SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન - ૩૦ ૨૫૭ તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ છે તેને અમનોજ્ઞ કહેવાય છે. [૧૩૨૨-૧૩૨૪] જે મનોજ્ઞ સ્પર્શમાં તીવ્રરૂપે આસક્ત છે તેનો અકાળે નાશ થાય છે. જેમ જંગલમાં જલાશયના શીતલ સ્પર્શમાં આસક્ત રાગાતુર પાડો મગરથી. પકડાઈ નાશ પામે છે. જે અમનોજ્ઞ સ્પર્શ તરફ તીવ્ર પણે દ્વેષ રાખે છે તે જીવ તે જ ક્ષણે પોતાના દુદન્ત દ્વેષથી દુઃખી થાય છે. એમાં સ્પર્શનો કોઈ દોષ નથી. જે મનોજ્ઞ સ્પર્શમાં આસક્ત હોય છે અને અમનોજ્ઞ સ્પર્શમાં દ્વેષ રાખે છે તે અજ્ઞાની દુઃખી થાય છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. [૧૩૨પ-૧૩૨૬] સ્પર્શની ઇચ્છાનો અનુગામી અનેક રૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય મહત્ત્વ આપનાર તે ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને પીડે છે, સંતાપે છે. સ્પર્શમાં અનુરક્તિ અને મમત્વને કારણે સ્પર્શના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી? ઉપભોગકાળમાં પણ તેને તૃપ્તિ થતી નથી. [૧૩ર૭-૧૩૨૮] સ્પર્શમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપસક્ત વ્યક્તિને સંતોષ થતો નથી. તે અસંતોષના દુઃખે દુઃખી થાય છે અને લોભથી વ્યાકુળ બીજાની વસ્તુઓ ચોરે છે. સ્પર્શ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃણાથી ઘેરાયેલી તે વ્યક્તિ બીજાની વસ્તુઓ ઉપાડે છે. લોભના દોષથી તેનું કપટ અને જૂઠાણું વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખથી મુક્ત થતા નથી. [૧૩૨૯] જૂઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખરૂપ છે. આમ સ્પર્શમાં અતૃપ્ત માણસ ચોરી કરે છે, દુઃખી થાય છે, આશ્રયહીન બને છે. [૧૩૩૦-૧૩૩૨] આમ સ્પર્શમાં અનુરક્ત માણસને ક્યાં.. ક્યારે, કેટલું સુખ મળે? જેને મેળવવા આટલું દુખ વેઠે છે, તેના ઉપભોગમાં પણ કષ્ટ અને દુઃખ જ હોય છે. એવીજ રીતે જે સ્પર્શ પ્રત્યે દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર અનેક દુઃખોની પરંપરા પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમનું ઉપાર્જન કરે છે તે જ વિપાકના સમયે દુઃખનું કારણ બને છે. સ્પર્શમાં વિરક્ત મનુષ્ય શોકરહિત હોય છે. તે સંસારમાં રહેવા છતાં જળમાં રહેલ કમળની માફક લિપ્ત થતો નથી. [૧૩૩૩-૧૩૩૪] મનનો વિષય ભાવ (અભિપ્રાય, વિચાર) છે. જે ભાવ રાગનું કારણ બને તે મનોજ્ઞ અને જે ભાવ દ્વેષનું કારણ હોય તે અમનોજ્ઞ કહેવાય. જે એમાં સમભાવ ધારણ કરે છે તે વીતરાગ છે. મન ભાવનું ગ્રાહક છે. ભાવ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ હોય તે મનોજ્ઞ અને જે દ્વેષનું કારણ બને તે ભાવ અમનોજ્ઞ છે. [૧૩૩૫-૧૩૩૭] જે મનોજ્ઞ ભાવોમાં તીવ્ર રૂપે આસક્ત છે તેનો અકાળે નાશ થાય છે. જેમ હાથિણી તરફ આકૃષ્ટ કામી રાગાતુર હાથી નાશ પામે છે. જે અમનોજ્ઞ ભાવ પ્રત્યે તીવ્રપણે દ્વેષ રાખે છે, તે તે જ ક્ષણે પોતાના દુદન્ત દ્વેષને લીધે દુઃખી થાય છે. એમાં ભાવનો કોઈ દોષ નથી. જે મનોજ્ઞ ભાવમાં એકાન્ત આસક્ત બને છે અને અમનોજ્ઞનો દ્વેષ કરે છે તે અજ્ઞાની દુઃખ પામે છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. [૧૩૩૮-૧૩૪૧] ભાવની ઇચ્છાની અનુગામી વ્યક્તિ અનેકરૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર ક્લિષ્ટ અજ્ઞાનીજીવ 17] För Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy