SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાયણું - ૩૦/૧૩૦૪ ૨૫ થાય છે. તેનો અંત પણ દુઃખમય થાય છે. આમ ગંધથી અતૃપ્ત તે ચોરી કરનાર દુઃખી અને આશ્રયહીન બને છે. [૧૩૦૪-૧૩૦૬] આમ ગંધમાં અનુરક્ત વ્યક્તિને ક્યારે, ક્યાં અને કેટલું સુખ મળશે ? જેના ઉપભોગ માટે દુઃખ વેઠે છે તેના ઉપભોગમાં પણ તે દુઃખ અને કલેશ જ પામે છે. એવી જ રીતે ગંધ પ્રત્યે જે દ્વેષ કરે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે તે જ વિપાકમાં દુઃખના કારણ બને છે. ગંધમાં વિરક્ત માણસ શોકરહિત બને છે, તે સંસારમાં રહેવા છતાં જલાશયમાં કમળ ની પેઠે લિપ્ત થતો નથી. [૧૩૦૭-૧૩૦૮] જિવાનો વિષય રસ છે. જે રસમાં રાગ ઉદ્ભવે તે મનોશ છે. અને જે રસથી દ્વેષ થાય તે અમનોજ્ઞ છે. જે આ રસોમાં સમભાવે રહે છે તે વીતરાગ છે. જિહ્વા રસગ્રાહક છે. રસ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ છે તેને મનોજ્ઞ કહેવાય. અને જે દ્વેષનું કારણ બને તે રસ અમનોજ્ઞ કહેવાય છે. [૧૩૦૯-૧૩૧૧] જે મનોજ્ઞ રસોમાં તીવ્રપણે આસક્ત છે તેનો અકાળે નાશ થાયછે. જેમ માંસમાં આસક્ત રાગાતુર માછલા કાંથી વિંધાય છે. જે અમનોજ્ઞ રસ તરફ તીવ્રપણે દ્વેષ રાખે છે, તે તે જ ક્ષણે પોતાના દુર્દન્ત દ્વેષને લીધે દુઃખી થાય છે. એમાં રસનો કોઈ અપરાધ નથી. જે મનોજ્ઞ રઞમાં એકાન્ત આસક્ત અને અમનોજ્ઞ રસમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખી થાય છે. વિખ્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. [૧૩૧૨] રસની ઇચ્છાનો અનુગામી અનેકરૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાની રસતૃપ્તિને જ મુખ્ય માનનાર તે ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને સંતાપે છે, પીડે છે. [૧૩૧૩-૧૩૧૫] રસમાં અનુરક્ત અને મમત્વને કારણે રસઉત્પાદનમાં, સંરક્ષણમાં, અને સન્નિયોગમાં તથા વ્યય અને વિયોગએ સર્વેમાં તેને સુખ ક્યાં ? તેને ઉપભોગને વખતે પણ તૃપ્તિ મળતી નથી. રસમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત, ઉપાસક્ત વ્યક્તિ સંતોષ પામતી નથી. તે અસંતોષના દોષને લીધે દુઃખી થાય છે. લોભથી વ્યાકુળ બીજાની વસ્તુઓ ચોરે છે. ૨સ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃષ્ણાથી પરાજિત વ્યક્તિ બીજની વસ્તુઓ લઇ લે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે અને તે દુઃખથી મુક્ત થતો નથી. [૧૩૧૬] જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે તે દુઃખી થાય છે. તેનો અન્ત પણ દુઃખમય હોય છે. આમ રસમાં અતૃપ્ત થઈને ચોરી કરનાર દુઃખી અને આશ્રયહીન બને છે. [૧૩૧૭-૧૩૧૯] આમ રસમાં અનુરક્ત પુરુષને ક્યાં, ક્યારે, કેટલું સુખ મળે ? જેને મેળવવા માટે વ્યક્તિ આટલું દુઃખ વેઠે છે, તેના ઉપભોગમાં પણ કલેશ અને દુઃખજ હોય છે. એવી જ રીતે જે રસ તરફ દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર દુઃખની પરંપરા પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે તે જ પરિણામે દુઃખનું કારણ બને છે. રસમાં વિરક્ત શોકરહિત બને. તે સંસારમાં રહેવા છતાં જળમાં કમળની જેમ લિપ્ત થતો નથી. [૧૩૨૦-૧૩૨૧] કાયનો વિષય સ્પર્શ છે. જે સ્પર્શ રાગનું કારણ બને તે મનોજ્ઞ અને જે દ્વેષનું કારણ હોય તે અમનોજ્ઞ છે. જે આ બન્નેનાં સમભાવ ધારણ કરે તે વીતરાગ છે. કાય (સ્પર્શેન્દ્રિય) સ્પર્શનો ગ્રાહક છે. સ્પર્શ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy