજ અશુભના પણ અનેક ભેદ છે. [૧૩૭૧] ગોત્ર કર્મના બે ભેદ છેઃ ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. આ બંનેના આઠ આઠ પ્રકાર છે. [૧૩૭૨] સંક્ષેપમાં અન્તરાય કર્મના પાંચ પ્રકારે છે. દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વયન્તિરાય. [૧૩૭૩] આ કર્મની મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રવૃતિઓ કહી છે. હવે પછી તેમના પ્રદેશાગ્ર-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ સાંભળો. [૧૩૭૪-૧૩૭પ એક સમયમાં ગ્રાહ્ય-બદ્ધ થનાર બધાં કર્મોના પ્રદેશાગ્રકર્મપુદ્ગલરૂપ દ્રવ્ય અનન્ત હોય છે. તે ગ્રન્ધિસત્વોથી અનન્ત. ગુણ વધારે અને સિદ્ધોના અનન્તમા ભાગ જેટલા હોય છે. બધા જીવો માટે સંગ્રહ-કરવા જેવાં કર્મયુગલો છએ દિશાઓમાં-આત્માથી રૂઢેિલા-આખા આકાશ પ્રદેશમાં છે. તે બધાં કર્મ-પુદ્ગલ બંધને સમયે આત્માના બધા પ્રદેશ સાથે બદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy