SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ઉત્તરજઝયણ- ૩૨/૧૩૪૨ વિવિધ પ્રકારે તેમને પીડે છે, દુઃખ દે છે. ભાવમાં અનુરક્ત અને મમત્વને કારણે ભાવના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં ? તે ઉપભોગને વખતે પણ તૃપ્ત થતો નથી. ભાવમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપાસક્ત સંતોષ પામતા નથી. અસંતોષને લીધે દુખી થાય છે. લોભથી બીજાની વસ્તુઓ ચોરે છે. ભાવ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી વ્યાપ્ત તે બીજાની વસ્તુઓ લઈ લે છે. લોભથી તેનું કપટ અને જુઠાણું વધે છે. તે કપટ અને જૂઠથી પણ દુખમુક્ત થતો નથી. [૧૩૪૨] જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે તે દુઃખી થાય છે. તેનો અન્ત પણ દુઃખદ હોય છે. આમ ભાવમાં અતૃપ્ત રહેલો ચોરી કરીને દુઃખી થાય છે. આશ્રયહીન બને છે. [૧૩૪૩-૧૩૪૫] આમ ભાવમાં અનુરક્ત માણસ ક્યાં, ક્યારે, કેટલું સુખ મેળવે? જે મેળવવા તે આટલું દુઃખ વેઠે છે તેના ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ હોય છે. એવી જ રીતે ભાવ પ્રત્યે જે દ્વેષ કરે છે તે ઉત્તરોત્તર દુખપરંપરા પામે છે. દ્વેષમુક્ત ચિત્તથી જે કર્મો કરે છે તે જ વિપાક વખતે દુઃખનું કારણ બને છે. ભાવમાં વિરક્ત માણસ શોકરહિત બને છે. સંસારમાં રહેવા છતાં જળમાં કમળની જેમ લિપ્ત થતો નથી. [૧૩૪૬] એવી રીતે રાગી મનુષ્ય માટે ઇન્દ્રિય અને મનના જે વિષયો દુઃખનું કારણ છે તેજ વીતરાગ માટે કદીય જરાપણ દુઃખનું કારણ બનતા નથી. [૧૩૪૭] કામ-ભોગ ન સમતા–લાવે છે ને વિકૃતિ લાવે છે, જે તેમના તરફ દ્વેષ અને મમત્વ રાખે છે તે તેમનામાં મોહને કારણે વિકૃતિ પામે છે. [૧૩૪૮-૧૩૪૯] ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાસ્ય, ભય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ તથા હર્ષ વિષાદ આદિ ભાવોને- અનેક પ્રકારના વિકારોને તેમનાથી પેદા થતા અનેક પ્રકારના કુપરિણામોને તે પામે છે જે કામગુણોમાં આસક્ત છે. તે કરુણાસ્પદ, દીન લજ્જિત અને અપ્રિય પણ થાય છે. [૧૩પ૦-૧૩પ૧] શરીરની સેવારૂપ સહાયતા વગેરેની ઈચ્છાથી કલ્પયોગ્ય શિષ્યની પણ ઈચ્છા ન કરે. દિક્ષિત થયા પછી અનુતપ્ત થઈને તપના પ્રભાવની ઇચ્છા ન કરે. ઇન્દ્રિયરૂપી ચોરોના વશીભૂત જીવ અનેક પ્રકારના અપરિમિત વિકારો પામે છે. વિકારો આવ્યા પછી મોહરૂપ મહાસાગરમાં ડુબાડવા માટે વિષયાસેવન તેમ જ હિંસાદિ અનેક પ્રયોજન ઉપસ્થિત થાય છે ત્યારે તે સુખાભિલાષી રાગી વ્યક્તિ દુઃખથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. [૧૩પ૧-૧૩પ૨] ઇન્દ્રિયોના શબ્દ વિગેરે જેટલા વિષયો છે, તે બધાં જ વિરક્ત વ્યક્તિના મનમાં મનોજ્ઞતા અથવા અમનોજ્ઞતા ઉત્પન કરતા નથી. પોતાના જ સંકલ્પ વિકલ્પ બધા દોષોનું કારણ છે, ઈન્દ્રિયોના વિષય નહી. એવો જે સંકલ્પ કરે છે, તેના મનમાં સમતા જાગે છે અને તેનાથી તેની કામગુણોની તૃષ્ણા ક્ષીણ થાય છે. [૧૩પ૩-૧૩પ૪] તે કૃતતૃત્ય વીતરાગ આત્મા ક્ષણભરમાં જ્ઞાનાવરણનો ક્ષય કરે છે. દર્શનના આવરણોને દૂર કરે છે અને અન્તરાય કર્મને દૂર કરે છે. ત્યાર પછી તે બધું જાણે છે, દેખે છે. તથા મોહ અને અન્તરાય રહિત બને છે. નિરાશ્રવ અને શુદ્ધ થાય છે, ધ્યાન સમાધિ સંપન્ન બને છે. આયુષ્યનો ક્ષય થતાં મોક્ષ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy