SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન - ૬ પ્રમાણે અચિત્ત નિક્ષેપ, સચિત્ત વડે ઢાંકવું, ભોજનકાળ વીત્યાબાદ દાન આપવું, પોતાની વસ્તુને પારકી કહેવી, બીજાના સુખનો દ્વેષ કરવો. [૮૧] આ પ્રમાણે શ્રમણોપાસક ધર્મમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત અને થાવત્કથિક કે ઈત્વરકથિક અર્થાત્ ચિરકાળકે અલ્પકાળ માટે ચાર શિક્ષાવ્રતો કહ્યા છે. આ બધાંની પહેલા શ્રમણોપાસક ધર્મમાં મૂળ વસ્તુ સમ્યક્ત્વ છે. તે નિસર્ગથી અને અભિગમથી બે પ્રકારે છે. પાંચ અતિચાર રહિત વિશુદ્ધ અણુવ્રત અને ગુણવ્રતની પ્રતિજ્ઞા સિવાય બીજી પણ પડિમાં વગેરે વિશેષથી કરવા યોગ્ય છે. અંતિમ - મરણ સંબંધિ સંલેખના આરાધના આરાધવી જોઈએ. સામાન્ય અર્થમાં કહીએ તો શ્રાવકે વ્રત અને પડિમા ઉપરાંત મરણ સમયે યોગ્ય સમાધિ અને સ્થિરતા માટે મરણ પર્વતનું અનશન સ્વીકારવું જોઈએ. શ્રમણોપાસકને આ સંબંધે પાંચ અતિચાર કહ્યા છે તે આ પ્રમાણે ૧-આ લોક સંબંધિ કે ૨-પરલોક સંબંધિ ઇચ્છા કરવી ૩-જીવિત કે ૪-મરણ સંબંધિ ઇચ્છા કરવી અને પ-કામ ભોગ સંબંધિ ઈચ્છા કરવી. [૮] સૂર્ય ઉગવાથી આરંભીને નમસ્કાર સહિત અશન-પાન-ખાદિમ- સ્વાદિમના પચ્ચખાણ (નિયમ) કરે છે. સિવાય કે અનાભોગથી કે સહસાકારથી (નિયમનો) ત્યાગ કરે. [૮૭ સૂર્યોદયથી પોરિસી (અર્થાત્ એક પ્રહર પર્વત) ચારે પ્રકારનું - અશન, પાન,આદિમ, સ્વાદિમનું પચ્ચખ્ખાણ કરે છે. સિવાયકે અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાળથી, દિશા-મોહથી, સાધુ વચનથી, સર્વ સમાધિના હેતુરૂપ આગારથી (પચ્ચખાણ) છોડી દે છે. . [૮૪) સૂર્ય ઊંચે આવે ત્યાં સુધી પુરિમ (સૂર્ય મધ્યાલે આવે ત્યાં સુધી) અશન આદિ ચાર આહારનું પચ્ચકખાણ (નિયમ) કરે છે. સિવાય કે અનાભોગ, સહસાકાર, કાળની પ્રચ્છન્નતા, દિશામોહ, સાધુવચન, મહત્તરકારણ કે સર્વ સમાધિના હેતુરૂપ આગારથી નિયમ છોડી દે. [૮૫] એકાસણાનું પચ્ચકખાણ કરે છે. (એક વખત સિવાય) અશનાદિ ચારે આહારનો ત્યાગ કરે છે. સિવાયકે અનાભોગ, સહસાકાર, સાગારિક કારણે, આકુંચનપ્રસારણથી, ગુરઅભ્યત્થાન, પારિષ્ઠાપનિકા કારણે, મહતું કારણ કે સર્વસમાધિના હેતુરૂપ આગારથી (પચ્ચકખાણ) છોડી દે. [૮] એકલઠાણાનું પચ્ચખાણ કરે છે. (બાકીનો અર્થ સૂત્ર : ૮૫ મુજબ માત્ર તેમાં મહત્તર કારણ ન આવે. [૮૭) આયંબિલનું પચ્ચકખાણ કરે છે. તેમાં આયંબિલ માટે એક વખત બેસવા સિવાય) અશનાદિ ચારે આહારનો ત્યાગ કરે છે. સિવાયકે અનાભોગથી, સહસાકારથી, લેપાલેપથી, ઉક્લિપ્ત વિવેકથી, ગૃહસ્થ સંસૃષ્ટથી, પારિષ્ઠાપન કારણે, મહત્તર કારણે કે સર્વસમાધિને માટે (પચ્ચક્ખાણ) છોડી દે. [૮૮) સૂર્ય ઊંચો આવ્યે છતે ભોજન ન કરવાનું પચ્ચખાણ કરે છે (તે માટે) અશનાદિ ચારે આહારનો ત્યાગ કરે છે. સિવાયકે અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકા કારણે, મહત્તર કારણે, સર્વ સમાધિને માટે (પચ્ચકખાણ) છોડી દે. [૮] દિવસને અંતે અશનાદિ ચારે પ્રકારના આહારનું પચ્ચખાણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy